SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ s [ ધ સંભા. ૧-વિ૦ ૨–ગા૧૯ "जा जयमाणस्स मवे, विराहणा मुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झप्पविसोहिजुसस्स ॥१॥" " परमरहस्समिसीणं. समत्तगणिपिडगझरिअसाराणं । परिणामिश्र पमाणं, निन्छयमवलंबमाणाणं ॥२॥ (ओघनियु० ७६०-६१) ભાવાર્થ“શુદ્ધ અધ્યવસાયવાળા તથા સૂત્રોક્ત વિધિરૂપ સન્માર્ગને આચરતા યતનાવત જીવને જે વિરાધના થાય તે કર્મની નિર્જરારૂપ ફળને આપનારી છે. (૧) સમસ્ત ગણિપિટક (દ્વાદશાંગી)ના સારને પામેલા નિશ્ચયનયને આશ્રય કરનારા પરમષિઓનું એ મહાનું રહસ્ય (તાવ) છે કે-આત્માના પરિણામ (અધ્યવસાય)ને અનુસાર કાર્યની પ્રમાણિકતા (શુભાશુભપણું) મનાય છે. (અર્થાત નિશ્ચયનયથી શ્રીજિનમન્દિરાદિ કરાવનારને હિંસાના અધ્યવસાય નથી, માટે હિંસા નથી.” એ શ્રીજિનમન્દિરમાં ધન વાવવાને વિધિ સમજ. હવે શ્રીજિનાગમરૂપ ક્ષેત્ર માટે કહે છે. ૩. જિનાગમ-જિનાગમ મિથ્યા શાસ્ત્રોથી પડેલા દુષ્ટ સંસ્કારરૂપ ઝેરના નાશ માટે મંત્રરૂપ છે, તેમજ ધર્મ-અધર્મ, કરણીય-અકરણીય, ભક્ષ્ય-અભક્ષ્ય, પિય-અપેય, જાણવા ગ્ય-નહિ જાણવા યેગ્ય, સાર-અસાર, વગેરે જગતના ભાવેને વિવેક કરાવનાર છે; ગાઢ અંધારામાં દીપકની જેમ પ્રકાશ કરનાર, સંસારસમુદ્રમાં ડૂબતા જીવોને પિની જેમ આધારરૂપ બચાવનાર, અને મભૂમિમાં કલ્પવૃક્ષ તુલ્ય છે, અર્થાત્ સંસારમાં જિનાગમની પ્રાપ્તિ ગાઢ અંધારામાં દીપકની જેમ અતિ ઉપકારક હવા સાથે અતિ દુર્લભ છે. “શ્રી જિનેશ્વર વગેરે તને નિર્ણય પણ આગમપ્રમાણથી જ થાય છે અર્થાત્ શ્રીજિનેશ્વરદેવે વગેરેને ઓળખાવનારૂં પણ આગમ છે. પૂર્વ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી કહે છે કે यदीयसम्यक्त्वबलावप्रतीमो, मवादृशानां परमाप्त(त्म)मावम् । कुवासनापाशविनाशनाय, नमोऽस्तु तस्मै तव शासनाय ॥१॥" (अयोगव्यव०२१) ભાવાર્થ. “(હે જિનદેવ !) જે શાસનની શ્રદ્ધાના બળે આપ જેવાઓનું પરમ આપ્ત પણું (પરમાત્માપણું) ઓળખી શક્યા તે કુવાસનાના મેલને નાશ કરનારા તમારા શાસનને નમસ્કાર થાઓ.” વસ્તુતઃ જેને જિનાગમમાં બહુમાન હોય તેણે જ દેવ-ગુરુ-ધર્મ વગેરેનું પણ બહુમાન કર્યું ગણાય છે, એટલું જ નહિ, કેવળજ્ઞાન કરતાંય જિનાગમની પ્રમાણિકતા અધિક છે. કહ્યું "ओहे मुओवउत्तो, मुअनाणी जइ हु गिण्हइ असुद्धं । તે તેવી વિન, ગvr g - રૂ શા” (નિર્યુંવર૪) ભાવાર્થ– “છસ્વસ્થ શ્રુતજ્ઞાની શ્રુતના ઉપગથી યદિ અશુદ્ધને પણ શુદ્ધ સમજીને લાવે તેને પણ કેવલી અશુદ્ધ જાણવા છતાં ભગવે (વાપરે), અન્યથા શ્રુતજ્ઞાન અપ્રમાણિક ઠરે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy