________________
પ્ર૭ ૨-સાત ક્ષેત્રોને અંગે શ્રાવકનો ધર્મ ]
૩૩૫ ભાવાથ–“જેઓ નશ્વર) શરીર વગેરેના કારણે પણ છ–કાય જીવોની હિંસામાં પ્રવૃત્તિ કરે છે, તેઓએ “છ-કાય છેને વધ થાય—એ બુદ્ધિથી (કલ્યાણકારક) શ્રીજિનપૂજાદિ વિષયમાં પ્રવૃત્તિ નહિ કરવી, તે મેહ (અજ્ઞાન) છે.”
એ પ્રમાણે શાસ્ત્રનું વચન હોવાથી, આરંભ-પરિગ્રહવાળા ગ્રહસ્થને તે કુટુંબ-પરિપાલન વગેરેમાં ધન વાપરવાથી થતા પાપની શુદ્ધિ માટે શ્રીજિનમદિર વગેરેમાં ધનવ્યય કરે તેજ કલ્યાણકારી છે. હા, જે શ્રાવક પ્રતિમાદિ (નિયમનું પાલન કરવાના ગે સ્વકુટુંબ વગેરેને અંગેને પણ આરંભ કરતું નથી, તે શ્રીજિનબિમ્બ વગેરે પણ ન કરાવે તે વ્યાજબી છે, કારણ કે બીજા કાર્યોમાં આરંભ કરનારને જ ધર્મ માટે પણ આરંભ કરવાને અધિકાર છે, એટલું જ નહિ આરંભાદિ કરીને ધર્મ માટે પણ ધન ઉપાર્જન કરવું એગ્ય નથી. કહ્યું છે કે
धर्मार्थ यस्य वित्तेहा, तस्यानीहा गरीयसी।
વજ્ઞાના િપય, ( નં શા(૦િ મણ , ૪-૬) ભાવાર્થ-~“ધર્મ માટે ધન મેળવવાની ઈચ્છા થાય, તેને તેવી ઈચ્છા ન થાય તે શ્રેષ્ઠ છે, કારણ કે કાદવ લગાડીને સ્નાન કરવા કરતાં કાદવથી દૂર રહેવું તેજ શ્રેષ્ઠ ગણાય.”
વળી જે આત્મા “શરીર વગેરેને માટે પાપ કરનારે તે એક પાપ કર્યું, વળી બીજી પાપ (ધર્મ માટે) કરે તે વ્યાજબી નથી.” એમ માની “જિનમન્દિર કરાવવા વગેરે કાર્યને કરતા નથી, તેને મહાન દેષ લાગે જ છે. પૂ૦ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું છે કે
"अण्णत्थारम्भवओ, धम्मेऽणारंमओ अणामोगो।
लोए पवयणखिंसा, अबोहिवी ति दोसा य ॥१॥ (पंचापक ४-१२) ભાવાથ– “અન્ય ( સંસારી કાર્યોમાં) આરંભ કરનારને ધર્મમાં અનારંભ સેવ, (આરંભ માનીને ધર્મકાર્યો નહિ કરવાં) તે અજ્ઞાન છે, એટલું જ નહિ, પણ તેથી લેકમાં ધર્મ-શાસનની નિંદા થાય અને તેથી અબોધિનાં-મિથ્યાત્વનાં બીજે વવાય, (ાધિદુર્લભ થાય), એમ ઘણા દે છે. ૧૨૬
વળી શ્રીજિનમન્દિર વગેરે બંધાવવાથી વાવ-કુવાદિ બંધાવવાની જેમ અશુભ કર્મબંધ થતું નથી, કારણ કે–ત્યાં તે શ્રીસંઘ ભેગો થાય, ધર્મદેશનાનું શ્રવણ કરે, તેમજ વ્રત-પશ્ચકખાણ અંગીકાર કરે વગેરે કાર્યો થતાં હોવાથી આત્મકલ્યાણનું સાધન બને છે અને તેથી શુભ કર્મબંધનું પણ કારણ થાય છે. વળી કૃપાળુપણાથી સૂક્ષમ જીવોની પણ રક્ષા કરવાની ભાવનાવાળા ગૃહસ્થાને ધર્મકાર્યો કરતાં છ-કાય જીવોની વિરાધના થાય તે પણ તેમાં જયણા ના પરિણામ હોવાથી તેમને વિરાધના નથી જ કહ્યું છે કે
૧૨૬. ઘરમાં સ્વકુટુંબ માટે રસોઈ બનાવનારને જમનારા બીજા સગાસંબંધીઓ માટે આરંભ કરે, એ ગૃહસ્થાવાસને અંગે આવશ્યક-ઉચિત છે, તે આત્મકલ્યાણના પરમ સાધનભૂત જિનમન્દિરાદિ માટે આરંભ કરવો જોઈએ તેમાં પૂછવાનું જ શું અર્થાત તે અતિ આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org