SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ (ધ) સં- ભા. ૧-વિ ૫૯, એકબીજાની સ્પર્ધાપૂર્વક સંગીત કરતા હોય, ત્યાં આવેલા ગાયકનાં ગીતના સુંદર અવાજથી તુંબરૂ નામના ગંધર્વના ગાયનને મહિમા પણ ઝાંખે પડતે હેય; વળી જ્યાં નિરંતર કુલીન સધવા સ્ત્રીએ તાળી, રાસાએ, હલેસાં વગેરે પ્રબંધના જુદા જુદા અભિનયા (ચાળા) થી વ્યગ્ર (ગરબા ગાતી) હેય અને તેને જોઈને ભવ્ય લેકે આશ્ચર્ય પામતા હોય; જ્યાં નાટકેના રસથી આકર્ષાયેલા રસિક કોડા લેકે ખેંચાઈને (નૃત્ય જેવા) આવતા હોય; એવાં ઉત્તમ મંદિરે ઉંચા ઉંચા પર્વની ટોચે તથા શ્રીજિનેશ્વરદેવના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન કે નિર્વાણ સ્થાને બંધાવવાં. અથવા શ્રીસંપ્રતિ રાજાની જેમ નગર–નગરે, ગામે-ગામે અને સ્થાને–સ્થાને દેહરાસરે બંધાવવાં. આ મિટા શ્રીમંત શ્રાવકનું કર્તવ્ય છે, જેને તે વૈભવ ન હોય તેણે તે સામાન્ય ઘાસની ૧પ ઝુપડી જેવું પણ શ્રીજિનમંદિર બંધાવવું તે ઉચિત છે. કહ્યું છે કે માથા પરમગુરપ્પા, પુuથોમi gad? I '” किं पुनरूपचितदृढधन-शिलासमुद्घातघटितजिनमवनम् । ये कारयन्ति शुममति-विधायिनस्ते महाधन्याः ॥२॥" ભાવાથ–“જે શ્રીજિનેશ્વરદે માટે માત્ર ઘાસની કુટિર (ઝુંપડી) બનાવે તથા ભક્તિથી એક પુષ્પ ચઢાવે, તેના પણ પુન્યનું માપ કેવી રીતે કરાય? અર્થાત ન કરાય. (૧) તે પછી જે મેટું, મજબૂત અને ઘણા (ઉત્તમ) પથરે ઘડાવીને સુંદર શ્રીજિનમંદિર બંધાવે, તે શુભ બુદ્ધિને કરનારા આત્માઓ તે મહાધન્ય છે જ. (૨)” એ મુજબ સામાન્ય તથા ધનિક ગૃહસ્થને અંગે શ્રીજિનમંદિરરૂપી ક્ષેત્રમાં ધનનું વાવેતર કરવાને વિધિ જણાવ્યું, પરંતુ રાજા વગેરે વિશિષ્ટ પુરુષે શ્રીજિનમંદિર બનાવે, તેઓએ તે તેના નિભાવ માટે) ઘણે ભંડાર (ધન) તથા ગામ, શહેર, મંડલ (અમુક પરગણું) કે અમુક ગેકુલ વગેરેનું દાન કરવું જોઈએ, એ તેઓને શ્રીજિનમન્દિરરૂપ ક્ષેત્રમાં ધનનું વાવેતર કરવાને પ્રકાર જાણવે. તે ઉપરાન્ત જિર્ણ થયેલાં કે પડી ગયેલાં ચિત્યને સમરાવવાં, બીજાઓએ કબજે કરેલાં કે નષ્ટ-ભ્રષ્ટ થયાં હોય તેવાં ચૈત્યને (યા તીર્થોને) સમુદ્ધાર કર, ઈત્યાદિ પણ આ બીજા ક્ષેત્રમાં ધનને વાવવાના પ્રકારરૂપ સમજવું. પ્રશ્ન–નિષ્પા૫ શ્રીજિનધર્મનું સમ્યગ આરાધન કરનારને શ્રીજિનમન્દિર વગેરે કરવું– કરાવવું અનુચિત છે, કારણ કે-તેવાં કાર્યોમાં છ-કાય છની વિરાધના થાય છે. ઉત્તર—તમારે પ્રશ્ન આયોગ્ય છે, કારણ કે – હા નિમિત્ત નિg, છે (લે) વવમિ છે (ત) પંડિત નિપૂણયવનિ, નિરંવા નો શા” (પૂનાવાર, ૪૧ ) ૧૫. અર્થાત-પિતાની સંપત્તિ અનુસાર ઓછામાં ઓછા ખર્ચવાળું શ્રી જિનમન્દિર પણ બંધાવી શકાય છે. આશય એ છે કે શ્રાવકે અવશ્ય પિતાની સંપત્તિ અનુસાર શ્રીજિનમદિર બાંધવાને પણ લાભ લેવો નેપ). સામાન્ય નિકાએ નૂતન મન્દિરા કે જિર્ણોદ્ધારમાં ભેટ કરવાને વ્યવહાર વાગે શ્રેષ્ઠ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy