________________
(ધસં૦ ભા૧-વિ. ના. સેનું, ચાંદી, ચન્દનનું કાષ્ઠ, ઉત્તમ પાષાણુ કે ઉત્તમ માટી વગેરે ઉત્તમ દ્રવ્યોની કરાવવી. કહ્યું છે કે “ઉત્તમ માટી, નિર્મળ પાષાણુ, રૂપું, કાષ્ઠ, સેનું, રત્ન, મણિ, ચંદન વગેરેથી પિતાની સંપત્તિ અનુસાર જેઓ શ્રીજિનેશ્વરદેવની મનોહર મૂતિ કરાવે છે, તે મનુષ્યપણુનાં અને દેવપણાનાં મહાન સુખને પ્રાપ્ત કરે છે. તથા આહ્લાદકારિણી, સર્વલક્ષણયુક્ત અને સમસ્ત અલકારવાળી શ્રીજિનપ્રતિમાનું દર્શન કરતાં જેમ જેમ તે મનને વધુ આનંદ ઉપજાવે, તેમ તેમ વધુ નિર્જરા થાય છે” એમ સમજવું. એ રીતિએ ઉત્તમ શ્રીજિનપ્રતિમા ભરાવવી તથા તે બનાવેલી શ્રીજિનપ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રતિષ્ઠાપન (પ્રતિષ્ઠા) કરાવવું. વળી તેનું અષ્ટપ્રકારથી પૂજન કરવું, ( મહેસૂવાદિ) યાત્રા કરવી, વિશિષ્ટ આભરણેથી વિભૂષિત કરવી તથા વિશિષ્ટ પ્રકારનાં વસ્ત્રોથી પહેરામણી કરવી, એ વગેરે કાર્યોથી શ્રીજિનબિમ્બરૂપ ક્ષેત્રમાં ધનનું વાવેતર થાય છે. કહ્યું છે કે “જેમાંથી ઘણું સુગંધ ઉછળતી હોય તેવાં સુગંધી ચૂર્ણ ૧, પુષ્પો ૨અક્ષતે ૩, ધૂપ ૪, દવાઓ ૫, ઉત્તમ પ્રકારના તાજા ઘીથી બનાવેલાં જુદી જુદી જાતિનાં અનેક નિવેદ્ય ૬, કુદરતે સ્વયં પાકેલાં પવિત્ર ફળ અને જળનાં ભરેલાં પાત્રે (કળશે) ૮, એ આઠ પ્રકારનાં ઊત્તમ દ્રવ્યથી જિનેશ્વરની પૂજા કરનારા (પુણ્યવંત ગૃહસ્થ થોડા સમયમાં જ મોક્ષના અખંડ–અનંત સુખને પામે છે.
કઈ એમ સમજે કે- જેને રાગ-દ્વેષ નથી; એવી જડ (પાષાણુ વગેરેની) શ્રીજિનમતિ. એની પૂજા વગેરેથી શું ફળ મળે? કારણ કે–તે તે જડ છે ” એની આ સમજ બેટી છે, કારણ કે-જેમ ચિંતામણિ રત્ન વગેરે જડ છતાં ફળ આપે છે, તેમ શ્રીજિનમતિઓ પણ ફળ આપે છે. વીતરાગસ્તોત્રમાં પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે
" अप्रसनात् कथं प्राप्यं, फलमेतदसतम् ।
નિવામMવિક જિંત્ર, રુપિ વિજેતા ? શા” (૪ ૧૧-૨ ) ભાવા–“ જે પ્રસન્ન ન થાય તેનાથી ફળ કેવી રીતિએ મળે?—એવો પ્રશ્ન અસંગત છે. શું જડ છતાં ચિંતામણિ રત્ન વગેરે ફળ નથી આપતાં? અર્થાત્ આપે છે, તેમ શ્રીજિનમૂતિ પણ આપે છે.”
" उवगाराऽमावम्मि वि, पुज्जाणं पूयगस्स उवगारो।
માણસાઈ ગઈવિ-જૈવ કદ રહે છે ? ” (પૂના , છે) ભાવાથ–“પૂજેમાં ઉપકારને અભાવ (તેઓને ઉપકાર નહિ થવા) છતાં પૂજકને ઉપકાર થાય છે. જેમ મંત્ર વગેરેનું સ્મરણ કરવાથી (ઈષ્ટસિદ્ધિ), અને અગ્નિ વગેરેના સેવનથી (ગરમી વગેરે) લાભે થાય છે, તેમ અહીં પણ સમજવું.”
ઉપરને શ્રીજિનપૂજનને અધિકાર પોતે બનાવરાવેલી મૂતિને અગે કહ્યો. એ સિવાય બીજાઓએ ભરાવેલાં અને (કેઈએ નહિ કરાવેલાં) શાશ્વતાં શ્રીજિનબિઓનું પણ પૂજન, વન્દન વગેરે વિધિ યથાયોગ્ય કર.
શ્રીજિનપ્રતિમા (ચ) ત્રણ પ્રકાર હોય છે. એક ભક્તિચેત્ય– પિતે અથવા બીજાએ ભક્તિ કરવા માટે મંદિરમાં ભરાવેલું હોય, જેમ વર્તમાનમાં પણ મનુષ્ય ભરાવે છે (કરાવે છે). બીજુ ૨ મંગલચૈત્ય–ઘરના બારણું (બારસાખ)માં મંગલને માટે કરાવાય છે અને
૧૨. શ્રાવકે હાલ ઘરના બારસાખમાં કળશ કરાવે છે, ને કે-અષ્ટમંગલ પૈકીનું મંગળ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org