SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ (૧૦ સંo ભા. ૧-વિ૦ ૨-ગા. ૫૦ બીજાના ઘેર જવું નહિ, કીડા, કુતૂહલ વગેરેને ત્યાગ કરો અને વિકારી વચન વર્જવું કે જેથી પ્રાપ્ત થયેલા સમકિત કે વ્રતનું રક્ષણ થાય છે. અહીં ઉપાય અને રક્ષણ બે જૂદાં કહ્યાં, જ્યારે અન્ય આચાર્યો તેને “ઉપાયપૂર્વક રક્ષણ કરવું એ અર્થ કરી બન્નેને ભેગાં (એક જ) પણ ગણે છે. ૩. ગ્રહણ-સમ્યક્ત્વ, દેશવિરતિ વગેરે વતે ગુરુ પાસે અંગીકાર કરનારે તેના ત્રિવિધ-વિવિધ વગેરે ભાંગાઓને વિવેકપૂર્વક સમજી, પિતાનાથી જે જે ભાંગે રક્ષણ-પાલન થઈ શકે તેમ હોય તે તે ભાંગે ગ્રહણ કરવું, કે જેથી પાછળથી અતિચારને કે ભંગને પ્રસંગ ન આવે. આણંદજી કામદેવજી વગેરેએ લીધેલાં વ્રતમાં એ વશિષ્ટતા હતી કે-મરણાન્ત ઉપસર્ગો આવવા છતાં પણ તેનું પૂર્ણ પણે પાલન કર્યું અને તેથી જ પ્રભુ શ્રી મહાવીરદેવના મુખે પણ તેઓ ઉત્તમ શ્રાવક તરીકે વખણાયા. પહેલાં સમ્યફ તથા વ્રતના અધિકારમાં જણાવી ગયા, તે વિવિધ ત્રિવિધ–વગેરે વિકપમાં યથાશકય ભાંગાથી સમ્યકત્વ, વ્રત વગેરેને ગ્રહણ કરવાં. કહ્યું છે કે-મિથ્યાત્વનું પ્રતિક્રમણ ત્રિવિધ-ત્રિવિધથી જાણવું વગેરે. તથા પૃ. ૧૫૬માં તેના “દ્વિવિધ ત્રિવિધેન પહેલે, દ્વિવિધ-દ્ધિવિધેન બી, દ્વિવિધ-એકવિધેન ત્રિીને તેમજ એકવિધ-એકવિધેન ચે” વગેરે ભાંગા જણાવ્યા છે. તેને તે પ્રમાણે સમજીને શક્ય ભાગે વ્રતો ગ્રહણ કરવાં. ૪.પ્રયત્ન-ગ્રહણ કરેલાં સમ્યક્ત્વ, વ્રત વગેરેને વારંવાર યાદ કરવાને ઉદ્યમ તેને પ્રયત્ન કહેવાય છે, તેનું સ્વરૂપ સમતિના અધિકારમાં કહેવાઈ ગયું છે. વળી જે તજવા ગ્ય છતાં તજાયું ન હોય તેને પણ શક્તિ ફેરવીને ત્યાગ કરવાના ઉદ્યમરૂપ પ્રયત્ન કરવો જોઈએ. જેમકે- પૃ. ૧૪હ્માં કહ્યા પ્રમાણે, આજથી મારે અન્યદર્શની દેવ-ગુરૂ વગેરેને વન્દન કરવું નહિ, ઈત્યાદિ સમકિતને અંગેની; તથા પૃ.૧૭૫માં જણાવ્યા પ્રમાણે, જાડા કપડાથી ગાળીને પાણી લેવું બાળવાના લાકડાં, દળવા-ભરડવાનાં કે રાંધવાનાં આખાં અનાજ કે દાળ વગેરે પણ ખરીદ કરતાં પહેલાં જેમાં જીવ ન હોય–સડેલાં ન હોય તેવાં ખરીદવાં, તેવાં શુદ્ધ લાવવા છતાં વાપરતી વેળાએ પણ ત્રસ વગેરે ની હિંસા ન થાય તે પ્રમાણે જોઈને વિધિપૂર્વક ઉપયોગ કરે; વગેરે પહેલા વ્રતને અને કહેલી જાણ કરવી, અન્ય વતેના માટે પણ એ મુજબ વર્તવું, તે પ્રયત્ન સમજે. ૫ વિષય-જે જે વિષયને ત્યાગ કે સ્વીકાર કર હોય, તેને સમજીને ત્યાગ કે સ્વીકાર કરવું જોઈએ. જેમકે--જીવ અજીવ આદિ નવતને ત માનવા તે સમ્યકત્વને વિષય છે ધર્માચરણ કરતા હોય તેવું સ્થાન. શ્રીધર્મરત્ન પ્રકરણમાં શીલવંતનાં છ લક્ષણો બતાવ્યાં છે તે વ્રતરક્ષાને માટે બહુ ઉપયોગી છે. ત્યાં આયતનનું સેવન કરવું. વિના કારણે એકલા જ્યાં પુરુષ ન હેય તે ઘેર ન જવું, ઉભટ વેષ નહિ પહેરવો, દેશાચાર અને કુલાચારને શોભે તે વૈષ પહેરવે, જેનાથી મોહ જાગે તેવાં વિકારી વચને નહિ બોલવા, બાલચેષ્ટાને ત્યાગ કરવો અને બીજાની પાસે પ્રયજન પડયે મધુર વાણીથી કામ લેવું, સમજાવીને કામ કરાવવું પણ બલાહકારથી–તેની ઇચ્છા વિના–સત્તાના જોરે કામ નહિ કરાવવું. એ પ્રમાણે છગુ વિસ્તારથી વર્ણવ્યા છે. એ છ ગુણે નહિ પાળવાથી શું નુકશાન થાય છે તે પણ ત્યાં જણાવ્યું છે. જુઓ ત્યાં ગાયાઓ છ થી ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy