SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ [ ધ સં૦ ભા૦ ૧-વિત્ર ૨-ગા૦ ૫૮ પાંદડાં ફૂલ, ફળ વગેરે સજીવ પદાર્થો ઢાંકે-મૂકે (અગર જે વાસણમાં તેવી વસ્તુઓ હેય તે વાસણથી ઢાંકે), એ બીજે અતિચાર સમજ. ૩. મસર-સાધુ કઈ વસ્તુની માગણી કરે ત્યારે સાધુ ઉપર મત્સર કરે, અર્થાત વસ્તુ હેિવા છતાં સાધુ માગે તે પણ ન આપવી, કે કઈ સામાન્ય સ્થિતિવાળો પણ સાધુની માગ થી વહેરાવે તે જોઈને, “શું હું આ રંકથી પણ હલકું છું?”—એમ વહેરાવનાર ઉપર મત્સર કરીને સાધુને વહેરાવવી, એમ વહોરાવવા છતાં મત્સરને વેગે અતિચાર લાગે છે. બીજાની ઉન્નતિ દેખીને વૈમનસ્ય-ઈર્ષા થવી તે મત્સર કહેવાય છે. પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સ્કૃત અનેકાર્થસંગ્રહ કેષમાં કહ્યું છે કે “મન્ના: પ્રયક્ષમાં અર્થા–બીજાની સંપત્તિ સહન નહિ થવાથી, તે સંપત્તિવાળા ઉપર ક્રોધ કરે તે મત્સર કહેવાય છે. એ ત્રીજો અતિચાર જાણ. ૪. કાળી ઉલંઘન-સાધુઓના ભિક્ષાના સમયનું ઉલ્લંઘન કરવું, અર્થાત્ સાધુને ભિક્ષાના સમયથી વહેલા કે મેડા લાવીશ તે (વહેલા બોલાવવાથી દોષ વગેરેનું અનુમાન કરી વહેરશે નહિ અને મેડા બેલાવવાથી બીજેથી ભિક્ષા લઈ આવવાથી જરૂરના અભાવે વહેરશે નહિ -એમ બે રીતિએ) વહેરશે નહિ અને સમજશે કે-“આ ગૃહસ્થ ભિક્ષા દેવા ઈચ્છે છે” ઈત્યાદિ દેવાની બુદ્ધિ નહિ છતાં દેવાની તૈયારી બતાવવી, તે ચે અતિચાર જાણ. ૫. અન્યાપદેશ-સાધુને આપવાની ઈચ્છા નહિ હેવાથી દેવા યોગ્ય વસ્તુ મેળ, સાકર વગેરે પિતાનાં છતાં, બચાવ માટે સાધુને સાંભળતાં ઘરના માણસોને કહે કે-“આ તે આપણું નથી, પારકું છે, માટે સાધુને આપશે નહિ”-એમ બીજાને અપદેશ-ન્હાનું કરે. “અપદેશ શબ્દના “કરવું, મ્હાનું બતાવવું અને લક્ષ્ય આપવું ” એમ ત્રણ અર્થે અનેકાર્થસંગ્રહમાં પૂર શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યા છે, તેમાંથી અહીં “હાનું બતાવવું” અર્થ સમજ.” એમાં એ આશય રાખે કે-સાધુઓ એમ સમજશે કે આ તે પારકું હોવાથી નિષેધ કરે છે, પિતાનું હોત તે કેમ ન આપત? –એમ સાધુને વિશ્વાસ પમાડવા માટે ખોટું બોલે. અથવા બીજી રીતિએ આપતાં પહેલાં સાધુઓ સાંભળે તેમ બેલે કે–આ દાનથી મારી માતા વગેરેને પુણ્ય હેજે ! આવું બોલવાથી પણ સાધુ અક માનીને તે વસ્તુને લે નહિ. એ પાંચમો અતિચાર કહ્યો.૨૧ એ પ્રમાણે આ અતિચારોનું સ્વરૂપ શ્રીઉપાસકદશાંગ સૂત્રની ટીકાના આધારે કહ્યું. ત્યાં કહ્યું છે કે-સમજપૂર્વક આ પ્રમાણે કરે તે પણ અતિચાર જ સમજવા. જુઓ ત્યાંને પાઠ“uતે સિવાર ઇવ, ન મા, તાનાર્થમજ્યુસ્થાનીદાનપરિપતે દૂષિતતા ” (શષ્ય૦ ૬, સૂ૦ ૬ ટો ) " અર્થા–“દાનને માટે તૈયારી--પ્રયત્ન હોવાથી (દેશથી વ્રતનું પાલન) અને ભાવના દૂષિત છે માટે (દેશથી ભંગ એમ) આ અતિચારે છે, પણ વ્રતભંગ નથી.” વ્રતભંગનું સ્વરૂપ તે ત્યાં આ પ્રમાણે કહ્યું છે– ૧૨૧. અન્ય સ્થલે, ભિક્ષા દેવાના આશયથી પારકું છતાં પિતાનું છે-એમ કહીને આપે, તે પણ તેને આ અતિચાર કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy