SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨-પષધેપવાસ વ્રતના અતિચાર ] ૩૨૫ તેના સંક્ષેપને લગતા અતિચારે તેમાં જણાવ્યા જ નથી; તે “સર્વ વ્રતના સંક્ષેપરૂપ દેસાવકસિક વ્રત છે ”—એ વૃદ્ધવાદ કેવી રીતિએ મનાય? તેનું સમાધાન એ છે કે–પ્રાણાતિપાતાદિ બીજાં તેના સંક્ષેપરૂપ દેસાવગાસિકમાં તો તે તે વ્રતને અંગે જણાવેલા વધ, બંધન, વગેરે પણ તે જ અતિચારો સમજવા, દિગવતના સંક્ષેપરૂપ દેસાવગાસિકમાં તે ભૂમિની મર્યાદાને સંક્ષેપ કરતે હેવાથી દિશિપરિમાણ વ્રતના પહેલાં કહો તે ઉપરાન્ત આ “પ્રેષણ-આનયન' વગેરે અતિચારોને પણ સંભવ હોવાથી અહીં જુદા કહ્યા, એમ સમજવું. માટે જ દિશિપરિમાણના સંક્ષેપને જ પ્રગટ દેસાવગાસિક ૧૮ કહ્યું છે. (અર્થાત્ ઉપલક્ષણથી “અન્ય વ્રતને સંક્ષેપ પણ દેસાવગાસિક વ્રત' કહેવાય છે અને તેના અતિચારે તે તે વ્રતમાં કહી ગયા તે જ છે, એમ સમજવું) હવે પૌષધવતના અતિચારો કહે છે. मूळ-" संस्तारादानहानान्यप्रत्युपेक्ष्याऽप्रमृज्य च । ગના સ્મૃતિવૅત્ય-તિવાર પોપત્રો | પ૭ ! ” મૂલાથ–૧. “ષ્ટિથી જોયા કે પ્રમાર્જન કર્યા વિના સંથારે કરે, ૨. જયા-પ્રમાર્યો વિના વસ્તુ લેવી-મૂકવી, ૩. જેયા–પ્રમાર્યા વિના પરઠવવું, તેમ જ ૪. પૌષધ પ્રત્યે અનાદર અને ૫. વિસ્મૃતિ થવી, એ પાંચ અતિચારો પૌષધવ્રતને અંગે કહ્યા છે.” ટીકાને ભાવાર્થ-મૂળમાં કહેલા સંસ્કાર, આદાન અને હાન-એ ત્રણ શબ્દોને કંઠસમાસ કરી (ભેગા કરી) એક શબ્દ બનાવ્યું છે, તેથી “અપ્રત્યુપેશ્ય” અને “અપ્રમૃત્ય” એ બંનેને તે ત્રણેયની સાથે સંબંધ છે. અહીં પ્રત્યુપેક્ષણ એટલે નેત્રથી જેવું અને પ્રમાર્જન એટલે ચરવલા, ડંડાસણ કે વસ્ત્રના છેડાથી તેમાંના જીવ વગેરે ઉતરી જાય તે રીતિએ શુદ્ધ કરવું, એ અર્થ છે. સંથારો એટલે પૌષધવાળાને સુવા માટે ડાભ નામની વનસ્પતિ, અગર તૃણઘાસ કે કામળી, યા પાથરવાનું ગરમ વસ્ત્ર (સંથારીયું) સમજવું તથા તેના ઉપલક્ષણથી શય્યા પણ સમજી લેવી. સંથારા પિતાના અઢી હાથપ્રમાણુ લાંબા અને શય્યા પિતાના શરીર પ્રમાણ (સાડા ત્રણ હાથ) લાંબી હોય-એમ બન્નેમાં ભેદ છે. વળી વસતિ(પૌષધનું સ્થાન-પૌષધ ૧૧૮. શ્રીજિનેશ્વરદેવોએ બતાવેલા ધર્મની એવી સુંદર વ્યવસ્થા છે કે-રંક-રાજા, શેઠ-નકર કે ધનિકદરિદ્ર સહુ કોઈ એકસરખી રીતિએ તેનું આરાધન કરી શકે. દેસાવગાસિક વ્રત તેને પૂરાવે છે. જાવજીવ, વર્ષ કે ચેમાસા પૂરતાં પણ લીધેલાં વતેમાં રહેલી વધુ છૂટને આરંભ પણ જીવને ન રહે તે માટે તે તે દિવસ કે સમય પૂરતો પણ તે આરંભ છેડવાની કળા તેમાં સમાયેલી છે. જેમ આખા શરીરમાં વ્યાપેલું સપદિકનું ઝેર મંત્રના જોરે ડંખમાં ખેંચીને ઉતારી શકાય છે, તેમ લાંબે કાળ, અનંત ક્ષેત્ર અને સધળાંય દ્રવ્યોની અવિ. રતિરૂપ પાપ-ઝેરને દેસાવગાસિકરૂપ સંવર-મંત્રથી અમુક કાળ, અમુક મર્યાદિત ક્ષેત્ર અને અમુક વસ્તુઓ પૂરતું જ ટૂંકું કરીને, આખરે તે પાપ-ઝેરથી છવને સર્વથા મુક્ત કરવાનું સામર્થ દેસાવગાસિક વ્રતથી કેળવાય છે. બહુ કાર્યની વ્યગ્રતાવાળો આત્મા પણ વચ્ચે વચ્ચે મળતા બે ઘડી જેવા અલ્પકાળ માટે પણ આ વ્રતદ્વારા પાપમાંથી બચી શકે છે. જેમ વેપારી એક પાઈને પણ મેળ રાખે છે અને નિરર્થક જવા દેતો નથી, તેમ શ્રાવકે પણ ધર્મનું સતત આરાધન ન બને ત્યારે પણ મળેલો છેડો પણ સમય દેસાવગાસિક વ્રતથી સફળ કરવો જોઈએ. વિના કારણે અવિરતિજન્ય કર્મથી આત્માને ભારે કરવો વ્યાજબી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy