SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ [ ધ સંભા. ૧-વિ૦ ર-ગo ૫૬ તે જનારને તેની વિરાધનાની સમજના અભાવે સમિતિનું પાલન ન થવાથી વધુ દોષ લાગવાને પણ સંભવ છે; છતાં વ્રતરક્ષણની બુદ્ધિ હોવાથી અતિચાર માન્યો છે. ૨. આનયન-નિયમિત કરેલી અમુક ભૂમિની બહાર રહેલી કેઈ સચિત્ત, અચિત્ત વગેરે વસ્તુની જરૂર પડયેથી, નેકર વગેરે દ્વારા તેને નિયમિત ભૂમિમાં મંગાવવી, તે પણ “સ્વયં જવાથી વ્રત ભાંગે, માટે બીજા પાસે મંગાવું” એ બુદ્ધિથી મંગાવે, ત્યારે (વ્રતરક્ષણ કરવાની અપેક્ષા હેવાથી) “આનયન” નામને બીજે અતિચાર સમજ. ૩. શબ્દાનુપાતન–દેસાવગાસિક વ્રતમાં પોતે જ્યાં રહ્યો હોય તે મકાન, તેની વાડ કે કોટ વગેરે મર્યાદાની બહાર મારે ન જવું–એમ અભિગ્રહ કર્યો હોય અને પછી કોઈ પ્રયોજન આવી પડે ત્યારે “જાતે મર્યાદા બહાર જઈશ (કે બીજાને બોલાવીશ) તે મારા વ્રતને ભંગ થશે” એવી સમજથી પિતે જઈ શકે નહિ તેમ બીજાને બહારથી બોલાવી પણ શકે નહિ, તેથી વાહ, કેટ કે દરવાજા વગેરેની જે મર્યાદા રાખી હોય તેની અંદરના ભાગમાં રહીને બહાર રહેલા માણસને બોલાવવા છીંક, ઉધરસ વગેરેથી તે નજીકમાં રહેલા માણસને સંભળાય તેમ અવાજ કરે, કે જે સાંભળીને તે બીજે માણસ તેની પાસે આવે, એમ મર્યાદિત ભૂમિની બહારથી બીજાને લાવવાના ઉદ્દેશથી અવાજ કરે, તે “શબ્દાનુપાતન” નામનો ત્રીજે અતિચાર સમજ. (અહીં પણ વ્રતરક્ષાની ભાવના હેવાથી અતિચાર માન્યો છે.) ૪. રૂપાનુપાતન-શબ્દાનુપાતનની જેમ અવાજ નહિ કરતાં પિતાનું રૂપ દેખાડીને બહારથી બીજાને બોલાવ, તે “રૂપાનુપાતન” અતિચાર છે. જેમ કે-નિયમિત ભૂમિ બહારનું કાંઈ પ્રયજન આવી પડવાથી બહારથી બીજાને લાવ હોય, ત્યારે શબ્દ નહિ કરતાં પિતે અહીં છે” એમ જણાવવા માટે સ્વયં તેની સામે તે દેખે તેમ જઈ ઉભું રહે કે આંટા-ફેરા કરે અને તેથી તેને જોઈને તે બહાર રહેલે મનુષ્ય તેની પાસે આવે, એમ પોતે અહીં છે” એ જણાવી બહારથી બોલાવવા છતાં વ્રતને રક્ષણ કરવાની અપેક્ષા હોવાથી અતિચાર છે. (આ ત્રીજે–ચોથે અતિચાર પિતાને કે બીજાને પરસ્પર મળવાની જરૂર પડે ત્યારે પણ એમ કરવાથી લાગે છે ) ૫. પુદ્ગલમેરણુ-પુદ્ગલ એટલે પત્થર, ઈંટ કે એવી કઈ ચીજ બીજાને પ્રગટ થવા તેના તરફ ફેંકવી, તે “પગલપ્રેરણ” નામને અતિચાર છે. અર્થાત-અમુક નિયમિત સ્થાન બહારનું પ્રયોજન પડે ત્યારે ત્યાં નહિ જવાના અભિગ્રહને કારણે જઈ ન શકવાથી ત્યાં રહેલા મનુષ્યનું લક્ષ્ય પિતાની તરફ ખેંચવા માટે પિતે પત્થર, ઢેફાં વિગેરે ફેકે, તેથી બીજે મનુષ્ય મને બોલાવે છે” એમ સમજીને તેની પાસે આવે; એમ જ્યારે પિતે નહિ જવા છતાં પત્થર વગેરે ફેંકીને બીજાને સૂચન કરે, ત્યારે આ પાંચ અતિચાર સમજ. આ પાંચ અતિચારમાં “મેષણ અને આનયન” એ બે અતિચારે તેવી શુદ્ધ સમજણ નહિ હોવાથી અગર સહસાત્કાર વગેરેથી થાય છે અને છેલ્લા ત્રણ માયાવીપણાથી થાય છે, એમ ભેદ સમજ. (આ પાંચેય અતિચારમાં તરક્ષણની બુદ્ધિ હોવાથી અતિચારે છે.) અહીં પૂર્વાચાર્યો કહે છે કે-માત્ર દિગવતને જ સંક્ષેપ નહિ, પણ પાંચે ય અણુવ્રત વગેરે સવ વતેને સંક્ષેપ કરે તે પણ દેસાવગાસિક વ્રત છે, કારણ કે અણુવ્રત વગેરે પ્રત્યેક ઘતેને પણ અવશ્ય સંક્ષેપ કરવો જોઈએ. આની સામે એ પ્રશ્ન છે કે-જે સર્વ વ્રતના સંક્ષેપ. રૂપ દેસાવગાસિક છે, તે તેમાં કહેલા અતિચારે માત્ર દિગવતના સંક્ષેપમાં ઘટે તેવા છે; બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy