SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૨-સામાયિક વ્રતના અતિચારો ] ૩૧ તે તે કાર્યોમાં કુશળપણુ પ્રગટે છે. ’ પાણી પણ એક વાર પડતાં જ પત્થરમાં ઘસારા કરી શકતું નથી. ( સેકડા વર્ષોના વરસાદથી પત્થરામાં પણ ફાટી પડે છે અને ખીણા ખની જાય છે, તેમ અનુષ્ઠાના પણ પરિણામે શુદ્ધ થાય છે. માટે શુદ્ધ ક્રિયા કરવાની ભાવનાએ પ્રથમ અતિચાર લાગે, તે પણ ક્રિયા કરવી એ ન્યાયયુક્ત છે. ) · અવિધિથી કરવા કરતાં નહિ કરવું સારૂ’~એમ કહેવુ' પણ અયેાગ્ય છે, કારણ કે ક્રિયાના અણુગમાથી તેવું ખેલાય છે. કહ્યું છે કે અભ્યાસ છે, તે માત્ર એક જ ભવમાં સુધરી જ જાય તે શકય નથી. મિય્યત્વ દશામાં ધણા ભવા ધ ક્રિયા કર્યો પછી જ પરિણામે સમ્યક્ત્વ કે શુદ્ધ અનુષ્ઠાનો જીવમાં પ્રગટે છે. વર્ષો સુધી અનુષ્કાના કરનારા કાઇ સથા લાભ મેળવતા નથી જ એમ નથી, કર્માંની બહુલતાના યોગે કેટલાકેાને પ્રગટ લાભ ન દેખાય તે પણુ, જેમ પીપર ધુંટાતી જાય તેમ તેના રંગ વગેરેમાં પ્રત્યક્ષ ક્રક નહિ દેખાવા છતાં દિન-પ્રતિદિન તેમાં વધતી જતી તાકાતને–ગરમીને વૈદ્યો સમજી શકે છે, તેમ પ્રગટપણે લાભ ન દેખાય તેવા પશુ ધર્મક્રિયા કરનારાઓને થતા અભ્યંતર લાભો શ્રી જૈનદર્શનના મતે જાણુનારા તત્ત્વજ્ઞાનીએ સમજી શકે છે. શ્રી જૈનદશનના પ્રવાહને ચાલુ રાખવા માટે પણ ક્રિયાએ આવશ્યક છે, ભાવિ પ્રજાનું તે ધન છે. પરંપરાએ એ અનુષ્ઠાનાને, અગમના કે મૂર્તિઓના નાશ થવા છતાં કે મલિન થવા છતાં પણ, ભવિષ્યના યોગ્ય જીવેને વારસામાં જેટલું મળી શકશે તેને પૂર્વોપાર્જિત પુણ્યાયે તેઓ યથાશકથ શુદ્ધ કરી આરાધનાનું સાધન બનાવશે. જો અનુષ્કાનાને છેડી દેવામાં આવે તે શ્રી જૈનશાસનના આજે જ અંત આવે. શ્રી જૈનશાસન તેનાં અનુષ્ઠાનામાં રહેલું છે. સદાયને માટે અનુષ્ઠાનથી ગભરાયેલા જેમ તેનાં કલ્પિત દૂષણે જોઈ ને છેડી દેનારા છે, તેમ હુજારા જીવા આવડે કે ન આવડે તે પણ સ્વયં ક્રિયા પ્રત્યે આદરવાળા પણુ છે, ક્રિયા કરનારાને અનુમે છે અને એ રીતિએ પણ સુંદર લાભ ઉઠાવતા હોય છે જ. અલ્પ પ્રમાણવાળું પણ શ્રી જૈનશાસન જો આજ સુધી જગતમાં પોતાની ઉત્તમતાને ટકાવી શકયું હેાય કે સુવાસને ફેલાવી શકયુ... હાય, તે તેના યશ શ્રીજિનેશ્વરદેવાએ કહેલાં અનુઠ્ઠીતેને સેવનારાએના ફાળે જાય છે. એને અથ એ નથી કે–આંખો મીંચીને ગમે તેમ કર્યે જ રાખવું. શુદ્ધિને માટે શકય ઉપાય-ઉદ્યમ કરાવક દરેક અનુષ્ઠાના કરતા રહેવું એ જૈન શાસ્ત્રોનું મન્તવ્ય છે, માટે ભૂલવાળાએને સુધારવા સહાય કરવી તે આપણું કર્ત્ત બ્ય છે; પરન્તુ હૃદયની સૂગથી તેએની નિદા કરીને, પા આપીને કે ગુસ્સો કરીને ક્રિયાએથી ભ્રષ્ટ કરવાને પ્રયત્ન કરવા, તે ક્રિયા કરનારાઓને કે જૈનશાસનને જ નહિ પણ. પોતાના આત્માને ય ભારે દ્રોહ છે. આજ સુધી તેમ કરનારાઓએ, અનુષ્ઠાનને શુદ્ધ કરવાની ભાવના છતાં માગ ઊલટા આદરવાથી અનુષ્ઠાનને ઘટાડયાં છે અને તે તે પ્રાય: અનુષ્ઠાનથી તદ્દન વંચિત રહ્યા છે. જગતમાં બધાં જ બધું શીખીતે જન્મતાં નથી, વ્યાપારી દરેક ધનવાન થતા નથી, ખેતી કરે તે સહુ પાક મેળવતા નથી, ભણે તે બધા પંડિત થતા નથી, ધડ્ડાય જનમ્યા પછી તરત મરે છે, પરણતાં જ રાંડે છે, ખાવાથી રાગી થાય છે અને વહાણા, સ્ટીમરા કે વિમાનેામાં કેટલાય નાશ પામે છે. અગ્નિથી ધરા, ગામા અને માણસા પણ બળાતે મરે છે, છતાં વેપારી-ખેતી—વિદ્યાભ્યાસ–સંતાન પેદા કરવાં-પરણવું-ખાવું-વહાણા, રેવે કે વિમાના વગેરેમાં બેસવું, એ સળુ ય ચાલુ જ છે; કારણ કે-ત્યાં આશાવાદ છે. ધર્મોનુષ્કાનામાં પણ એ જ બુદ્ધિ હૈાવી આવશ્યક છે. આજે નહિ તેા કાલે, આ ભવે નહિ તે ભવાન્તરે, પણ અનુજાનાથી આત્માની શુદ્ધિ વિકાસ થવાના છે, એ ભાવના તારક છે. શાસ્ત્રોમાં મિથ્યાત્વ દશામાં પણુ અભ્યાસના ઉદ્દેશથી સમ્યક્ત્વની, શ્રાવકપણાની કે સાધુપણાની ક્રિયાએ કરવાનું વિધાન કરેલું છે; કારણ કે-સમ્યક્ત્વ, શ્રાવકપણું કે સાધુપણું–એ પ્રત્યેક ગુણા તે તે ક્રિયાઓદ્વારા કમના ક્ષયાપશમ ભાવ થતાં આત્મામાં પ્રગટે છે, એ અવસ્થામાં કરાતાં અનુષ્ઠાનાથી પણ સમ્યક્ત્વ વગેરે ગુણાને રાકનારાં કમાંના ક્ષયાપશમ થાય છે અને તેથી તે તે ગુણી પ્રગટ થાય છે. જેમ ધ્વા રાગાવસ્થામાં આવસ્યક છે, તેમ તે તે ગુણાને પ્રગટ કરનારાં અનુષ્ઠાના પણ તેની પૂર્વાવસ્થામાં કરવાનાં જડાય ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy