________________
પ્ર. ૨-ભોગપભેગo અતિચારમાં ૧૫ કર્માદાને ]
૩૧૫ “ સર સર –fસ- રધુવર ” ( વોરા, ૪૦ ૩-૨૨૪) ભાવાર્થ-“સરેવર, નદીઓ કે ધરાઓ (કહે) વગેરેના પાણીનું શોષણ કરવું, તે સરશેષણ કહેવાય છે. ”
અહીં દાવ્યા વિનાનું (જંગલનું) જળાશય તે સરોવર અને જમીન ખોદીને બંધાવેલું તે તળાવ-એમ ભેદ સમજ. (ખેતી કે માછલાંના વ્યાપાર માટે પાણી સુકવવાં, મીઠું બનાવવા પાણીના અગર સુકાવવાં કે માછલાને પકડી સુકાવીને વેચવાં, વગેરેને આ કર્માદાનમાં ગણી શકાય.) આમાં પાણી સુકાવવાથી અપકાયના જી તથા તેમાં રહેલા પોરા, જળ, માછલાં વગેરે બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ત્રસ જીવેને મેટા પ્રમાણમાં નાશ થાય છે તથા તે પાણી
જ્યાં જાય ત્યાં પણ અસંખ્ય જીવેનો નાશ થાય છે, ઈત્યાદિ આ કર્માદાનમાં છએ કાયના જીવોની મોટી હિંસા થાય છે.
૫. અસતીષણ-અસતી એટલે દુરાચારિણી સ્ત્રીનું, તથા “હિમતત્રમ્' અર્થાતકેટલાક શબ્દોનું લિંગ અનિયત હોય છે એ ન્યાયે અહીં પુરુષ લિંગવાળા પણ પિોપટ, સુડા, કતરા વગેરે હિંસક જીવોનું પિષણ કરવું, તેને “અસતીપોષણ” કહ્યું છે. અર્થાતુ-પિપટ-મેનામોર-બિલાડાં-માંકડાં–કૂતર-ભુંડ વગેરે પશુઓનું પિષણ કરવું તથા ભાડું ઉપજાવવા માટે (ગલ દેશમાં રિવાજ છે તેમ વ્યભિચારિણી) દાસીને રાખવી–પિષવી, એમ હિંસક કે દુરાચારિઓનું પાલનપોષણ કરવું, તે પાપના પિષણરૂપ હોવાથી મોટા દોષરૂપ છે.૧ ૧ ૩
એમ આ પંદરે ય “કર્મ આવવાનાં કારણે-કર્માદાને ભેગપગ૫રિમાણ વ્રતના અતિચારરૂપ હોવાથી શ્રાવકે અવશ્ય વજેવાં જોઈએ. અહીં માત્ર પંદર કર્માદાને કહ્યા તે દિશાસૂચન તરીકે જાણવાં, ગણનારૂપે નહિ, કારણ કે-બીજા પણ એવાં પાપકર્મો ઘણું છે.
બીજા દરેકમાં પાંચ પાંચ અને સાતમા વ્રતમાં કુલ વીસ અતિચારો કહ્યા, તેમાં કારણે ( તાત્પર્ય એ છે કે--બીજા વ્રતોમાં પાંચ પાંચ કહ્યા તે તેટલા જ માત્ર નથી, પણ તે તે અતિચારોની જેવાં વ્રતના પરિણામને કલુષિત કરનારાં બીજાં કાર્યોને પણ અતિચારરૂપે ગણવાં, અર્થાત પાંચથી પણ વધુ અતિચારે સમજવા; એથી વિસ્મૃતિથી કે અજાણપણે ભૂલ થાય, વગેરે પણ યથાયોગ્ય સર્વ વ્રતમાં અતિચારે જાણવા. આ હેતુથી જ આ વ્રતમાં રાત્રિભોજન કે દારૂપાન વગેરેને ત્યાગ કરવા છતાં, જે તે થઈ જાય તે તેને પહેલાં કહ્યા તે ભેજન આશ્રિને પાંચ અતિચારમાં ગણાવ્યા છે. ઉપાશક દશાંગ સૂત્રની ટીકામાં કહ્યું છે કે-“આ દરેક વ્રતમાં જે પાંચ પાંચ અતિચારો કહ્યા તે તેટલી જ સંખ્યામાં છે એમ નિયમ માનવ નહિ, કિન્તુ ઉપલક્ષશુથી બીજા પણ અતિચારો જાણવા, અર્થાત્ પાંચ પાંચ જ અતિચારો છે એમ સમજવું નહિ. કેમ કે-૧૧ *પૂજ્યપાદે કહ્યું છે કે( ૧૧૩. ધંધા-કમાણ માટે વ્યભિચારી દાસીઓ, વેશ્યાઓ કે નપુંસકાને પાળવાં, ઘર કે ઘરના સામાનની રક્ષા–ચોકી માટે કતરાં-બિલાડાં વગેરે પાળવાં, કુતૂહલ માટે પોપટ-મેના-તેતર-વાંદરાં વગેરે પાળવાં. સરકશે માટે રીંછ–વાધ-ચિત્તા–સિંહ વગેરે કેળવવા કે સરકસથી અથવા મદારીના ધંધાથી આજીવિકા મેળવવી; એ દરેક અસતીષણમાં ગણાવી શકાય ? પરંતુ પિતાના કુટુંબમાં-ઘરમાં કોઈ અતિ પાપી કે દુરાચારી પાકે, તે ઔચિત્યને સાચવવા કે ભવિષ્યમાં સુધરશે એવી આશાએ તેને પાળવા-સંભાળવામાં દોષ નથી.
૧૧૪. પૂજ્ય શબ્દથી શ્રીઉપાશકદશાંક સૂત્રના ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજે ત્યાં પિતાના ગુરુ શ્રીજિનેશ્વરસૂરીશ્વરજી મહારાજને નિર્દેશ કર્યો સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org