SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ [ ધ સં. ભા. ૧-વિ. ૨-ગા૫૩. ( પિગંતુHવવિ, વાણિજો સરેરાયો.” (થોરારજૂ કo રૂ-૨૦૧) ભાવાર્થ-“બે પગવાળાં (મનુષ્ય વગેરે) તથા ચાર પગવાળાં પશુઓને વ્યાપાર, તે કેશવાણિજ્ય છે. (અન્ય ગ્રંથમાં વાળ, ઊન, ચામર વગેરેના વ્યાપારને કેશવાણિજ્યમાં ગણાવ્યું છે. કન્યાવિક્રય, વરવિકય કે સાટાં-પટાં કરવાં તે પણ આમાં ગણી શકાય.)” આ બે કે ચાર પગવાળાં પ્રાણિઓના વ્યાપારમાં પણ તેઓને પરાધીનતાની–મારની કે બંધન વગેરેની પીડા, તથા ભૂખ-તરસ વેઠવા, વગેરે દુઃખ ભોગવવાં પડે છે. તેઓના વાળ, ઊન, ચામરનાં પુચ્છ, વગેરે અજીવ અવયના વ્યાપારને દંતવાણિજ્યમાં અને તે તે જેના વ્યાપારને કેશવાણિજ્યમાં ગણવે. ૫. વિષનો વ્યાપાર-વિષ એટલે હરકોઈ પ્રકારનાં ઝેર અને અર્થપત્તિથી છવઘાતક શસ્ત્રો વગેરે પણ સમજવાં. એટલે કે-દરેક જાતિનાં ઝેરને તથા તલવાર, બંદૂક, કટાર, ભાલા, શુળી વગેરે જીવઘાતક શસ્ત્રને અને કૌશ, કુહાડા, પાવડા, કેદાળી વગેરે લેઢાનાં હિંસક સાધનેને કે હળ વગેરેને વ્યાપાર, તે “વિષવાણિજ્ય અતિચાર જાણ. તેમાં ઝેરે, વછનાગ, હડતાલ, સેમલ વગેરે ઝેરી ચીજો તથા શો વગેરે જીવઘાતક છે એ જગપ્રસિદ્ધ છે, પાણીથી ભીંજાયેલી હડતાલમાં માખી વિગેરે પડતાની સાથે જ મરે છે, તેમ જ સોમલ કે તેવા ક્ષાર વગેરે ખાવાથી બાળકે પણ મરી જાય છે. ઝેર વગેરેના વ્યાપારને અન્યદશની પણ નિષેધ કરે છે. કહ્યું છે કે વન્યાધિથિurશૈવ, વણિતથા I. વિવિધળવિ, નર નામિનદ છે ?” ભાવાર્થ-“કન્યાવિક્ય કરનારા (કરાવનારા), રસને વ્યાપાર કરનારા અને ઝેરને વ્યાપાર કરનારા મનુષ્યો નરકગતિમાં જાય છે.” યોગશાસ્ત્રમાં તે પાણી ખેંચવાના રંટ ૧૧(અરઘટ્ટ)ના વ્યાપારને પણ વિષવાણિજ્યમાં ગણાવ્યું છે. જુઓ તે પાઠ fપાડાત્રાળ-સ્તિાવિવસ્તુના વિપો વિતત્રણ, વિવાળિm| I” (રહ્યo૩ -૨૨૦) ૧૧૧. એરો-સોમલ વગેરે ખનીજ વિષ, સાપ વગેરેનાં પ્રાણિજ વિષ, વછનાગ વગેરે વનસ્પતિજન્ય વિષ તથા ઝેરી દવાઓ, કૉફોર્મ, ઝેરી ગેસ કે ઓછી-વધુ અસર કરનારાથી માંડીને કાતિલ અસર કરનારાં દરેક જાતિનાં હળાહળ, એ બધાંય રે; હડકાયા કુતરાની લાળમાંથી હડકવા માટે, કોલેરાની ઉલટીમાંથી કેલેરા માટે, પ્લેગની રસીમાંથી પ્લેગ માટે, કે સાપના ઝેરમાંથી ઝેરના નાશ માટે,-એમ ઘણું જીવોને રીબાવી રીબા. વિીને બનાવાતાં ઈ-કસને; જીવતા જીવોને રીબાવીને-તેઓનાં લેહી વગેરે ખેંચીને તેમાંથી બનાવેલી કઈ કઈ દવાઓ; એ દરેક પણ એક ઝેરરૂપ જ છે; માટે એવા પદાર્થોને વ્યાપાર કે ડૉકટરને ધધ કરે, એ વિષવાણિ જ્યમાં સમજવું જોઈએ. (આવી દવાથી કદાચ પ્રાથમિક લાભ થાય, તે પણ શરીરનાં મૂળ તો ધાતુઓને પલટ થવાથી હાર્ટ ફેઈલ, પાગલપણું વગેરે મેટાં નુકશાન થાય છે. શરીરના દરેક રોગેનું મૂળ લોલુપતા છે અને દરેક રંગની સાચી દવા ઉપવાસ-આયંબીલ કે પરેજી છે. ) તોપ–ભશીનગને–પીસ્તાલે-તમંચા–બરછી -કરવત વગેરેને વ્યાપાર પણ વિષવાણિજ્યમાં જ ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy