SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસભ્યત્વના અતિચારે, ૩૬૩ પાખંડીઓ ] (ગોરોચંદન, અંબર, સાબરશીંગ, હરણશીંગ વગેરેને વ્યાપાર પણ આમાં ગણાય છે.) ૨. લાખ વ્યાપાર–લાખ શબ્દથી લાખ અને જેમાં જીવહિંસા અધિક છે તેવા “ધાતકીવૃક્ષની છાલ-ફેલ વગેરે પદાર્થો જેમાંથી દારૂ બને છે તે, ગળી, મનશીલ, વાલેપ, ફટકડી, પડો પાંદડી, તથા ટંકણખાર, સાબુ વગેરે ક્ષારો, એ દરેક પદાર્થો સમજવા. આવી ચીજોના વ્યાપારને “લાક્ષાવાણિજ્ય” નામને અતિચાર કહ્યો છે. કહ્યું છે કે " लाक्षामनःशिलानीली-धातकीटकणादिनः।। વિશ્વ પાપન, ઝાલાવડિયમુખ્યત્તે ? ” (વારાણ, બ૦ રૂ-૧૮) ભાવાર્થ–“લાખ, મનશીલ, ગળી, ધાતકી, ટંકણખાર તથા આદિ શબ્દથી સંકુટ વગેરે ચીજોને વ્યાપાર અતિ પાપનું કારણ હેવાથી તેને “લાક્ષાવાણિજ્ય” નામને અતિચાર કહ્યો છે. (હડતાલ, અત્તર, ભાંગ, ગજે, ચડસ, હા, તમાકુ, બીડી, સીગારેટ, અફીણ, કૅફી, ફોડવાના દારૂ, પિટાશ, ઍમ્બગોળા વગેરેને વ્યાપાર પણ આમાં ગણાય છે. એ વસ્તુઓને બનાવવામાં તથા વાપરવામાં ઘણી હિંસા થાય છે.)” એમાં લાખમાં ઘણા ત્રસ જીવે હોય છે તથા તેને રસ લોહીના વર્ણ જે હોવાથી તેને વ્યાપાર કરનારના પરિણામ નિર્વસ થાય છે, ધાતકીના ઝાડની છાલ તથા ફૂલમાંથી દારૂ બને છે કે જે અનેક જીના ઘાતનું કારણ છે, તેના રસમાં પણ ઘણું કૃમિયા (કીડા) થાય છે, ગળી બનાવવામાં ઘણા જીવેને ઘાત થાય છે, મનઃશીલ અને વજપમાં ઉડતા વગેરે બીજા છ પડતાં જ મરી જાય છે, ફટકડીમાં પૃથ્વીકાયપણું હોવાથી તે જીવની હિંસા થાય છે, પોપાંદડીમાં ઘણું ત્રસ જી હોય છે, તેમ જ ટંકણખાર, સાબુ વગેરે ક્ષારોથી બીજા અનેક ત્રસ–સ્થાવર જીવને ઘાત થાય છે. એમ એ દરેક ચીજું ઘણું જીવોની હિંસાનું કારણ હોવાથી તેવા વ્યાપારને અતિચાર કહ્યો છે. ૩. રસનો વ્યાપાર–રસ એટલે મધ, દારૂ, માંસ, માખણ, ચરબી, મજજા (શરીરના હાડકામાં થતે ચીકણે ધાતુ), દૂધ, દહીં, ઘી, તેલ વગેરે રસવાળા પદાર્થો, તેને વ્યાપાર તે “રસવાણિજ્ય અતિચાર. અહીં માખણમાં (છાશથી છૂટું પડતાં લઘુ અંતર્મુહૂર્તામાં જ ) અસંખ્ય જી ઉપજે. છે, ચરબી અને મધ હિંસાથી જ પ્રાપ્ત થાય છે. દારૂ ઉન્માદકારક છે અને તેમાં ઉપજતા અનેક કમિ જીવને ઘાત થાય છે, દૂધ વગેરે પ્રવાહી વિગઈઓમાં પડતા-ઉડતા વગેરે જાને નાશ થાય છે. દહીં જમાવ્યું ત્યારથી બે દિવસ (બે રાત્રિ ) પૂર્ણ થતાં જ અસંખ્ય જીવે ઉપજે છે, વગેરે રસે અનેક જીની હિંસાનાં કારણે છે. કહ્યું છે કે “નવનીતવાદ્ર-મગ્રસૃત્તિવિવઃ ” ( શાસ્ત્ર, p. -૨૦૨) ભાવાર્થ-“માખણ, ચરબી, મધ, દારૂ, મજજા વગેરેનો વ્યાપાર તે “રસવાણિજ્ય અતિચાર છે. (દરેક જાતિના આસ, સ્પીરીટ, તેજાબ, મુરબ્બા, અથાણાં, ફીનાઈન વગેરેને વ્યાપાર પણ આમાં ગણાય છે.)” ૪. કેશને વ્યાપાર-અહીં કેશ એટલે ઉપલક્ષણથી “કેશવાળા જીવો” સમજવા. તેથી દાસ-દાસી વગેરે મનુષ્ય અને ગાય, ઘોડા, ઘેટાં, ઊંટ, બકરાં વગેરે કેશવાળાં પશુઓને વ્યાપાર કરે, તે “કેશવાણિજ્ય અતિચાર છે. કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy