SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ [ ધ સંભા. ૧-વિ૦ ૨-ગાહ પ૨-૫૩ કુવા વગેરે ખોદાવવા, હળથી જમીન ખેડવી, પર્વતે કે ખીણોમાંથી પત્થરે કઢાવવા, વગેરે સ્ફોટકકર્મ ” અને તે દ્વારા આજીવિકા ચલાવવી તે ફેટકકર્મજીવિકા ” સમજવી. કહ્યું છે કે " सरःकूपादिखनन-शिलाकुट्टनकर्मभिः । fથવ્યામધૂર્ત-Íવને રવિવI ? ” (રાહ્મ, ૨૦૬) ભાવાર્થ_“સરોવર-કુવા-તળાવ વગેરે ખેદવાં, હળ ખેડવાં, પત્થરો ઘડવા કે ખીણમાંથી કાઢવા વગેરે પૃથ્વીકાય જીવોની હિંસા થાય તેવાં કાર્યોથી આજીવિકા મેળવવી, તે “ટકજીવિકા” સમજવી. (ઉપલક્ષણથી સોના-ચાંદી–હીરા–કેલસા-પત્થર-માટી વગેરેની ખાણે દાવવી, કેરોસીન વગેરેના કુવા–બેરીગો-પંપ વગેરે ખેદાવવાં-ગળાવવાં વગેરેને પણ આમાં ગણવાં.)” આ ફેટક-કર્મમાં પૃથ્વીકાય, વનસ્પતિકાય અને ત્રસકાય વગેરે ની મોટી હિંસા થાય છે એ સ્પષ્ટ દેષ છે. વંદિત્તસૂત્રની ટીકામાં અનાજ(ધાન્ય-કણ)ને દળવાં–શૂરવાં ઈત્યાદિને પણ ટકકર્મમાં ગણ્યાં છે. એ પ્રમાણે પાંચ “કમનું વર્ણન કરીને, મૂળ (બાવનમી) ગાથાના ઉત્તરાદ્ધમાં શાળિયા' વગેરે પાઠથી કહેલાં વ્યાપારરૂપ પાંચ કર્માદાનેનું વર્ણન કરે છે. મૂળ ગાથામાં કહેલો “માતા” શબ્દ દાંત વગેરે દરેક શબ્દની સાથે સંબંધવાળે હોવાથી “સંતતિ ” એટલે “દાંત વિષયક” “વાણિજય એટલે વ્યાપાર' અર્થાત દાંતનું ખરી દવું–વેચવું વગેરે અર્થ સમજ. એ પ્રમાણે લાખ વિષયક વ્યાપાર, રસ વિષયક વ્યાપાર, કેશ વિષયક વ્યાપાર અને વિષ વિષયક વ્યાપાર,-એમ સઘળે શબ્દજના કરવી. તેમાં– ૧. દાંતનો વ્યાપાર-હાથીદાંત, ઉપલક્ષણથી બીજા પણ ત્રસ જીવેના શરીરના અવયવો, જેવાં કે-ઘુવડ વગેરેના નખ, હંસ વગેરેનાં રૂવાટાં, ચિત્તા વગેરેનાં ચામડાં, ચમરી ગાયનાં ચામરશીંગડાં, સમુદ્રના શંખ-છીપ-કેડા વગેરે કે કસ્તૂરી–પાહિસક વગેરેને વ્યાપાર કરે, તે દરેક દંતવાણિજ્ય કહેવાય છે. અહીં એટલું વિશેષ છે કે-વ્યાપાર માટે આ દાંત. નખ વગેરે જ્યાં જ્યાં મળતા હોય ત્યાં જઈ ખરીદવાથી અતિચાર લાગે છે, કારણ કે ત્યાં જઈને ભલ્લ વગેરે તે તે વસ્તુઓના વેચનારાઓને પહેલાંથી જ મૂલ્ય આપી બંધન કરે કે–ત્યારે આટલો માલ અમુક મુદતમાં આપ” એથી તે લેકે, “શેઠ હવે માલ લેવા આવશે ” એમ સમજી, તે તે જીવને મારીને તે વસ્તુઓ ભેગી કરે, અગર પહેલાંથી ભેગી કરી રાખેલી ચીજો પણ ત્યાં જઈને ખરીદવાથી તેઓ બીજી ભેગી કરવા માટે હિંસા કરે, એમ ત્યાં જઈ ખરીદવામાં ત્રસ જેની હિંસા પ્રત્યક્ષ હોવાથી અતિચાર છે. અન્ય સ્થળેથી તે ચીજો ખરીદવામાં–વેચવામાં અતિચાર નથી. કહ્યું છે કે હુન્ત-શ–નવસ્થિ––ો પ્રમાણે ત્રના વળિયા, ત્તવાળિયપુરે છે ? ” યોજાશક, ૦૨-૦૭) ભાવાર્થ–“દાંત, કેશ, નખ, હાડકાં, ચામડાં, વાળ વગેરે ત્રસ જીવેના અંગોને તેના ઉત્પત્તિસ્થાને જઈ વ્યાપાર અર્થે ખરીદ કરવાં, તેને દંતવાણિજ્ય (નામને અતિચાર) કહે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy