SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ૨-ભાગાપભાગ પરિમાણ વ્રતના અતિચારે ] ૩૫ ' ધાણા વગેરે સમિશ્ર વસ્તુ અજાણતાં કે ઉતાવળથી ખવાઈ જાય, ત્યારે સચિત્તના ત્યાગીને અતિચાર લાગે, અથવા તા તુતના દળેલા કાચા લેટ, દાળા, વગેરે જેમાં નખીયાં વગેરે સચિત્ત અશા રહેવાના સંભવ છે, તેવી વસ્તુને ‘ આ તા દળેલું-ભરડેલું. હાવાથી અચિત્ત છે’–એમ સમજીને વાપરે, ત્યારે સમિશ્ર છતાં વ્રતરક્ષાની ભાવના હાવાથી અતિચાર ગણાય. ચાથા અતિ ચાર ‘ અભિષવ આહાર' નામના છે. અભિષવ એટલે અનેક દ્રવ્યે ભેગાં કહેાવડાવીને તેમાંથી કાઢવામાં આવતા અનેક જાતિના રસેા (આસવા ), દરેક જાતિનાં માંસ અને ખાંડ+ વગેરે તથા દારૂ-તાડી વગેરે માદક રસ જેમાંથી ઝરતા હોય તેવાં મહુડાં વગેરે વી(વિકાર )ની વૃદ્ધિ કરનારી ચીજો; એ અજાણતાં કે સહુસાત્કાર વગેરેથી ખવાઈ જાય, ત્યારે ( સજીવ ) સાવદ્ય આહારના ત્યાગી-વ્રતધારીને અતિચાર લાગે. ( ઈરાદાપૂર્વક વાપરવાથી વ્રતભંગ થાય.) પાંચમા અતિચાર ‘ દુષ્પકવાહાર ’ નામના છે, તેમાં અર્ધા સેકાયેલા પાંખ, અડધા રધાયેલા તાંદળજો, એમ અર્ધા રધાયેલા જવ-ઘઉં, અડધા પકાવેલા જાડા મંડક ( રૈટલે ) કટુક એટલે કારડુ મગ વગેરે રાંધવા છતાં કાચાં રહે તેવાં કઠોળ, અડધાં પાકેલાં ફળે; વગેરે અડધી કાચી વસ્તુ આ ભવમાં પણ રાગ-વ્યાધિ વગેરે શારીરિક દોષાનુ' કારણુ બને છે અને જેટલા અશમાં ચિત્ત હાય તેટલા અંશમાં પરલેાકને પણ ખગાડે છે. અર્થાત્ તેથી થતા પાપનાં ફળેા પરલાકમાં ભાગવવાં પડે છે. આ અર્ધા પાકેલા પેખ વગેરેમાં કાંઈક ભાગ સચિત્ત અને કાંઇક ભાગ પાકેલા ડાવાથી અચિત્ત હાવાના સંભવ છે, છતાં અચિત્તની બુદ્ધિએ ખાનારને અતિચાર જાણવા. કેટલાક તે અપા હાર૧૧૦ એટલે સર્વથા કાચી વસ્તુને ખાવાથી પણ અતિચાર કહે છે, પણ તે અગ્નિથી નહિ પકાવેલી સર્વથા સચિત્ત હાવાથી પહેલા અતિચારમાં આવી જાય છેજ કેટલાક ‘તુચ્છ ઔષધિ ભક્ષણ ’ નામના અતિચાર પણ કહે છે, પરન્તુ મગ વગેરેની કુમળી શીંગા ( ફળીયા ) વગેરે તુચ્છ ઔષધિઓ જો સચિત્ત હાય તા પહેલા અતિચારમાં ગણાય અને અગ્નિ વગેરેથી અચિત્ત થયેલી હોય તે તેમાં કાઈ દોષ જણાતા નથી. એ પ્રમાણે રાત્રિભોજન, દારૂપાન, વગેરે જે જે અભક્ષ્યાદિના ત્યાગ કર્યાં હાય, તે તે અજાણતાં કે ઉતાવળમાં ભૂલથી વપરાઈ જાય તે અતિચાર સમજવા. આ વર્ણન તત્ત્વાર્થસૂત્રની ટીકાને અનુસારે સમજવું, આવશ્યકસૂત્ર, પચાશક વગેરેની ટીકાઓમાં તા અપાહાર, દુષ્પાહાર અને તુચ્છઔષધિભક્ષણને અનુક્રમે ત્રીજો, ચેાથે અને પાંચમે અતિચાર કહ્યો છે. તેમાં તેઓ નીચે પ્રમાણે સમાધાન આપે છે. પ્રશ્ન—નહિ પકાવેલી ઔષિધ વગેરે ( અપાહાર), જો તે સચિત્ત હાય તા પહેલા અતિચારમાં આવી જવાથી જુદો અતિચાર ગણવા અસંગત છે અને અચિત્ત હોય તે તેને ખાવામાં દોષ નથી, માટે અતિચાર કેમ લાગે ? ઉત્તર્–પ્રશ્ન વ્યાજબી છે, પણ સચિત્ત અને સચિત્ત-પ્રતિષદ્ધ આહાર, એ અને અતિચાર સચિત્ત કદ—મૂળ કે કળા વગેરેને અંગે અને અપાાર વગેરે ત્રણ અતિચારો શાલી ( ડાંગર ) વગેરે ધાન્યાને અગે છે. એમ ખ'નેના વિષયલેટ્ટે ભેદ છે. આથી જ સૂત્રકારે પણ મૂલ (વર્દિત્તા ) + પ્રાચીનકાળે આવતી હતી તે પરદેશી ખાંડ સમજાય છે. ૧૧૦. શ્રીવ ંદિત્તુસૂત્રની ટીકા વગેરેમાં અને શ્રાવક–અતિચારમાં પણ તે અતિયારે ગણ્યા છે. ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy