________________
૩૦૪
[ ધ સં૦ ભાવ ૧-વિo –ગ ૪૦ તીર્થયાત્રાદિ ધમરાધન નિમિત્તે તે નિયમ ઉપરાન્ત પણ સાધુની જેમ સમિતિના પાલન પૂર્વક જાય તે દેષ નથી, કારણ કે-નિયમ કરવામાં ધન-ધાન્યાદિ વગેરે ઈહલેકનાં કાર્યો માટે ન જવું–આવવું, એ ઉદ્દેશ હોય છે. એમ દિગવિરમણ વ્રતના પાંચ અતિચારે કહ્યા. હવે બીજા “ભગપગપરિમાણ” ગુણવતના અતિચારો કહે છે.
–“સચિત્તeતતિવા, સંમોમિષવસ્તથા
दुष्पक्वाहार इत्येते, द्वतीयीके गुणवते ॥ ५० ॥" મૂલાર્થ_“૧. ચિત્ત એટલે સજીવ, ૨. સજીવની સાથે વળગેલું. ૩. કંઈક અશે સચિત્ત અને કંઈક અંશે અચિત્ત-મિશ્ર, ૪. ઘણી વસ્તુઓ મેળવીને કાઢેલા સર્વે--આસ વગેરે, તથા ૫. અધું કાચું-પાકું,-એમ પાંચ પ્રકારની વસ્તુઓને ઉપયોગ કરે, તે પાંચ અતિચારે બીજા ગુણવ્રતને અંગે કહ્યા છે.”
ટીકાને ભાવાર્થ–૧. ચિત્ત એટલે ચેતના-જીવ, તેની સાથે રહેલું, અર્થાત જીવયુક્ત હોય તે “સચિત્ત” કહેવાય, ૨. તેવા સચિત્તની સાથે વળગેલું–જોડાયેલું “સચિત્ત પ્રતિબદ્ધ ” કહેવાય, ૩. કંઈક અંશમાં સચિત્ત અને કંઈક અંશમાં અચિત્ત એવી સજીવ-નિર્જીવ વસ્તુ
સંમિશ્ર” કહેવાય, ૪. અનેક ચીજોને મેળવીને બનાવેલા આસ વગેરે “અભિષવ” કહેવાય અને પ. પૂર્ણ પાકયું ન હોય તે “દુષ્પકવ” કહેવાય. એ પાંચ પ્રકારની ચીજોને આહાર કરે તે બીજા ગુણવ્રતના પાંચ અતિચારો છે. તેમાં સચિત્ત એટલે કંદ, મૂળ, ફળો વગેરે, તથા પૃથ્વીકાય (સચિત્ત મીઠું), જળ વગેરે સમજવાં. (દરેક જાતિનાં આખાં-કાચાં અનાજ વગેરે સઘળું સચિત સમજવું.) જે કે-આ સચિત્ત વગેરે પાંચેય પ્રકારની વસ્તુઓને ત્યાગ (નહિ વાપરવાને નિયમ), કર્યો હોય, તે તે વાપરવાથી વ્રતભંગ જ થાય, છતાં અહીં અજાણતાં, ઉતાવળથી કે વગર વિચાર્યે વાપરવાથી, અથવા તે તે વાપરવાની ઈચ્છા કે પ્રવૃત્તિ વગેરે અતિ ક્રમ-વ્યતિક્રમાદિ કરવાથી અતિચાર ગણાય છે એમ સમજવું. તેમાં પણ જેણે સર્વથા ત્યાગ કર્યો હોય તેને તેવી રીતિએ સચિત્ત વપરાઈ જવા વગેરેથી કે જેણે સચિત્તનું અમુક પરિમાણ રાખ્યું છે તેને પરિમાણથી વધારે વપરાઈ જવા વગેરેથી “સચિત્ત આહાર” નામને પહેલે
અતિચાર લાગે. બીજે અતિચાર “સચિત્ત-પ્રતિબદ્ધ આહાર” નામને છે. તેમાં “સજીવ વૃક્ષો વગેરેમાં વળગેલે ગુંદર વગેરે, અચિત્ત થઈ ગયેલાં વૃક્ષોને વળગેલાં પાકાં ફળ વગેરે, તથા જેની અંદર બીજ, ગોટલી વગેરે સચિત્ત હોય તેવાં ખજૂર, કેરી, વગેરે” (ઉપલક્ષણથી લંબમાં વળગેલાં પાકાં કેળાં, બીજવાળી પાકી રાયણ, બીજવાળાં પાકાં ફળ, વગેરે) દરેક સચિત્ત–પ્રતિબદ્ધ છે, તે સચિત્તના ત્યાગીને, અનાગ વગેરેથી એટલે કે-અજાણતાં, ઉતાવળથી કે ભૂલી જવા વગેરેથી ખવાઈ જાય, ત્યારે સાવદ્ય(સજીવ)ને ઉપગ થવાથી અતિચાર લાગે, અથવા તે ચિત્તનો ત્યાગી “ બીજે સચિત્ત ભાગ ફેંકી દઈ ગર્ભને ભાગ અચિત્ત છે તે ખાઈશ”—એમ વિચારી પાકેલી ખજૂર વગેરેને કે ફળને મુખમાં નાખે ત્યારે (વ્રતની અપેક્ષા હોવાથી) અતિચાર લાગે, એ “સચિત્ત-પ્રતિબદ્ધ આહાર” અતિચાર કહ્યો. ત્રીજે અતિચાર “સંમિશ્ર આહાર” નામને છે. તેમાં અડધું ઉકળેલું (ત્રણ ઉકાળા વિનાનું પાણી વગેરે, લીલાં દાડિમ-બીજોરાં–ચીભડાં વગેરે સચિત્ત નાખીને બનાવેલાં પૂરણ વગેરે, અથવા સચિત્ત તલથી મિશ્ર થયેલા અચિત્ત જવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org