SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ [ ધ સં. ભા. ૧-વિo ૨-ગo ૪૮-૪૯ થાય, છતાં પિતે સમજે છે કે–મેં નિયમ ઉપરાન્ત રાખ્યું નથી તેથી મારું વ્રત અખંડ છે, એમ ભંગાભંગરૂપ અતિચાર જાણ. ચોથા પ્રકારમાં “ગર્ભ નહિ ગણવાથી” અતિચાર થાય છે. જેમ કે-કેઈએ વર્ષ—બે વર્ષ વગેરે અમુક સમય પૂરતે અમુક સંખ્યાથી વધારે ગાય કે ભેસે વગેરે નહિ રાખવાં; એ નિયમ કર્યો, પછી તે વિચારે કે-હાલમાં જે ગાય કે ભેંસ વગેરેને ગર્ભ રહેશે, તે નિયમની મુદત પૂર્ણ થતાં પહેલાં વાછરડાં કે પાડાં વગેરેને જન્મ થવાથી મારા વ્રતમાં વાંધે આવશે, માટે અમુક મુદત પછી ગર્ભવાળા બને તે પ્રસવ મડે થવાથી નિયમને બાધ આવે નહિ, એમ વિચારી કેટલાક કાળ પછી ગભ ગ્રહણ કરાવે એમ કરવાથી ગર્ભમાં તે તે વાછરડાં વગેરે હાય તેથી વ્રત ભાંગે, છતાં બહાર પ્રત્યક્ષ નહિ હોવાથી તે માને છે કેમારે તે નિયમની સંખ્યાથી વધારે સંગ્રહ નથી, માટે મારો નિયમ અખંડ છે એમ ભંગાભંગરૂપ અતિચાર ગણાય. પાંચમા પ્રકારમાં “કુ” છે, તેને અંગે “ભાવથી” અતિચાર લાગે છે, તે આ પ્રમાણે-કુષ્ય એટલે ધાતુનાં વાસણ વગેરે ઘરને ઘરવખરે. તે અમુક પ્રમાણથી વધારે ન રાખો-એમ સંખ્યાથી નિયમ કર્યો હોય, પછી કઈ લહેણમાં કિંવા વારસામાં બીજ આવ્યો, ત્યારે નિયમ ઉપરાન્ત વધી જવાથી તેને ભાંગી–ભંગાવીને બબ્બેની એકેક મેટી વસ્તુ બનાવરાવે, અગર ઘણી ચીજો ભાંગીને બીજી બીજી વસ્તુઓ બનાવરાવે, એથી સંખ્યા ન વધવાથી વ્રતભંગ માને નહિ, પણ વસ્તુતઃ પ્રમાણ (કિંમત વગેરે) વધવાથી વ્રતભંગ થયો ગણાય-એમ ભંગાભંગરૂ૫ આ અતિચાર સમજે. અન્ય આચાર્યો તે મુખ્ય વિષે એમ કહે છે કે–પિતે ધારેલી સંખ્યા વગેરેમાં વધી જાય તેમ હોવાથી લેવાની ઈચ્છા છતાં તે વખતે લે નહિ, પણ તે તે વેપારી કે આપનારને એમ કહે કે-“તારી કથરોટ વગેરે ઘરવખરાની વસ્તુઓ અમુક મહિનાઓ પછી હું લઈશ, માટે તે બીજા કેઈને આપીશ નહિ”—એમ બીજાને આપવાનો નિષેધ કરી પોતાને માટે સંગ્રહ કરાવે, તે કુષ્યની ધારેલી સંખ્યાના કે કિંમતના ઉલંઘનરૂપ હોવાથી અતિચાર છે એમ સમજવું. અહીં એ રીતિએ પાંચ અતિચારો કહ્યા, તે પણ ઉપલક્ષણથી તે સિવાયના વગર વિચાર્યું કે અજાણતાં, અથવા અતિક્રમ વગેરેથી પણ આ વ્રતમાં અતિચારો લાગે એમ સમજવું. એ પ્રમાણે પાંચ અણુવ્રતના દરેકના પાંચ પાંચ અતિચારો કહ્યા હવે ગુણવતેના કહે છે, તેમાં “દિવિરમણ” નામના પહેલા ગુણવ્રતના અતિચારો આ પ્રમાણે છે मूळ-" मानस्य निश्चितस्योद्भर्वाऽधस्तिर्यक्षु व्यतिक्रमाः । ક્ષેત્રવૃત્તિ તિગ્રંશ, મૃતા શાત્રતે છે ૪૨ છે ?' મલાઈ_“ઊર્ધ્વદિશા, અધોદિશા અને તિર્યદિશા–એ ત્રણેય દિશાઓમાં જવા-આવવા વગેરેના નિયમમાં ભૂમિનું જે પ્રમાણ ધાર્યું હોય તેનું ઉલ્લંઘન કરવું એ ત્રણ, તથા દિશાની વૃદ્ધિ કરવી અને વિસ્મરણ થવાથી ભૂલ થવી, એમ પાંચ અતિચારો પહેલા ગુણવ્રતને અંગે કહ્યા છે.” ટીકાને ભાવાર્થ–ઊર્ધ્વદિશા એટલે પર્વતની ટોચ વગેરે જમીનથી ઊંચાઈવાળાં સ્થાને, દિશા એટલે ભેંયરાં વગેરે ભૂમિની નીચેનાં સ્થળો, તથા તિદિશા એટલે પૂર્વાદિ (ચાર) દિશાઓ અને અગ્નિકેણાદિ (ચાર) વિદિશાઓ. એ ત્રણેય (દશેય) દિશાઓમાં “મારે સે કે પચાસ એજન કે ગાઉ વગેરે અમુક અમુક પ્રમાણથી બહાર (દૂર) “ જવું-આવવું” વગેરે કરવું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy