SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨-પાંચમા વ્રતના અતિચારો ]. ૨૯૯ ટીકાનો ભાવાર્થ-ધન-ધાન્ય, ક્ષેત્ર-વાસ્તુ, રૂપું-સોનું, ગાય-મનુષ્યાદિ અને મુખ્ય,-એ પાંચેય પ્રકારના પરિગ્રહની યાજજીવ કે અમુક વર્ષો, કે માસી આદિ અમુક મહિનાઓરૂ૫ અમુક કાળ સુધીનું સંખ્યા વગેરે જે પ્રમાણ (અમુક પ્રમાણુથી વધારે નહિ રાખવાનું) નક્કી કર્યું હોય, તે સંખ્યાદિનું ઉલ્લંઘન કરવું, એટલે કે-પ્રમાણ કરતાં વધુ રાખવું; તે પાંચમા અણુવ્રતને વિષે પાંચ અતિચારે જાણવા. તેમાં ધન-ધાન્ય વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે– ધન ચાર પ્રકારે છે. તેમાં એક-જાયફળ, ફેફળ વગેરે જે ગણીને આપી-લઈ શકાય તેવી ચીને “ગણિમ”, બીજું-કંકુ, ગોળ વગેરે તેલ કરીને આપવા-લેવાને વ્યવહાર થાય તેવી વસ્તુઓને ધરિમ”, ત્રીજું-ચેપડ તેલ, ઘી કે લૂણ, અનાજ વગેરે પૂર્વકાળે માપાં ભરીને લેવાદેવાને વ્યવહાર હતા અને હાલ પણ દક્ષિણ વગેરે દેશમાં તે રિવાજ ચાલુ છે-તેવી ચીજોને મેય” અને ચોથું રત્ન, વસ્ત્ર કે બીજી જે જે વસ્તુઓ પરીક્ષા કરીને લેવા-દેવામાં આવે તે સર્વેને “પારિદ્ય' કહેવાય છે. એમ સર્વ ચીજે ચાર પ્રકારમાં સમાતી હોવાથી ધનના ગણિમ, પરિમ, મય અને પારિછેદ્ય” એ ચાર પ્રકારે કહ્યા છે. બીજે પણ કહ્યું છે કે " गणिमं जाईफलफोफलाई, धरिमं तु कुंकुमगुडाई।। મે ચોપડોળા;, રથવસ્થાપિન્ન છે ? ” (, અomતાધિo, ૧૨) ભાવાથ–“ જાયફળ-ફળ વગેરે ગણિમ, કંકુ-ગળ વગેરે ધરિમ, ચે૫ડ-લૂણુ વગેરે મેય અને રત્ન–વ વગેરે પરિછેદ્ય (એમ ધન ચાર પ્રકારે) છે.” - ધાન્ય વશ પ્રકારનું છે, પાછળ પાંચમા વ્રતમાં તે પ્રકારે જણાવ્યા છે. કેઈ સત્તર ૦૮ પ્રકારે પણ કહે છે. તે આ પ્રમાણે-૧ શાળ (નામની) ડાંગર, ૨-જવ, ૩–વરી ( નામની) ડાંગર, ૪–કેદવા, ૫-ઝીણે ચણે (પીળો બરંટી છે, જેમાંથી તાંદળા નીકળે છે.), ૬-તલ. ૭-મગ, ૮-અડદ, ૯-ળા, ૧૦–ચણા, ૧૧-તુવર, ૧૨-મસુર, ૧૩-કલથી, ૧૪ ઘઉં, ૧૫-વાલ, ૧૬-અળશી અને ૧૭–મઠ. ઉપર કહ્યું તે ચારેય પ્રકારનું ધન અને આ સર્વ ધાન્ય -એ બનેને એક ધન-ધાન્ય” નામને પરિગ્રહ સમજ. અહીં ધન-ધાન્યમાં તથા આગળ પણ ખેત્ર-વાસ્તુ વગેરેમાં બે બે ભેગાં ગણવાનું કારણ એ છે કે-પરિગ્રહ નવ પ્રકાર છે અને અતિચારો પાંચ છે તેની યેજના બરાબર થઈ શકે. તાત્પર્ય કે-બે બેનો ભેગે એકેક ગણ પરિગ્રહના પાંચ પ્રકારો કહીને તેના પાંચ અતિચારો સ્પષ્ટ સમજાવવા છે, માટે ધન અને ધાન્ય બે ભેગાં એક પરિગ્રહરૂપ સમજવાં. બીજો પ્રકાર “ક્ષેત્ર-વાસ્તુ” ૧૦૭. પરિગ્રહના અહીં પાંચ પ્રકારે બતાવ્યા છે, જ્યારે અન્યત્ર ૬, ૬૪ અને ૯ પ્રકારો પણ કહ્યા છે. દશવૈકાલિક નિર્યુક્તિમાં પૂ૦ ભદ્રબાહુસ્વામિજીએ ધાન્યના ૨૪, રત્નના ૨૪, સ્થાવરના ૩, દ્વિપદના ૨, ચતુષ્પદના ૧૦ અને કુપનો ૧-એમ મૂલ છે અને ઉત્તર ૨૪+૨૪+૩+૨+૦+૧=૬૪ પ્રકારો બતાવ્યા છે. અન્ય શાસ્ત્રોમાં ધન-ધાન્યાદિ નવનિલ પરિગ્રહ જણવ્યું છે અને તે નવના જ (અહીં સજાતીય બબ્બેને એક એક પ્રકાર માની અતિચારની વ્યાખ્યા સરળ કરવા) પાંચ પ્રકારે બતાવ્યા છે. ૧૦૮. ધાન્યના ૨૪ પ્રકારે બતાવ્યા છે, તેમાં પણ બાજરી-મકાઈ વગેરે પ્રસિદ્ધ નામો ગણેલાં નથી તથા અહીં ૧૭ પ્રકારોમાં પણ કેટલાંક પ્રસિદ્ધ નામે નથી, તો પણ સર્વ પ્રકારનાં ધાન્યો-એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy