________________
પ્રહ ૨-ચેથા વ્રતના અતિચારો ] સિવાયનાં અંગ-સ્તન, બગલ, ખેળ, મુખ, ગાલ, હઠ વગેરે અનંગ કહેવાય, તેવાં અનંગદ્વારા જે ક્રિીડા (વિષયની ઈચ્છાથી ચેષ્ટાઓ) કરવી, તે પણ અનંગ કીડા સમજવી. તીવ્ર વેદોદયથી આવી વિવેકશન્ય જે જે પ્રવૃત્તિ કરવામાં આવે, તે સર્વથી અનંગ ક્રીડા નામે અતિચાર સમજ....૬
પાંચમે અતિચાર “તીત્ર રાગ” અર્થાત વિષયને સેવવામાં અતિ આસક્તિને કહ્યો છે. બીજી સઘળી પ્રવૃત્તિ છેડીને માત્ર વિષયને જ સેવવાની ભાવનાવાળે મનુષ્ય સ્ત્રીના મુખ, કક્ષા કે નિમાં સ્વલિંગ રાખીને, અતૃપ્તની જેમ લ કાળ મુડદાની માફક નિશ્ચલ પડ્યો રહે, કે ચકલા-ચકલીના મૈથુનની જેમ વારંવાર સ્ત્રી ઉપર આરૂઢ થાય, અથવા નિર્બળ થઈ જવાથી વાજીકરણ (વિષયસેવનની શક્તિ મેળવવાના ઉપાયે) કરે, તેમાં એમ માને કે-આવાં ઔષધાદિ કરવાથી પુરુષ હાથીને પણ હરાવે કે ઘોડાને ચૂરે કરે તે બળવાન થાય છે, વગેરે મિથુનની અતિ આસક્તિરૂપ પાંચમે અતિચાર સમજ.
અહીં તાત્પર્ય એ છે કે-મુખ્યતયા શ્રાવક પાપથી અતિ ડરતે હોય, તેથી બ્રહ્મચર્યની ઈચ્છા સંપૂર્ણ રાખે, છતાં જ્યારે વેદ–મોહનીયના ઉદયથી વિકારને સહન ન કરી શકે ત્યારે કેવળ વિકારને શમાવવાના ઉદ્દેશથી પરણેત સિવાયની અન્ય સર્વ સ્ત્રીઓને ત્યાગ કરે, અથવા અસંતોષ રહે તે પરદારાને તજે, તેમાં પણ માત્ર મૈથુન કિયા (સેય–દરાના ન્યાયે વિષયસેવન) કરવાથી જ વિકાર શાન્ત થતું હોવાથી નિષ્કારણ “અનંગ ક્રીડા” કે “તીવ્ર રાગ” ન કરે. શ્રાવકને એવી ચેષ્ટાઓ કરવી ઘટે નહિ, કેમ કે-તે અકરણીય ગણાય છે. અનંગ ક્રીડા કે તીવ્ર આસક્તિ–બનેથી કેઈ લાભ તે છે જ નહિ, ઊલટું તે કાળે શક્તિને નાશ અને પરિણામે ક્ષય જેવાં મહા દર્દીના ભેગા થઈને મરવાને પણ વખત આવે, વગેરે ઘણું દે જ છે. માટે શ્રાવકને એવું વર્તન કરવાને નિષેધ છે, છતાં તેવાં આચરણ કરે તે વ્રતનો ભંગ થાય છે, અને બીજી બાજુ નિયમને બાધા (સ્પષ્ટ મૈથુન ક્રિયારૂપ) નહિ હોવાથી વ્રત ભાંગતું નથી, એમ ભંગાભંગરૂપ બને અતિચારો છે. અન્ય આચાર્યો તે આ બંને અતિચારોનું સ્વરૂપ એમ કહે છે કે સ્વદારાસતેષી વ્રતવાળો વેશ્યા કે અન્ય સ્ત્રીઓ સાથે મારે મૈથુનને ત્યાગ છે, કાંઈ આલિંગન વગેરેને ત્યાગ કર્યો નથીએમ માને, અને પરદારને ત્યાગી એમ માને કે-મારે પરસ્ત્રી સાથે મિથુનને ત્યાગ છે, કાંઈ આલિંગન વગેરે મેં તજ્યાં નથી, એમ માનવાથી બન્નેને તપાલનની અપેક્ષા હેવાથી અતિચાર સમજવા. એ મુજબ સ્વદારા સંતેષીને પાંચ અને પરદાર તજનારને છેલ્લા ત્રણ અતિચારે લાગે -એ નિશ્ચિત થયું. આમ છતાં બીજા કેઈ આચાર્યો પાંચેય અતિચારને અંગે જુદી માન્યતા પણ ધરાવે છે. તેઓના મતે
“ વારવાિળો પંજ, હૃત્તિ સિનિ ૩ સવારતા इत्थीए तिन्नि पंच व, भंगविगप्पेहिं अइआरा ॥ १॥"
(વધા, શozત્તાધિ ક૨) ૧૦૬. જે જે તિથિનો કે જે જે સ્ત્રીને ત્યાગ કર્યો હોય, તે તે તિથિએ કે તે તે સ્ત્રી સાથે આવી ક્રીડાઓ કરવાથી વસ્તુતઃ મૈથુન ન હોવાથી વ્રતભંગ નથી, છતાં મિથુનની ઈચ્છાથી એવી ક્રીડાઓ કરવી, તે પરિણામે વ્રતભંગના કારણરૂપ હોવાથી અતિચાર ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org