________________
૨૬
[ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા૦ ૪૬ સહસા વિચાર કર્યા વિના મિથુન સેવે ત્યારે, કે સેવવાની ઈચ્છાદિ કરવારૂપ અતિક્રમાદિ સેવે ત્યારે અતિચાર લાગે. ઈસ્વરાત્તાગમનમાં ( રખાતની સાથે વિષયસેવનમાં ) તે ભેગવનાર જ્યારે એમ સમજે કેમેં ભાડું આપીને રાખવાથી મારી પોતાની જ છે, માટે મારે વ્રતને ભંગ થતું નથી.” ત્યારે એમ સમજવામાં વ્રતનું સાપેક્ષપણું હોવાથી પાલન અને અલ્પ કાળ પૂરતી રખાત હોવાથી–વસ્તુતઃ પદારા હેવાથી વ્રતને ભંગ થાય, એમ ભંગાભંગરૂપ ત્રીજે અતિચાર જાણો. આ બીજો અને ત્રીજે અતિચાર જેણે “સ્વદારાસતેષ' નિયમ લીધું હોય તેને લાગે છે, માત્ર પરસ્ત્રીને જ ત્યાગ કર્યો હોય તેને લાગતા નથી, કારણ કે-ઈવરાત્તા અમુક સમય માટે જ માલિકવાળી બનેલી હોવાથી તે વેશ્યા છે અને અનાત્તા પણ માલિક વિનાની છે, એથી તે પદાર ગણાતી નથી. એ સિવાયના પહેલે, ચોથે અને પાંચમે ત્રણ અતિચારો તે સ્વદારાસંતોષીને તથા (માત્ર) પરસ્ત્રીત્યાગીને બનેને સરખા જ છે. એ ચૌદસેચુંમાલીસ ગ્રંથના પ્રણેતા પૂ. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજને મત છે, જે મૂલ સૂત્રને અનુસરે છે.
ગમમાં પણ કહ્યું છે કે-“સાવંતરર પંચ અગા, કાનગડ્યા વારિક ” અર્થાત-“સ્વદારા સંતેષીએ પાંચ અતિચારો જાણવા (સમજવા), આચરવા નહિ.”
અન્ય આચાર્યોના મતે તે ઉપર જણાવ્યું તેવી સમજપૂર્વક રખાતને ભેગવવાથી સ્વદારા. સંતેલીને, અને માલિક વિનાની સ્ત્રીને ભેગવવાથી પરદારત્યાગીને અતિચાર લાગે છે. તેઓનું માનવું એમ છે કે-વેશ્યા માલિક વિનાની છતાં, અમુક કાળ માટે સ્વદારાસતેષીએ રખાત બનાવી હોય, તે તેટલા કાળ માટે તે સ્વસ્ત્રી હેવાથી વ્રતઅલંગ અને વસ્તુતઃ તે વેશ્યા (સ્વદારા નહિ) હોવાથી વતભંગ-એમ ભંગાભંગરૂપ અતિચાર છે. (તે સિવાય જેને પતિ પરદેશ ગયે હોય, જે પતિને પતિ તરીકે ન માનતી હોય અને જે વિધવા હોય, તે દરેક સ્વપતિના અભાવમાં પણ પરસ્ત્રીઓ છે જ, માટે પરદારત્યાગીને વ્રતભંગ થાય છતાં તે સ્વસમજથી પતિ વિનાની માને છે, તેથી વ્રતભંગ ન થાય; એમ ભંગાભંગરૂપ અતિચાર સમજ.) એ પ્રમાણે બીજા-ત્રીજા અતિચારનું સ્વરૂપ કહ્યું. હવે ‘અનંગ ક્રીડા” નામને ચેાથો અતિચાર સમજાવે છે.
અનંગ ક્રીડા”ની એક વ્યાખ્યા એમ છે કે અનંગ એટલે કામ-ઈચ્છા. પુરુષની સ્ત્રી, પુરુષ કે નપુંસકને ભેગવવાની; સ્ત્રીની પુરુષ, સ્ત્રી, કે નપુંસકને ભોગવવાની અને નપુંસકની પણ સ્ત્રી, પુરુષ કે નપુંસકને ભેગવવાની ઈચ્છા, અથવા ત્રણેયની હસ્તકર્મ વગેરેની ઈચ્છા; આ બન્ને પ્રકારની ઈચ્છા તે જ અનંગ અર્થાત કામ અને તેના બળે જે ક્રીડા, દુષ્ટ ચાળા કે ચેષ્ટા કરવી, તે અનંગ કીડા. બીજી વ્યાખ્યા પ્રમાણે ગુપ્તન્દ્રીથી ભોગ ભેગવવા છતાં અસંતેષથી કાષ્ટનાં, પુસ્તનાં ( અર્થાત અમક મસાલે–ચી ભેગી કરી છે તે આકારમાં બનાવેલાં, કઈ ઝાડનાં તેવા તેવા આકારનાં ફળે, અથવા માટી કે ચામડાથી બનાવેલાં પુરુષલિંગ જેવાં સાધને, કે જે અંગરૂપ નથી–અનંગ છે, તેનાથી સ્ત્રીના અવાઓ(નિ)પ્રદેશને વારંવાર સ્પર્શ કરે, સ્ત્રીના મસ્તકના વાળ વગેરે ખેંચવા, તેને હલકે પ્રહાર કર (ટપલી મારવી), કે દાંત, નખ વગેરેથી તેને પીડા થાય તેમ સ્ત્રીના શરીર સાથે ખેલવું, વગેરે (વેદ) મેહનીયના ઉદયના બળે કૃત્રિમ સાધનેથી ચેષ્ટાઓ કરવી, કે જેથી વિષયને સેવવાની ઈચ્છા વધુ જાગે–અતિ રાગ વધે, તે કુચેષ્ટાઓ પણ અનંગ ક્રીડા કહેવાય, અથવા તે ત્રીજી વ્યાખ્યા પ્રમાણે મૈથુન સેવવાનાં સ્ત્રીની નિ અને પુરૂષલિંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org