SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ OIL આજ પ્રd ૨-ત્રીજા વ્રતના અતિચારો ] ઉત્તર-વાત સાચી છે, પણ પિતાની કન્યાને ન પરણાવે તે સ્વચ્છેદચારિણી (વ્યભિચારિણી) થઈ જાય અને તેથી જૈનશાસનની તથા પોતે ઉચ્ચરેલા વ્રતની હાંસી–અપભ્રાજના થાય, તેને પરણાવ્યા પછી તે તે પિતાના પતિને સ્વાધીન હોવાથી તેવું ન બને. (કદાચ બને તે પણ માતાપિતાના વત કે ધર્મની નિન્દા fuતા ક્ષત્તિ મા, મર્જા ક્ષતિ ચૌવને ! पुत्रास्तु स्थावरे भावे, न स्त्री स्वातन्त्र्यमईति ॥ १॥" ભાવાર્થ–“કુમારિકા હોય ત્યારે પિતા, યુવતી હોય ત્યારે પતિ અને વૃદ્ધા હોય ત્યારે પુત્ર રક્ષા કરે છે. એમ આ કઈ અવસ્થામાં સ્વતંત્રતાની અધિકારિણી નથી. ” વળી દશાઈ(વસુદેવ)ના પુત્ર કૃષ્ણજી તથા ચેડા મહારાજાને પિતાનાં સંતાનોના પણ વિવાહનો નિયમ હતે-એમ જે શાસ્ત્રમાં સંભળાય છે, તે પણ તેઓના વિવાહ વગેરેનું કામ સંભાળનારા બીજાઓ હતા તેથી તેઓએ નિયમ કરેલ હતું એમ સમજવું, એથી બીજા શ્રાવકોને પણ જે પિતાનાં પુત્રાદિના વિવાહાદિ કરનારા કોઈ બીજા હોય, તે તેઓ પિતાનાં પુત્રાદિને પણ વિવાહ નહિ કરવાને નિયમ કરે તે વ્યાજબી છે, પરંતુ તે કામ કરનારા બીજા ન હોય તે, જે રીતિએ પિતાને વ્રત પાલનમાં હરકત ન આવે તે રીતિએ અમુક સંખ્યામાં વિવાહ કરવાની છૂટ રાખી બાકીને નિયમ કરે તે વ્યાજબી છે. ૧ ' આ અતિચારને અંગે બીજા આચાર્યો પર એટલે (બીજાની ને બદલે) બીજી સ્ત્રી ” એવો અર્થ કરે છે, અર્થાત્ સ્ત્રીનો યોગ હોવા છતાં, પોતાની કામવાસનાની પૂર્તિ માટે અસંતોષથી અન્ય સ્ત્રી સાથે વિવાહ કરો, તેને “પરવિવાહકરણ” નામને અતિચાર કહે છે. તેમના મતે આ અતિચાર સ્વદારા સંતોષીને લાગે, એ પ્રમાણે પહેલા અતિચારનું સ્વરૂપ કહ્યું. બીજો અનાજ્ઞા એટલે અપરિગ્રહીતા–માલિક વિનાની સ્ત્રી” અર્થાત્ વેશ્યા, સ્વછંદચારિણી, જેને પતિ પરદેશ ગયો હોય, કુલવતી વિધવા તથા કન્યા, એ માલિક વિનાની સ્ત્રી ભેગવવાથી ગણાય છે, ત્રીજે ઈશ્વરી એટલે હરકોઈ પુરુષને ભેગવનારી વેશ્યા, અમુક સમય માટે તેને પગારથી પિતાને માટે રાખી હોય-રખાત રાખી હોય ત્યારે તેટલા કાળ માટે “આજ્ઞા એટલે રાખેલી હોવાથી ઈવરાત્તા કહેવાય છે. (અહીં વ્યાકરણના નિયમ પ્રમાણે સિદ્ધહેમના નામ નાગૈાથે સમા વન્દન રૂ-૨-૨૮” સૂત્રથી “વિકpg' વગેરે શબ્દોની જેમ સમાસથી “ઈન્દુરાત્તા” શબ્દ સિદ્ધ થાય છે, અથવા “શુરવિવાન રામના રૂ-૨-૨૬” એ સૂત્રથી મધ્યમ પદલોપી સમાસ બનાવી ઈવર કાલ કાટે આત્તા=ઈવરાત્તા” સિદ્ધ થાય છે. બીજા-ત્રીજા અતિચારમાં અનાત્તા અને ઈવરાત્તા બેને ઢંઢ સમાસ બનાવી મૂળ શ્લેકમાં “ચનાત્વત્તઃ ' એમ દ્વિવચનાનું પ્રયોગ કર્યો છે.) એ પ્રમાણે એક માલિક વિનાની અને બીજી અ૫ કાળ માટે રાખેલી (રખાત) ધી સાથે વિષયસેવન કરવું, તે “અનત્તાગમન” નામને બીજો તથા “ઈવરાત્તાગમન” નામને ત્રીજો અતિચાર જાણ. અહીં તાત્પર્ય એ છે કે-ઉપર જણાવેલી માલિક વિનાની “અનાત્તા ” શ્રી સાથે અજાણતાં કે - ૧૦૫. વિચ્છેદયારિણી-નીચ કુલની જે સ્ત્રી, પતિ હોવા છતાં પતિને ન માને તેથી માલિક વિનાની, પતિ પરદેશ ગયો હોય તે કાળે પતિની ગેરહાજરી હેવાથી માલિક વિનાની, વિધવા પતિ મરી ગયો છે એટલે પતિ વિનાની અને કન્યા તે સ્પષ્ટ પતિ વિનાની છે જ. એ અપેક્ષાએ એ દરેકને માલિક વિનાની ગણવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy