SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ [સ્વ૦ પૂ આ શ્રીવિજય મેઘજેવા ન્યાયી અને જીવદયા પ્રતિપાલક રાજવીઓને, વસ્તુપાલ-તેજપાલ જેવા બુદ્ધિનિધાન અનેક મંત્રિઓને અને જગડુશાહ જેવા જગપ્રસિદ્ધ અનેક દાનવીરેને પકાવવાનું માન ગુજરાતને ઘટે છે. અનેક મહાપુરૂષોના પાદતલથી પવિત્ર, અનેક તીર્થોથી પુણ્યવંત અને અનેક નગરથી સુશોભિત એ ગુજરાતદેશના દક્ષિણ વિભાગમાં “રાંદેર' નામે પ્રસિદ્ધ શહેર છે. તાપી નદીના તીરે રહેલું આ શહેર દૂર દૂરથી પણ મનોરંજક શેભાને ધારણ કરનારું છે. યાંત્રિક સાધના વિરહ કાલમાં તાપી નદી દ્વારા ભરૂચની ખાડીના માર્ગે પશ્ચિમ સમુદ્રને ગુજરાત સાથે સાંધતું “રાંદેર એક મહાન બંદર હતું, દૂર દૂર રહેલાં સમુદ્રનાં બીજાં બંદરો તથા બીજા દેશે સાથે વહાણવટું કરી વ્યાપાર કરનારા દેશ-પરદેશના વ્યાપારીઓથી તે વિભૂષિત હતું. ચડતી પડતી જગતનાં દરેક ભાવ સાથે સંકળાયેલી છે તેમ રેલ્વે વહેવાર વધતાં કમે કમે ત્યાંને વ્યાપારોદ્યોગ મંદ પડતો ગયો અને તેની નજીક તાપી નદીના બીજે કાંઠે રહેલું સુરત શહેર દિનદિન વ્યાપારાદિથી સમૃદ્ધ થતું ગયું. પૂર્વકાલિન જૈન ધર્મની જીત સમાં રાંદેર બંદરનાં પ્રાચીન ભવ્ય છ જિનમંદિરો, વિશાળ ઉપાશ્રય અને એવાં બીજા ધર્મ સ્થાનેથી આજે પણ આ નગર વિભૂષિત છે, કેગ્રેસ સરકારની હકુમત નીચે આવેલા મુંબઈ પ્રાન્તનું આ શહેર છે, હજારે પ્રમાણ નાગરિકના નિવાસવાળા રાંદેરમાં જેનોની આજે પણ સુમારે પાંચ જેટલી વસ્તી છે, પૂર્વકાલને ત્યાંના જૈનોને ઈતિહાસ ગૌરવવંતે છે, આજે પણ અનેક શ્રીમન્ત શાહુકારે આ નગરને શોભાવી રહ્યા છે, બીજી કેમ કરતાં બહેરા કેમ ત્યાં વધુ છે. જે મહાત્માનું જીવન આપણે જોવાનું છે તે પૂ. શ્રીવિજય મેઘસૂરિજી મ.ની પણ જન્મભૂમિ તરીકે આ રાંદેર યશવંતું છે. માતા પિતાદિ, જન્મ અને નામસ્થાપન--અનેક પુણ્ય પવિત્ર આત્માઓના નિવાસ સ્થાન શ્રી રાંદેર બંદરમાં તે કાળે જૈન ધર્મનાં આરાધક પુણ્યવંત “જયચંદભાઈ અને જમનાબાઈ” નામે સંસ્કારી અને ધર્મિષ્ઠ શ્રાવક-શ્રાવિકા વસતાં હતાં. ન્યાય, નીતિ, સદાચાર તેઓનાં ભૂષણ હતાં અને ધર્મ તેઓનું સાધ્ય હતું. સંતેષમાં સાચી શ્રીમંતાઈ સમજનાર જયચંદભાઈને જીવન નિર્વાહ માટે પાપસ્થાનકની સહાય જરૂરી ન હતી. સુખપૂર્વક જીવન પસાર કરતાં તેઓને ત્યાં જમનાબાઈની કુક્ષિથી ક્રમશઃ હીરાકાર અને નંદકોર નામે બે પુત્રીઓને જન્મ થયે. કાલક્રમે પુનઃ પણ જમનાબાઈની કુક્ષિમાં એક પુણ્યાત્માએ અવતાર લીધે અને ગર્ભની ઉત્તમતાને સૂચવતા ઉત્તમ મને તેઓને થવા લાગ્યા. સ્ત્રીસ્વભાવ અને ઉત્તમ ગર્ભસૂચક મનેર વિગેરેથી જમનાબાઈને આનંદ દિનદિન વધતા જ ગ. માતાને આનંદ ગર્ભને પણ આનંદી સ્વભાવનું કારણ છે. વિક્રમની વીસમી સદીનું એ બત્રીસમું વર્ષ હતું, ત્યારે મૃગશીર્ષ માસ અને તેમાંય સુદ ૮ જેવી પુણ્યતિથિએ ગર્ભકાળ પૂર્ણ થતાં સુખરૂપ જમનાબાઇએ ઉત્તમ પુત્રને જન્મ આપે. પુત્રના મુખને નિહાળી અને આનંદ અનુભવતાં માતા પિતા અને બહેને જાણે સુખ સાગરમાં ડૂળ્યાં હોય તેમ આનંદ સિવાય બીજું બધું ભૂલી ગયાં. જન્મ કાલે મૂલનક્ષત્ર સાથે ચંદ્રને વેગ હેવાથી શુભ મુહૂર્ત પુત્રનું મુલચંદ નામ સ્થાપ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy