________________
પ્રo ૨-ત્રીજા વ્રતના અતિચારે ]
૨૯૩ વસ્તુ આપવી, મેટા–ભારેથી માપીને વસ્તુ લેવી, કે વસ્ત્રાદિને માપવામાં અન્યાય કર, તેને અતિચાર કહ્યો છે, કારણ કે-આપવા-લેવામાં માપાં--તેલાં વગેરે નાનાં-મોટાં જુદાં જુદાં રાખી ઠગાઈ કરનારે પણ વસ્તુતઃ ચેર જ ગણાય છે. કહ્યું છે કે
"लौल्येन किश्चित्कलया च किश्चित् , मापेन किश्चित्तुलया च किश्चित् ।
किञ्चिच्च किश्चिच्च समाहरन्तः, प्रत्यक्षचौरा वणिजो भवन्ति ॥ १ ॥" " अंधीते यत् किञ्चित्तदपि मुषितुं ग्राहकजनं, मृदु ब्रूते यद्वा तदपि विवशीकर्त्तमपरं । प्रदत्ते यत्किञ्चित्तदपि समुपादातुमधिकं, प्रपञ्चोऽयं वृत्तेरहह ! गहनः कोपि वणिजाम् ॥२॥"
ભાવાર્થ_“કાંઈક લેભથી, કાંઈક વણિફ કલાથી, કાંઈક માપથી અને કાંઈક તોલથી એમ કાંઈક કાંઈક (થોડું થોડું) લૂંટનારા વ્યાપારીઓ પ્રત્યક્ષ ચેર જ છે. ૧. વ્યાપારી જે કાંઈ ભણે છે તે પણ ઘરાકને ઠગવા–રવા માટે, મીઠું બેલે તે વશ કરવા માટે, કદી ડુંક આપે તે પણ તે વધારે લેવા માટે, વગેરે વ્યાપારીઓના વ્યાપારને પ્રપંચ આશ્ચર્યજનક અને બુદ્ધિમાન પણ ઠગાઈ જાય તે ગહન છે. (૨)”
આ પ્રપંચ કરો તે શ્રાવકને યોગ્ય નથી, એ ત્રીજે “કુટ તેલ-માપ” નામનો અતિચાર સમજ. શત્રુ-રાજાઓના રાજ્યની હદમાં કે તેના સૈન્યમાં તે રાજાએ નિષેધ કરવા છતાં જવું વગેરે “શત્રુ-રાજ્યમાં ગમન' નામને ચેથા અતિચાર નિષેધ છતાં શત્રુના રાજ્યની હદમાં કે તેના સિન્યમાં મળી જવું એ “સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીર્થકરઅદત્ત અને ગુરૂઅદત્ત, એ ચાર પિકી સ્વામીઅદત્તરૂપ છે, રાજાને નિષેધ છતાં ત્યાં જાય તે જનારને દંડ પણ ચેરના જેટલું થાય છે, માટે વસ્તુત: એ (રાજાની) ચેરીરૂપ હોવાથી વ્રતભંગ થાય; છતાં જનારના મનમાં “હું તે વ્યાપારાદિ અર્થે જ ગયો છું, કઈ ચોરી કરી નથી.’ એવી સમજણ હોય તે વ્રતની રક્ષા કરવાની અપેક્ષા ગઈ નથી, તેમ જ લેકમાં પણ તે ચાર કહેવાતું નથી, તેથી એને અતિચાર કહ્યો છે. ઉપરાન્ત રાજનિષિદ્ધ વસ્તુ લેવી–વેચવી તે પણ ચેાથે અતિચાર છે. પાંચમે અતિચાર-જેના વર્ણ, ગંધ, વગેરે સમાન હોય તેવી ભળતી હલકી વસ્તુઓ સારી વસ્તુઓમાં ભેળવીને આપવી કે સારીને બદલે તેવી હલકી આપવી, તે સારીનરસી વસ્તુને ભેળસેળ કે બદલે કરવારૂપ છે. જેમ કે-વાહીમાં (વરી નામની ડાંગરમાં) ૧°પલજી ભેળવવી, તેમ જ ઘીમાં ચરબી, તેલમાં મૂત્ર, હિંગમાં બેર વગેરે લાકડાને હેર-ચણ વગેરેનો લેટ કે ગંદર વગેરે ભેળવવાં, કેસરમાં કૃત્રિમ કેસર, ૧૦'કસુંબો વગેરે ભેળવવાં, મજીઠ સાથે ચિત્રક વગેરે ભેળવવાં તથા જાતિવંત એટલે સાચાં કપૂર, મણિ, મેતી, સોનું, ચાંદી વગેરેને નામે તે તે બનાવટી વસ્તુઓ આપવી કે ભેળવવી, વગેરેથી આ અતિચાર લાગે છે. તે સિવાય ચોરીમાં ગ્રહણ કરેલી ગાયે વગેરે પશુઓનાં શીંગડાંને “અગ્નિથી પકાવેલાં કાલિંગિનાં ફળનો બાફ આપે,” ઈત્યાદિ પ્રગ કરી નીચાં-ઊંચાં વાળીને બદલી નાખવાં, કે જેથી તે પશુ ઓળખાય નહિ; એમ કરીને પોતે રાખવાં તે (સિવાય ચેરીના ઘરેણુ વગેરે ગાળી-ભાંગીને બદલી નાખવાં વગેરે) પણ “તપ્રતિરૂપક” નામના આ પાંચમા અતિચારમાં ગણાય છે.
૧૦૩. પલંજી નામનું કઈ જાતિનું વરી ડાંગરને મળતું અનાજ વિશેષ. ગુજરાતમાં તે નામ અપ્રસિદ્ધ છે.
૧૦૪. “કસુંબે'નામની વનસ્પતિ ઉકાળીને, તેમાંથી કસુંબી રંગ બનાવી પાઘડી વગેરે કપડાં (ગામડાના લેકે) રંગે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org