________________
પ૦ ૨-ત્રીજા વ્રતના અતિચારે ] મારા વ્રતને ભંગ થતું નથી–એમ માને છે તે પણ અતિચાર છે, કારણ કે-વગર વિચાર્યું, અજાણતાં કે અતિક્રમ વગેરે ( જેનું સ્વરૂપ પૃ. ૨૮૯માં જણાવ્યું તે) દ્વારા પણ બીજાને અસત્ય બેલવાની પ્રેરણા કરવી તે વ્રતને અતિચાર છે જ. બીજી રીતે પણ સત્યવ્રતધારી પિતાનું વ્રત ભાંગે નહિ–એ બુદ્ધિથી સીધી છેટી સલાહ નહિ આપતાં, કઈ દષ્ટાન્તથી તેને સમજાવે કે-આવા પ્રસંગે તેણે આમ કહ્યું હતું,” વગેરે સાંભળીને બીજો ટુ બેલવાનું સમજી જાય. એ રીતિએ (બીજાના એઠા નીચે) ઉપદેશ દે તે પણ વ્રતરક્ષાની બુદ્ધિ છતાં, બીજાને અસત્ય બોલવામાં પ્રેરક હવાથી તેનું વ્રત દેશથી ભાંગે અને દેશથી અખંડ રહે છે, માટે આવા મિથ્યા ઉપદેશને અતિચાર કહ્યો છે. ત્રીજે અતિચાર “ગુૌભાષણ” નામને છે. કેઈની ગુપ્ત મંત્રણ પ્રગટ કરવાને બીજાને અધિકાર નથી, છતાં પ્રગટ કરવી. જેમકે—કેઈએ કેઈ બીજા માણસ સાથે અમુક રાજ્યવિરુદ્ધ વિચાર કર્યો, ત્રીજે માણસ તેના મુખ વગેરેની ચેષ્ટાદિ જેઈને અનુમાનથી તે સમજી લઈ જાહેર કરે કે–અમુક માણસે રાજય વિરુદ્ધમાં અમુક અમુક કરવા વિચાર કરે છે, અથવા બીજી રીતે ગુાભાષણ એટલે ચાડી કરવી. જેમ કે-કઈ બે મનુષ્યને આપસ આપસમાં પ્રીતિ હોય, તેવા માણસોના આકાર વગેરેથી જાણીને એકનો અભિપ્રાય બીજાને એવી રીતિએ કહે કે જેથી પરસ્પરની પ્રીતિ તૂટી જાય. પહેલાં અતિચારની જેમ અહીં પણ હાંસી–મશ્કરી વગેરેથી એકની ગુપ્ત વાત બીજાને કહી દેવી તે અતિચાર છે. જે ઈરાદાપૂર્વક ખરાબ કરવા માટે જાણીને કહે તે વ્રતભંગ થાય. અતિચાર “કૂટ લેખ” એટલે ખોટું લખાણ કરવું અથવા બીજાના હસ્તાક્ષર જેવા અક્ષરે લખવા તે છે. આ અતિચારમાં જેણે “કાયાથી અસત્ય નહિ બોલું' એવા ભાગે વ્રત લીધું હોય કે જેણે “કાયાથી અસત્ય બોલવું નહિ તથા બીજા દ્વારા બોલાવવું નહિ” એવા ભાગે વ્રત લીધું હોય, તેને તે આ રીતિએ બેટે લેખ લખવા વગેરેથી વ્રતનો ભંગ થાય જ છે; તે પણ વગર વિચાર્યું, અજાણતાં કે અતિક્રમ વગે. રેથી લખાઈ જાય ત્યારે તેને અતિચાર કહ્યો છે. અથવા તે અસત્ય એટલે જુઠું બોલવાને અંગે મારે નિયમ છે અને આ તે લખાણ છે, તેથી વ્રતને બાધ નથી, એવી સમજવાળાને વ્રત પાલન કરવાની બુદ્ધિ હોવાથી અતિચારરૂપ છે એમ જાણવું. પાંચમે અતિચાર વિશ્વાસુની ગુપ્ત વાત જાહેર કરવી તે છે. અહીં વિશ્વાસુ સ્ત્રી, મિત્ર વગેરેની તેઓએ વિશ્વાસથી કહેલી ખાનગી હકીકતને જાહેર કરવી તે અતિચાર. જેવું હોય તેવું જ કહેવામાં તે સત્ય હોવાથી જે કે અતિચાર લાગતું નથી, તે પણ પિતાની ખરાબ વાત પ્રગટ થવાથી લજજાને યોગે તે મિત્ર કે સ્ત્રી વગેરેનું મરણ (આપઘાત) પણ થવાનો સંભવ હોવાથી વસ્તુતઃ (બીજાને પીડાકારક હોવાથી) અસત્ય છે, એમ વચનરૂપે તે સત્ય અને પરિણામની અપેક્ષાએ અસત્ય હોવાથી (વ્રતભંગ અને વતરક્ષા) રૂપ અતિચાર કર્યો છે.
* પ્રશ્ન-ત્રીજામાં ગુહાભાષણ કરવું અને પાંચમામાં વિશ્વાસુની ગુપ્ત વાત જાહેર કરવી–એમ કહ્યું તે બન્નેનું એક જ સ્વરૂપ છે, છતાં બન્નેને ભિન્ન અતિચારે કેમ કહ્યા?
ઉત્તર-ગુદાભાષણમાં સાક્ષાત્ સાંભળીને નહિ પણ ઇગિત આકાર વગેરે દ્વારા અનુમાનથી જાણુને અનધિકારી છતાં વાત કરે છે અને પાંચમામાં સ્વયં સ્ત્રી કે મિત્ર વગેરેની સાથે વિચાર કરતાં તેઓએ વિશ્વાસથી ગુપ્ત વાત જણાવી હોય તેને જાહેર કરે છે, એમ બંનેમાં ફરક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org