________________
પ્રહ ર–બીજા વ્રતના અતિચારો ]
ભાવાર્થ-નહિ મારૂં” એ પ્રમાણે જેણે વ્રત લીધું છે, તેને જીવ મર્યા વિના અહીં (માત્ર વધ, બંધન વગેરેથી) ક અતિચાર લાગે?—એમ શિવે જ્યારે પ્રશ્ન કર્યો, ત્યારે ગુરુ જવાબ આપે છે કે-જે ક્રોધથી વધુ વગેરે કરે છે તે વ્રતને અંગે (મરી જશે તે વ્રત ભાંગશે એ વિષયમાં) નિરપેક્ષ હોય છે. (૧) માત્ર મરણ ન થયું તેથી તેનો નિયમ અખંડ છતાં કેપ અને નિર્દયપણાના યોગે તે નિયમ તૂટ્યો છે. એમ દેશથી ભંગ અને દેશથી પાલન થવાથી પૂર્વ મહર્ષિઓએ તેને અતિચાર કહે છે. (૨)”
વળી તમે કહ્યું કે-વ્રતોની બારની સંખ્યા નહિ રહે તે પણ અયુક્ત છે, કારણ કે-વિશુદ્ધ(નિરતિચાર)પણે અહિંસાનું પાલન કરવામાં વધ, બંધન, વગેરે થતાં નથી, માટે એ નિશ્ચય સમજ કે–વધ, બંધન, વગેરે પાંચ અતિચારો જ છે.
અથવા તે સર્વત્ર અનાભોગ, સહસાકાર વગેરેથી, કે અતિક્રમ વગેરેથી અતિચારે સમજવા. અનાગ એટલે અસાવધપણાથી અને સહસાકાર એટલે વગર વિચાર્યું પ્રવૃત્તિ થાય છે. કહ્યું છે કે
" पुव्वं अपासिऊणं, छढे पायंमि जं पुणो पासे ।
न य तरइ निअत्तेउं, पायं सहसाकरणमेयं ॥ १॥" ભાવાર્થપહેલાં જીવ ન દેખવાથી પગ છોડ (ઉપાડો) અને પાછળથી જોવામાં આવ્યું કે અહીં જીવ મરી જાય તેમ છે), છતાં પગને પાછો વાળવા(ને લાગ ન હોવાથી બચાવવા)નું બની શકે તેમ નહિ હોવાથી હિંસા થાય, તે સહસાકાર કહેવાય.”
અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેમ કે-કેઈ મનુષ્ય વ્રત(નિયમ)ને ભંગ થાય તેવા કાર્ય માટે આમંત્રણ (વિનંતિ) કરે ત્યારે વ્રત(નિયમ)ધારી તેને ઈન્કાર ન કરે (ના ન પાડે) તે અતિક્રમ કહેવાય, આગળ વધીને વ્રતવાળો તેવું કાર્ય કરવા માટે તૈયાર થાય–જાય વગેરે પ્રવૃત્તિને યતિકમ કહેવાય; કેધથી વધ, બંધન વગેરે કરે તે અતિચાર કહેવાય અને જીવહિંસા વગેરે કરે તે અનાચાર કહેવાય. અહીં વધ, બંધન વગેરે કહ્યાં તેના ઉપલક્ષણથી હિંસાદિના કારણભૂત મન્ત્ર, તત્ર કરવા; ઔષધ વગેરે આપવું, ઈત્યાદિ બીજા પણ પ્રાગે સર્વ અતિચારે છે એમ સમજવું. એ પ્રથમ વ્રતના પાંચ અતિચારોનું સ્વરૂપ જણાવ્યું. હવે બીજા રસ્થૂલ મૃષાવાદવિરમણ વ્રતના અતિચારો જણાવે છે.
મૂળ-“ સક્ષમ્યાન મિથ્ય-શો મુહમામ્ |
સ્કેચ વિશ્વત-મંત્રમે કઇ ” મલાર્થ_K૧. વગર વિચાર્યું કેઈને આળ-કલંક દેવું, ૨. પાપેપદેશ કરે, ૩. એકની ગુપ્ત વાત બીજાને કહી દેવી, ૪. ખેટે લેખ લખવો અને ૫. બીજાએ વિશ્વાસથી કરેલી મંત્રણાને જાહેર કરવી; તે પાંચ અતિચારે બીજા વ્રતના છે.”
ટીકાને ભાવાર્થ-સત્ય વ્રતના અતિચાર પાંચ છે. તેમાં “સહસા આળ દેવું તે પહેલે છે. વિચાર કર્યા વિના જ “તું ચેર છે, તું વ્યભિચારી છે” વગેરે આળ-કલંક આપવાં, તે સહસા ૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org