SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રહ ૨-પહેલા વ્રતના અતિચારે] ૨૮૭ પ્રાણ જાય તેવા મર્મસ્થાને મારે નહિ. તે સિવાયના સ્થાને પણ સામાન્ય દેરડાથી કે ઝાડની સેટી વગેરેથી એક-બે વખત જ તાડન કરે, અર્થાત્ નિર્દયપણે વારંવાર ન મારે. ૨. બંધ-બધિ પણ તે જ રીતિએ સકારણ, નિષ્કારણ, સાપેક્ષ અને નિપેક્ષ-એમ ચાર ભેદે છે. તેમાં નિષ્કારણ તે ન જ બાંધે, સકારણમાં પણ નિરપેક્ષ એટલે છૂટી શકે નહિ તેવાં આકરાં બંધને ન બાંધે. કારણ પડે તે માત્ર સાપેક્ષ બાંધે, એટલે કે-પાસાગાંઠ વગેરે ઢીલું બધન બાંધે, કે જેથી અગ્નિ વગેરેના ઉપદ્રવ થતાં સ્વતઃ છૂટી શકે, અથવા છોડવામાં હરકત ન આવે, તરત જ છોડી શકાય; (નહિ તે તેવા પ્રસંગે મરી જાય.) એ ચાર પગવાળા ગાય, ભેંસ, વગેરેને માટે સમજવું. દાસ, દાસી, ચેર, તથા પરદારસેવી કે પ્રમાદી પુત્રાદિ પરિવાર વગેરે મનુષ્યને તે બાંધવાં પડે તે પણ એવાં બાંધે, કે જેથી તેઓને હાલવા-ચાલવામાં કે કામ કરવામાં હરકત ન આવે. બાંધ્યા પછી પણ વારંવાર સંભાળ રાખે, કે જેથી અગ્નિને કે તે કઈ બીજે ઉપદ્રવ થાય તે પણ મરી જાય નહિ. મુખ્યતયા તે દાસ, દાસી વગેરે કે ગાય, ભેંસ આદિ પણ શ્રાવકે એવાં રાખવાં જોઈએ, કે જેને પ્રાયઃ બાંધવાની જરૂર ન રહે, વગર બાંધ્યાં જ ઘેર (સ્થાને બેસી રહે. ૩. છવિચ્છેદ-છવિ છેદ એટલે ચામડી વગેરેનું કાપવું. તેના પણ સકારણ, નિષ્કારણ, સાપેક્ષ અને નિરપેક્ષ–એમ ચાર પ્રકારો છે. તેમાં નિષ્કારણ તે તે કરે જ નહિ; સકારણ પણ નિર્દયપણે હાથ, પગ, કાન, નાક વગેરે છેદવારૂપ નિરપેક્ષ તે (તજવા લાયક) કહ્યો છે, માત્ર સાપેક્ષ ગડગુમડ, રળી કે રોગીનાં સડેલાં અંગે છેદવાં પડે કે બાળવાં (ડામ દેવા પડે તે કરે. ૪. અતિભારાપણુ-વસ્તુતઃ શ્રાવકે શક્ય હોય ત્યાં સુધી ચાકર, ગુલામ કે ઊંટ, બળદ વગેરે દ્વારા ભાડાં વગેરે કરી કમાવાને ધંધે તજ જોઈએ. કદાચ આજીવિકાને નિર્વાહ ન થાય અને તેવો ધંધે કર પડે, તે પણ મનુષ્યને તેટલે જ ભાર ઉપડાવ, કે જે બેજાને ઉપાડનારા પિતાની મેળે ઉતારી-ચઢાવી શકે; ઊંટ, બળદ વગેરે પશુઓને પણ તેઓની શક્તિ વગેરેને અનુસારે વજન ઉપડાવવું કે ખેંચાવવું એટલું જ નહિ પણ શક્તિથી કાંઈક ઓછું ભરવું, હળ, ગાડાં વગેરેથી પણ તેટલું જ કામ લેવું કે જેટલું પશુઓ સુખે સુખે આપી શકે, તેમાં પણ તેઓને અમુક વખત પછી તે આરામ આપવું જોઈએ. ૫. ભક્ત પાનવ્યવચ્છેદ-આહાર-પાણીને અંતરાય. કેઈને પણ આ અંતરાય કરે નહિ, કારણ કે-એમ કરતાં અતિ ભૂખ લાગવાથી તે મરી જાય. શ્રાવકને આચાર એ છે કેપિતે જમવાના અવસરે બીમારી વગેરે કારણ ન હોય તેવાં નેકર-ચાકર કે સંબંધી વગેરે સઘળાં મનુષ્યને, ગાય, ઘેડા આદિ સઘળાં પશુઓને, તથા જે પિતાની નિશ્રામાં (આશ્રયે) હિય, તે તે સર્વની આહાર, પાણી, ઘાસ, દાણા, વગેરે વ્યવસ્થા કરીને પછી ભેજન કરે. ભાતપાણીને અંતરાય પણ સકારણ–નિષ્કારણ એમ બે પ્રકારે છે, તેમાં નિષ્કારણે તે કર જ નહિ; સકારણ પણ માત્ર ગાદિના પ્રસંગે ઔષધાદિના કારણે કરે પડે તે “સાપેક્ષ કરી શકાય. અપરાધીને પણ માત્ર મુખથી જ “આજે તને ખાવા આપીશું નહિ” વગેરે કહે, પણ ભૂખે રાખે નહિ. હા! કેઈસમયે શાન્તિ આદિ અર્થે ઉપવાસ વગેરે કરાવે તે તે આવા અંતરાયરૂપ નથી. વધારે શું? વસ્તુતઃ મૂળ અહિંસા ગુણમાં અતિચાર ન લાગે તેમ વર્તવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy