________________
ઘ૦ સંo ભાવ ૧-વિ. ૨-ગા૦ ૪૩ એમ પ્રસંગે પાત ૩૬૩ પાખંડીઓના ભેદે જણાવ્યા, સમ્યકત્વના પાંચ અતિચારનું સ્વરૂપ અહીં પૂર્ણ થયું; હવે પહેલા શૂલપ્રાણાતિપાત વિરમણવ્રતના પાંચ અતિચારો કહે છે.
मूळ-" वधो बन्धश्छविच्छेदोऽतिभारारोपण क्रुधः ।
મન-વચ્છેતિવારા જથમત્ર એ કરૂ છે” મૂલને અર્થ-“ ક્રોધથી-૧. વધ કર (મારવું), ૨. બંધન બાંધવું, ૩. ચામડીને (ઉપલક્ષણથી અંગોપાંગને) છેદ કરવો, ૪. અતિ ભાર ઉપડાવ અને ૫. ભૂખ્યા-તરસ્યાં રાખવાં, એ પહેલા વ્રતના અતિચારે છે.”
ટીકાનો ભાવાર્થ–પહેલા વ્રતમાં “વધ” નામે પહેલે અતિચાર કહ્યો છે, તે વધીને અર્થ લાકડી વગેરેથી મારવું એ થાય છે. અહીં પુત્રાદિને હિતશિક્ષા માટે કે વિનયાદિ કરાવવા માટે પણ મારવાને પ્રસંગ આવે, કે જે ગૃહસ્થને કરવું પડે, માટે સકારણ માર મારે પડે તે અતિચાર નથી, પણ કોધથી--કષાયવશ થઈને ગાય, ભેંસ, વગેરે પશુઓને; કે પુત્રાદિ મનુષ્યને માર મારે તે અતિચાર છે. બીજો અતિચાર “બંધ” નામને છે. તેને અર્થ
દોરડા વગેરેથી બાંધવું” એવો થાય છે, તે પણ પશુઓને, કે દુરાચારી પુત્ર-પરિવારદિને બાંધવા પડે તે અતિચાર નથી; પણ ક્રોધથી બાંધે ત્યારે અતિચાર છે. ત્રીજે અતિચાર “છવિ
છેદ” નામને છે. અહીં છવિ એટલે શરીર કે ચામડી એવો અર્થ છે, માટે ક્રોધપૂર્વક કાન, નાક કે ગાય વગેરેની ગળકમ્બલ-પૂછડાં વગેરેને છેદ કરે તે અતિચાર છે. આથી એ નક્કી થયું કે-પુત્ર વગેરેના પગે વલમીક નામને (રસળી) રોગ વગેરે થવાથી રોગીનાં અંગ કાપવાં– કપાવવાં પડે તે અતિચાર નથી. ચેાથે અતિચાર–ઉપાડી કે ખેંચી ન શકે તેટલે “અતિ ભાર ઉપડાવ–ખેંચાવ” તેને કહ્યો છે, એથી બળદ, ઊંટ, ગધેડાં કે મજૂર આદિને ખાંધે, પીઠે કે મસ્તકે ગજા ઉપરાન્ત ભાર ભર-ખેંચાવ તે અતિચાર છે. અહીં પણ કઈ પ્રસંગે શક્ય પરિહારે ( નિરુપાય) તેમ કરવું પડે તે અતિચાર નથી, પણ ક્રોધને વશ થઈ દુઃખી કરવાની બુદ્ધિએ, કે લોભને વશ થઈ પૈસા બચાવવાની દૃષ્ટિએ આવી પ્રવૃત્તિ કરે તે અતિચાર છે. અને પાંચમે અતિચાર ક્રોધને વશ થઈ મનુષ્ય કે પશુને ચારે, પાછું કે ખેરાક વગેરે પિતે નહિ આપવું કે બીજા આપનારને રોકવા, અર્થાત્ ભૂખ્યા-તરસ્યાં રાખવાં, તે “ભક્ત પાન-વ્યવચ્છેદ'નામને છે.
આવશ્યકસૂત્રની ચૂર્ણિ વગેરેમાં આ વિષયમાં બતાવેલ વિધિ એ છે કે
૧. વધ-દ્વિપદ-મનુષ્યાદિ અને ચતુષ્પદ-પશુ આદિને માર મારવો તે વધ. આ વધ નિષ્કારણ અને સકારણ એમ બે રીતિએ થઈ શકે, તેમાં વિના કારણ કરે છે તે અયોગ્ય છે જ, જે સકારણ કરવો પડે તે પણ સાપેક્ષ-નિરપેક્ષ એમ બે રીતિએ સંભવે છે, તેમાં નિર્દયપણે માર મારે તે નિરપેક્ષ કહેવાય છે અને તે અયોગ્ય છે. સાપેક્ષ વધને અંગે પણ મુખ્યતયા તે શ્રાવકે પ્રારંભથી પિતાનું જીવન એવું રાખવું જોઈએ કે-પરિવાર આદિ તેના ભયથી પિતાપિતાના કર્તવ્યમાં પરાયણ રહે, કેઈને માર મારવાને પ્રસંગ જ ન આવે; છતાં કે પુત્ર વગેરે વિનયાદિ ન કરે, (અગ્ય વર્તન કરે,) ત્યારે પણ મસ્તક કે નાભિ વગેરે જ્યાં વાગવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org