SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ = = = = ૧૮૦ [ ધ સં. ભા. ૧-વિ૦ ર-ગા કર રહીને પરસ્પર બોલવું, બોલાવવું, વગેરે કુદષ્ટિએને સંસ્તવ-પરિચય કહેવાય, તે પણ સમકિતનું દૂષણ છે; કારણ કે-સાથે રહેવાથી, વારંવાર વાતે સાંભળવાથી અને તેઓની જીવનચર્યા જેવાથી ( જીવ અનાદિકાળથી ભાવુકદ્રવ્ય હોવાથી અને તેઓને ધર્મ સુખશીલીઓ હોવાથી) દઢ સમકિતવાળાનું પણ મન તેઓના ધર્મવ્યવહારાદિમાં આકર્ષાઈ જવાને સંભવ છે, તે મંદબુદ્ધિ કે નૂતન ધમી (જેના સંસ્કારો હજુ દઢ થયા નથી તેવા) માટે તે કહેવું જ શું? અપરિણત ધમને તો એથી' ધર્મભ્રષ્ટ થવાને પણ પ્રસંગ આવે, માટે તેઓની સાથે પરિચય કરવો તે પણ પ્રગટ દૂષણ છે, તેથી તેને સમકિતને અતિચાર કહ્યો છે. એ મિથ્યાષ્ટિ(પાખંડી)ઓના ૩૬૩ ભેદે થાય છે. કહ્યું છે કે" असीइसय किरियाणं, अकिरियावाईण होइ चुलसीई । સદ્દી, વેળા ૨ વર્ષ છે ? ” હું ઘરમુo વૃત્તિ) ભાવાર્થ–“કિયાવાદીના ૧૮૦, અકિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭, અને વિનયવાદીના ૩૨ ભેદે છે. એ રીતિએ કુલ પાખંડીઓના ૩૬૩ ભેદે છે. ” આ ૩૬૩ ભેદે જણાવનારી ગાથા અન્ય ગ્રંથ સાથે સંબંધવાળી છે, છતાં જિજ્ઞાસુ શિષ્યને અનુગ્રહ કરવા માટે તેને અર્થ અહીં કાંઈક માત્ર કહીએ છીએ. ક્યિાવાદી-જેઓ એમ માને છે કે-“કર્તા વિના કિયા સંભવે નહિ, ક્રિયા છે, તે આત્માની સાથે સમવાય સંબંધથી રહેલી છે, માટે તેને સંબંધી આત્મા પણ છે” એમ ક્રિયાવાદીઓ, આત્માદિનું અસ્તિત્વ સ્વીકારવા છતાં તેને ભિન્ન ભિન્ન અપેક્ષાએ સ્વીકારે છે, માટે તેઓના ૧૮૦ પ્રકારો થાય છે, તે આ પ્રમાણે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજેરા, બંધ અને મોક્ષ એ નવ તને કેટલાકે સ્વ-રૂપે સત્ય માને છે અને કેટલાકે પર-રૂપિ૯૪ સત્ય માને છે. એટલે નવ તને માનનારા નવના એ રીતિએ બે બે કરતાં ૧૮ ભેદ થાય તેમાં પણ કેટલાક તે તને સ્વ-રૂપે નિત્ય અને કેટલાક પર-રૂપે નિત્ય માને છે તથા કેટલાકે સ્વ-રૂપે અનિત્ય અને કેટલાકે પર–રૂપે અનિત્ય માને છે; એમ બે બે પ્રકારો પડવાથી અઢારના ૩૬ પ્રકારો થાય તે ૩૬માં પણ કેટલાકે માત્ર કાલવાદી, કેટલાકે માત્ર ઈશ્વરવાદી,૯૬ કેટલાકે ( ૯૩. જેમ સૂર્ય, પ્રદીપ વગેરે સ્વયં પિતાનું સ્વરૂપ જણાવે છે, તેમ વસ્તુ માત્ર પિતાના સ્વરૂપે જ સત્તાવાન છે–એમ માનવું તે ૯૪, કોઈ પદાર્થ પરાપેક્ષાથી જ પિતાના સ્વરૂપને ધારણ કરે છે. જેમ કે-મેટાની અપેક્ષાએ નાનું, પ્રકાશની અપેક્ષાએ અંધારૂં, જીવની અપેક્ષાએ અજીવ, પિતાની અપેક્ષાએ પુત્ર; તેમ વરતુ માત્ર પરની અપેક્ષાએ સિદ્ધ છે-એમ માનવું તે. ૯૫. કાલવાદી એમ માને છે કે-જગતમાં દરેક વસ્તુ કાલકૃત છે. કાળે જ આંબ, ચંપ, અશોક વગેરેને ફુલ-ફળ આવે છે, કાળે જ કરેલી ખેતી પાકે છે; ઠંડી, ગરમી, વર્ષ વગેરે કાળના યોગે જ હોય છે; એક મનુષ્યમાં બાલકપણું, યૌવનાવસ્થા, પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થા થાય છે તે પણ કાળથી જ થાય છે. એમ નહિ માનીએ તે બધી ચીજે હંમેશાં અને તે પણ એક જ રૂપે હોવી જોઈએ ” એમ માનવું પડશે કે જે સત્ય નથી, કારણ કે-એક અમક કાળે થાય, અમુક કાળે ન થાય, વગેરે વિચિત્રતા પષ્ટ છે, માટે કાળથી જ તે બધું થાય છે. ૬. ઈશ્વરવાદી એમ માને છે કે-સર્વ જગત ઈશ્વરકૃત છે. ઈશ્વર એટલે જેનામાં જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy