SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨–સખ્યત્વના અતિચારે ] ૨૭૯ પ્રમાણે કાંક્ષા પણ વસ્તુતઃ શ્રીઅરિહંત ભગવંતના વચનમાં અવિશ્વાસને યોગે જ થાય છે, તેથી તેને સમ્યક્ત્વના દૂષણરૂપ અતિચાર કહ્યો છે. ૩. વિચિકિત્સા એટલે ચિત્તને વિપ્લવ અર્થાત્ “ધર્મક્રિયાનું ફળ મળશે કે નહિ.” એ સંદેહ. આ સંદેહ એ રીતિએ હેય કે-“યુક્તિ અને આરામથી જૈનધર્મ સત્ય તે છે. પણ હું રેતીના કેળીયાની જેમ નિસ્વાદ અને મહા કષ્ટકારી તપનાં જે કષ્ટ ઉઠાવું છું (કઠિન તપ કરું છું), તેનું ફળ ભવિષ્યમાં મળશે કે તે નિષ્ફળ થવાથી માત્ર કષ્ટ જ ભોગવવાનું રહેશે?, કર્મનિર્જ રારૂપ ફળ મળશે કે નહિ?, વગેરે ચિત્તમાં સંદેહ રાખે અને યુક્તિ ઘટાવે કે “જગતમાં ખેતી વગેરેની જેમ ક્રિયાઓ બે પ્રકારની દેખાય છે, કેટલીક ક્રિયાઓ કેઈને સફળ પણ થાય છે અને કેટલીક ક્રિયાઓ કઈને નિષ્ફળ પણ બને છે, તેમ આ ધર્મકિયા પણ સફળ અને નિષ્ફળ બે પ્રકારની હોઈ શકે; તેથી કદાચ મારી તપ વગેરે કિયાનું ફળ મને ન પણ મળે ! વગેરે વિચાર કરે. આવા વિચારો ભગવંતવચનમાં વિશ્વાસના અભાવે થાય છે, તેથી તે પણ સમ્યકત્વના દૂષણરૂપ હોવાથી તેને અતિચાર કહ્યો છે. પ્રશ્ન-જે ઉપર કહ્યાં તે શંકા અને વિચિકિત્સા બને પણ સદેહરૂપ છે, તે બેમાં ફરક શું છે? કે જેથી જૂદા અતિચારે કહ્યા? ઉત્તર-જીવ-અજીવ વગેરે છ દ્રવ્યમાં, તેના ગુણેમાં કે તેના સ્વરૂપવિષયમાં થાય, તે સંદેહ શેકારૂપ છે અને શ્રીજિનેશ્વરદેવે બતાવેલા ધર્મ–અનુષ્ઠાન-કિયાના ફળમાં થાય, તે સદેહ વિચિકિત્સારૂપ છે, એમ શંકા અને વિચિકિત્સામાં વિષયભેદે ભેદ છે. અથવા તે વિચિકિત્સા એટલે સદાચારવાન મુનિવરોનાં સ્નાનાદિના અભાવે શરીર, તથા ધોવાના અભાવે વસ્ત્ર, આદિ મેલથી મલિન દેખીને નિન્દા કરવી કે-“સ્નાન નહિ કરવાથી (શરી. રનો મેલ અને પરસેવે મળવાથી) સાધુઓનાં શરીરાદિ ગંધાય છે, તે કરતાં અચિત્ત પાણીથી સ્નાન વગેરે કરે તે શું વાંધો ?” આ અણગમો કરો અને વિચિકિત્સા કહી છે; સાધના આચારો પ્રત્યે આવી સૂગ પણ ભગવાને કહેલા ધર્મ–આચારના અવિશ્વાસનું પરિણામ છે, તેથી તે સમ્યક્ત્વનું દૂષણ હેઈ અતિચાર છે. ૪. દષ્ટિ પ્રશંસા-શાક્ય, કપિલ કણાદ, અક્ષપાદ આદિ ઋષિઓએ પ્રવર્તાવેલ (જૈનધર્મથી અન્ય) કેઈ પણ મિથ્યાધર્મ કે જે જિનવચનથી (સત્યથી ) વિપરીત હોવાથી કુદર્શન છે, તેને સત્યધર્મરૂપે સ્વીકારી આરાધનારે મિથ્યાષ્ટિ તે કુદષ્ટિ કહેવાય; તેવાની “એ તે પુણ્યશાળી છે, દયાળુ છે, એને જન્મ સફળ છે” વગેરે પ્રશંસા કરવી, તે સમકિતનું પ્રગટ દૂષણ છે, તેથી તેને અતિચાર કહ્યો છે. પ. કુદૃષ્ટિ પરિચય–ઉપર જણાવ્યા તે અન્ય ધમીઓની સાથે એક સ્થાને (ભેગા) ૨. પ્રગટરૂપે મિદષ્ટિની પ્રશંસા અને પરિચયને જોઈને ગતાનગતિક સ્વભાવવાળો લેક તે ધર્મની પ્રશંસા-પરિચય કરતા થઈ જાય, તેથી મિયાધર્મની પુષ્ટિ વગેરે અનેક દૂષણ નિપજે. પ્રથમના ત્રણ અતિચારે ગુપ્ત છે અને છેલ્લા બે પ્રગટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy