________________
[ ધ સં૦ ભા. ૧-વિ૦ ર-ગાહ ૪૨ એક નિગોદમાં-એક શરીરમાં અનંતા જ હોય છે, એમ કહ્યું છે તે કેમ બની શકે?” વગેરે કેઈ એકાદ પદાર્થમાં કે પદાર્થના અમુક સ્વરૂપમાં શંકા કરવી તે દેશ શંકા કહેવાય છે. વસ્તુતઃ બન્ને પ્રકારની શંકા શ્રીજિનેશ્વરદેવના વચનમાં વિશ્વાસ–શ્રદ્ધા ન હોવાથી જ થાય અને શ્રીજિનવચનમાં અશ્રદ્ધા તે સમ્યકત્વનું દૂષણ છે, માટે શંકાને સમ્યકત્વને પ્રથમ અતિચાર કહ્યો છે.
૨. કાંક્ષા-અન્ય અન્ય ધર્મની ઈચ્છા કરવી તે કાંક્ષા; તેના પણ બે પ્રકારો છે, એક દેશકાંક્ષા અને બીજી સર્વકાંક્ષા. સર્વકાંક્ષા તે છે કે જેમાં સર્વ પાખંડી ધમેને અન્ય ધર્મોને) સેવવાની ઈચ્છા હોય, દેશકાંક્ષાને અર્થ એ છે કે જેમાં બધા નહિ પણ કઈ એક પાખંડી ધર્મને સેવવાની ઈચ્છા હોય. જેમ કે-“બુદ્ધ; પિતાના ધર્મમાં સાધુઓને સ્નાન, પાન, બિછાનાં, શયન વગેરે દરેક જે રીતિએ શરીરને સુખ ઉપજે તે તે રીતિએ વાપરવું, એમ ઉપદેશ કરીને તદ્દન કષ્ટ વિનાને ધર્મ બતાવ્યો છે ” બુદ્ધે કહ્યું છે કે
" मृद्वी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराहने ।
द्राक्षारखण्डं शर्करा चार्धरात्रे, मोक्षश्चान्ते शाक्यसिंहेन दृष्टः ॥ १॥" ભાવાર્થ-“રાત્રે કેમળ શય્યા, સવારે ઉઠીને ખીર, મધ્યાહુને ભજન, સાંજે (સુરા, ભાંગ વગેરે) પીણાં અને અદ્ધ રાત્રે દ્રાક્ષા, ખાંડ, સાકર વગેરેને ઉપયોગ કરતાં અંતે મોક્ષ થાય-એમ (બૌદ્ધગુરુ) શાક્યસિંહે જોયું છે.”
બૌદ્ધનું એ વચન પણ વ્યાજબી છે; તેમ જ પરિવ્રાજક, ભૌત, બ્રાહ્મણે વગેરે પણ “સ્નાન વગેરે કરવા છતાં અને વિષયાદિ ભેગવવા છતાં પણ પરલમાં અભીષ્ટ સુખો મળી શકે એમ માને છે, માટે તેઓનો ધર્મ પણ ઉત્તમ છે-સહેલે છે” વગેરે વિચારવું-ઈચ્છા કરવી, તે દેશકાંક્ષા કહેવાય છે. જેમ વધુ પકાવવાની ખાતર ઊખર ભૂમિ, નીચી ભૂમિ અને વાવેતર કરવા લાયક ભૂમિ-એમ સર્વ સ્થલેએ બીજને વાવી કે ખેતી કરે, તેમ એવા પણ મુગ્ધ બુદ્ધિવાળા મનુષ્ય નજરે પડે છે કે જેઓ, ઘણે ધર્મ કરવાની બુદ્ધિએ સર્વ ધર્મોને આરાધે છે. એ
૯. વસ્તુતઃ શંકાદિ અતિચારો ધર્મની સાચી ભૂખ-અર્થી પશુના અભાવે થાય છે. જેમ એક માણસ પિતાના પિતાદિ વડિલો, જેઓને તેણે જોયા પણ નથી, જેઓ છદ્મસ્થ હોવાથી રાગ, દ્વેષ, લેભ વગેરે અનેક દોષથી યુક્ત હતા, તેઓના પણ લખેલા પડાને, લેખને કે કરારને સાચા માને છે–મંજૂર રાખે છે, તેને સાચા ઠરાવવા કૅટ સુધી પણ પહેચે છે અને તે દ્વારા પિતાનો સ્વાર્થ સાધે છે, તે જ માણસ જ્યારે એક પણ દેશ જેઓમાં નથી, તે શ્રીવીતરાગદેવના વચનમાં “આ સાચું હશે કે ખોટું ? આ આમ કેમ બની શકે?” વગેરે વગેરે તરંગે-કલ્પનાઓ કરે, ત્યારે તે સાચું કેમ મનાય ? જેમ સાચી ભૂખવાળે ભજનનો વાંક કાઢત નથી, પણ ભૂખ ન લાગી હોય તેવો કે રેગી માણસ “આ તે ભાવતું નથી. આ તે સારૂં નથી, આ તે મને માફક નથી” વગેરે બેલીને ઉત્તમ ભેજનને પણ દેષિત કરે છે, તેમ ભાકિમી છે, મિથ્યાત્વ રંગના જોરે સંસાર કે ધર્મનું સત્ય સ્વરૂપ સમજી શકતા નથી, ઊલટું અસત કપનાઓ કરી શ્રીજિનવચનોને પણ મિથ્યા કે દૂષિત ઠરાવવા પ્રયત્નો કરે છે.
- ૯૧. વસ્તુતઃ જેમ યોગ્ય ભૂમિમાં કરેલું વાવેતર 5 મહેનતદ્વારા ઘણો પાક આપે છે અને સર્વત્ર વાવેતર કરનાર બીજ ગુમાવે છે–ચોગ્ય ભૂમિમાં પૂર્ણ પ્રયત્ન કરી શકતા નથી, તેમ સર્વ ધર્મોને આરાધના પણ લાભને બદલે તે જ મેળવે છે. ઔચિત્ય તે સર્વનું કરવું જોઈએ, કિન્તુ ધર્મબુદ્ધિએ તે અન્ય ધર્મની ઈચ્છા પણ કરવી તે દૂષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org