________________
પ્ર૦ ર્-અતિથિ વિભાગ વ્રત ]
૨૭૩
અતિથિસંવિભાગ માટે વૃદ્ધપરપરાથી સામાચારી આ પ્રમાણે છે– પૌષધના પારણે શ્રાવકે ( શકય હાય ત્યાં સુધી) અવશ્ય સાધુઓને દાન દઈને પારણું કરવુ' જોઈ એ; માટે જ્યારે જમ વાના અવસર થાય ત્યારે પોતે સુંદર વસ્ત્ર-અલ'કાર પહેરીને શેાભાપૂર્વક સાધુને ઉપાશ્રયે જઇ, તેઓશ્રીને નિમંત્રણ કરે કે–હે ભગવન આહાર-પાણી વહેારવા પધારો ! ’
એમ વિનતિ કરે ત્યારે સાધુઆએ જેમ અને તેમ જલ્દી તૈયારી કરવી જોઈ એ, કારણુ કે—વિલંબ કરવાથી આહારાદિ રાખી મૂકે તેા સાધુને સ્થાપનાદોષ લાગે અને શ્રાવકને જમવાને જેટલે વિલંબ થાય તેટલે અંતરાય કરવાથી સાધુને ભાગાંતરાયાદિ કમ અ'ધાય; માટે એક સાધુ ૬ પડલા ’ તુજ ડિલેહણ કરે, બીજા મુહુપત્તિનુ પડિલેણ કરે, તે ત્રીજા પાત્રાંનું પડિલેહણ કરે, અર્થાત્ શકય હાય તેટલી જલ્દી તૈયારી કરે તેમાં એટલું વિશેષ છે કે-શ્રાવકો પહેલા પ્રહરમાં ( સવારે જ ) વડેારવાનું નિમંત્રણ કરે, ત્યારે સાધુએમાં કોઈ નમુક્કારસહિના પચ્ચક્ખાણે વાપરનાર હોય તેા વહારી લાવે, પરન્તુ તે વેળા કાઈ વાપરનાર ન હૈાય તે નિષેધ કરે; કારણ કે-વાપરનાર વિના વહોરીને લાવી રાખવાથી તે આહારને ખપેાર સુધી સંભાળવા પડે, કારણ કે—નહિ સંભાળવાથી તેમાં કીડી આદિ જીવા ચઢે, વગેરે વિરાધનાઢિ થાય; માટે જરૂર વખતે જ આહારસિંહ લાવવાના સાધુના મુખ્ય આચાર હેાવાથી વહેલા નિમંત્રણ મળવા છતાં તેને નિષેધ કરે; તેમ છતાં શ્રાવક આગ્રહ કરે, તેા ( તેની શ્રદ્ધા ટકાવવા માટે) તે વખતે પણ વહેારી લાવે અને પ્રયત્નપૂર્વક જાળવી રાખે; અથવા પાદેનપેરિસી એટલે સૂર્યોદયથી પેણા પ્રહરે સાધુને ભણાવ વાની પેરિસીના કાળે, જો કોઈ તપસ્વી કે અન્ય સાધુ કારણસર વાપરનાર હોય તે તેને તે આપે. વડારવા જવાની રીત એવી છે કે-તે શ્રાવકની સાથે સઘાટક૪ (એ સાધુએ ) જાય, કારણ કેએક જ સાધુને માકલવા તે વ્યવહાર (શુદ્ધ) નથી, એમ સાથે ચાલતા સાધુએ આગળ અને શ્રાવક પાછળ પાછળ ચાલે, એ રીતિએ મુનિઓને ઘેર લાવી ( પાટ, પાટલા કે ગરમ વસ્ત્રાદિ ) આસન આપી બેસવાની વિન ંતિ કરે. જો સાધુએને આસન ઉપર બેસવાની જરૂર જણાય, અને મેસે તેા ઘણું સારૂં; ન બેસે તે પણ શ્રાવકને તે તેવા બિનય કરવાથી લાભ મળે જ. પછી અતિથિસ'વિભાગ કરનાર પોતે આહાર, પાણી વગેરે સ્વય' વહેારાવે, અગર ખીજા વહેારાવે તે પણ આહારાદિનાં ભાજન ગુરુની સામે ધરી, તેઓ વહારે ત્યાં સુધી પાતે ઊભા રહે, બેસે નહિ. સાધુ પણ પદ્માકલ્પ દોષ ન લાગે તે માટે ભાજનમાંની વસ્તુ સમ્પૂર્ણ નહિ વહારતાં તેમાં બાકી રાખે. એ પ્રમાણે વહેારાવ્યા પછી વન્દન કરીને, સાધુઓને ઉપાશ્રયે જતાં તે ( સ્વશક્તિ-શ્રદ્ધા અનુસારે ઓછામાં
૮૩. ગાચરીની ઝાળીને ઢાંકવાનાં વસ્ત્રના ત્રણ, ચાર કે પાંચ પડ ( ટૂકડા ) હેાય, તેને પડલાં કહે છે.
૮૪. એ સાધુએ સાથે ગોચરી જવાનેા સાધુઆચાર ધણા ગુણાનું કારણ છે, એ સાથે હોવાથી ગોચરીના દોષોને વધુ ખ્યાલ રહે, લેાલુપતાદિ દોષો જોર ન કરી શકે, બ્રહ્મચય જેવું રત્ન જોખમમાં ન મૂકાય અને ગોચરી વહારવાનું જ્ઞાન વધે, વગેરે અનેક લાભનું કારણ છે; એકલા જવાથી ઘણા દુર્ગુણો વધે અને બ્રહ્મ ચ નાશ થવાના પ્રભુ પ્રસંગ આવે.
૮૫. ભાજનમાંથી સમ્પૂર્ણ વહેારાવતાં ખાલી થયેલા પાણી વગેરેથી સાક્ કરે, તા તે અંગે થતી વિરાધનામાં સ ક્રિયા થાય તે પશ્ચાત્કમ કહેવાય.
૩૫
Jain Education International
પાત્રને (કે ખરડેલા હાથને ) ગૃહસ્થ સચિત્ત નિમિત્ત બને. એ મુજબ વહેારાવ્યા પછીની જે
For Private & Personal Use Only
www.jainelibrary.org