________________
૨૭ર
[ ધ સં. ભા. ૧-વિર ર–ગા ૪૦ તથા “ધીર અને શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાના પાલક ઉત્તમ શ્રાવકે, સાધુઓને કલ્પ તેવી જે ચીજ અલ્પ માત્ર પણ કઈ સાધુને વહેરાવી ન હોય, તેને કદી પોતાને માટે ઉપ
ગ કરતા (વાપરતા નથી. (૧) રહેવા માટે સ્થાન, શય્યા, આસન, આહાર, પાણી, ઔષધ, અને વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણે શ્રાવકે પોતે વિપુલ સંપત્તિવાન ન હોય, તે ચેડામાંથી થોડાં પણ મુનિને આપવાં. (૨)” વાચક મુખ્ય શ્રીઉમાસ્વાતિ મહારાજ તે કહે છે કે
" किश्चिच्छु, कल्प्यमकल्प्यं स्यादकल्प्यमपि कल्प्यम् ।
પિve શા વë, પત્ર વા મેવા વા ?” " देशं कालं पुरुष-मवस्थामुपयोगशुद्धिपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्य, नैकान्तात् कल्पते कल्प्यम् ॥ २॥"
(રામતિ -૨૪૬) ભાવાર્થ-“આહારાદિ પિડ, શય્યા, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે કઈ પણ વસ્તુ નિર્દોષ અને કષ્ય હોય, તે પણ અપેક્ષાએ અકઃપ્ય બને છે અને અકલ હોય તે પણ અપેક્ષાએ કહષ્ય ગણાય છે. (૧) કારણ કે–દેશ, કાળ, લેનાર-દેનાર વ્યક્તિ, તેની અવસ્થા (સંગ), વસ્તુને ઉપયોગ (જરૂરીયાત) અને હૃદયને શુભ ભાવ; વગેરેની અપેક્ષાએ અકથ્ય પણ કલધ્ય અને કષ્ય છતાં અકલખ્ય પણ બને છે. તાત્પર્ય કે-જે જે દેશ-કાળ વગેરેની અપેક્ષાએ લેનારદેનારને લાભનું (સંયમનું) પિષક બને, તે સર્વ દાન અકલ હોય તે પણ કહષ્ય જાણવું અને કષ્ય છતાં જે સંયમઘાતક બને તે અકથ્ય જાણવું. એકાન્ત કઈ કલ્પ્ય પણ કલબ્ધ ગણાતું નથી. (૨)
પ્ર-શાસ્ત્રમાં જેવી રીતિએ આહારનું દાન કરનારા સંભળાય છે, તેવી રીતિએ વસ્ત્ર વગેરેનું દાન કરનારા સંભળાતા નથી, તેમ જ વસ્ત્ર વગેરેનું દાન આપનારને શું ફળ મળે તે પણું શાસ્ત્રમાં સાંભળવામાં આવતું નથી; તે વસ્ત્ર, પાત્ર વગેરેનું દાન કેમ એગ્ય ગણાય ?
ઉત્તર-તમે માને છે તેવું નથી, કારણ કે-ભગવતીજી વગેરે આગમગ્રંથમાં વસ્ત્ર વગેરેનું દાન આપવું–એમ સ્પષ્ટ કહેલું છે, જુઓ એ પાઠ.. "समणे निग्गंथे फासुयएसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं वत्थ--पडिग्गह-कंबल-पायपुंछणेणं વઢ-સિગા—સંથારોમાં વામેના વિરતિ ”
ભાવાર્થ—“ શ્રમણ નિર્ચને અચિત્ત અને નિર્દોષ આહાર, પાણી, ખાદ્ય, સ્વાદ્ય તથા વસ્ત્ર, પાત્ર, કંબળ પાદપ્રાંછન (રજોહરણ), પાટ, પાટીયાં, શય્યા, સંથારા વગેરેનું દાન કરવાપૂર્વક (ઉત્તમ શ્રાવક) પોતાને કાળ નિર્ગમન કરે છે.”
માટે સંયમના આધારભૂત જે શરીર, તેને ઉપકારક હોવાથી આહાર, પાણી વગેરેની જેમ વસ્ત્ર વગેરે પણ સાધુઓને વહોરાવવું જોઈએ; વસ્ત્ર, પાત્ર વગેરે સંયમમાં કેવી રીતિએ ઉપકારી બને છે, તે આ ગ્રંથના બીજા ભાગમાં સાધુધર્મના વર્ણનમાં કહેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org