________________
૨૫૮
[ ૧૦ સં૦ ભા૧-વિ૦ ૨-ગા. ૩૯ માગી વસ્ત્રો, કામળી વગેરે બાકીના પિતાનાં વસ્ત્રો)નું પડિલેહણ કરે; પછી યતનાપૂર્વક પૌષધશાળાની” પ્રમાર્જન કરી કાજે (કચરો વગેરે) ઉદ્ધરીને પરવે; તે પછી ઈરિયાવહિ૦ પ્રતિક્રમણ કરીને, ગમણગમણે આવવાપૂર્વક ખમાસમણ દઈને સાધુની જેમ માંડલીમાં સ્વાધ્યાય કરે; ત્યાર પછી ભણે-ગણે, પુસ્તક વાંચે; એમ કરતાં જ્યારે ઉપદનપરિસીને સમય થાય ત્યારે ખમાસમણ દેવાપૂર્વક “ઈચ્છા સંદિ. ભગ બહુ પડિપુના પિરિસી!” એમ કહીને બીજું ખમાસમણ દઈ આદેશ માગી, ઈરિયાવહિ પડિકકમી, પુનઃ ખમાસમણ દઈ,
ઈચ્છા સંદિ. ભગ0 પડિલેહણ કરું?” એમ આદેશ માગી, “ઈચ્છ' કહી, મુહપત્તિનું પડિલેહણ કરે અને પુનઃ ભણવું, વાંચવું વગેરે જ્ઞાન-ધ્યાન કરે. એ રીતિએ મધ્યાહ્ન સમયે કાળવેળા ન થાય ત્યાં સુધી (સૂર્યોદય અને સૂર્યાસ્તના મધ્યકાળની પહેલાં ૨૪ મીનીટથી શરુ થઈને પછીની ૨૪ મીનીટ સુધી–એમ દિનમાનના મધ્યની ૪૮ મીનીટ કાળવેળા, એટલે જ્ઞાન ભણવા માટે તે અકાળ છે તેની શરૂઆત ન થાય ત્યાં સુધી) જ્ઞાન-ધ્યાન કરે; પછી દેવ વાંદવાના કvહાય તે ત્રણ વાર “આવસહિ” કહેવાપૂર્વક શ્રીજિનમંદિરે જઈ દેવવંદન કરે; ત્યાંથી આવી જે પચ્ચક્ખાણ પારવાનું હોય તે જે પચ્ચકખાણ કર્યું હોય તેને સમય પૂર્ણ થાય ત્યારે ખમાત્ર દઈ મુહપત્તિ પડિલેહવાને આદેશ માગી, મુહપત્તિનું પડિલેહણ કરે; પછી ખમા દઈ આ પ્રમાણે પાઠ બેલે.
" पारावह पोरिसी पुरिमुड्ढो वा, चउआहार कओ तिहार कओ (वा) आसि, निविएणं आयंबिलेणं एगासणेणं पाणाहारेण वा जा काइ वेला तीए ".
ભાવાર્થ – પચ્ચકખાણ પર! પિરસી, પુરિમÇ વગેરે ચઉવિહાર કે તિવિહાર (જે કર્યું હોય તે) અને નવી, આયંબિલ, એકાસણું કે પાણહાર, જે પચ્ચકખાણ કર્યું હોય તેને સમય થાય ત્યારે.” (વસ્તુતઃ આ પચ્ચકખાણને પાઠ પ્રાચીન ભાષામાં છે, જેથી વાક્ય, ક્રિયાપદ, કર્મ વગેરેને વ્યવસ્થિત સંબંધ તેમાં જણાતું નથી, તે પણ આશય એ છે કે-જે પચ્ચખાણ જે સમય સુધીનું કર્યું હોય તેટલે સમય પૂર્ણ થયેથી તે પચ્ચકખાણ પારવાની ભાવના હોય
૬૦. મકાનમાંથી કચરે ભેગા કરીને, ઉદ્ધરીને એટલે તેમાં જીવનું કલેવર વગેરે હેય, અનાજ વગેરે સચિત્ત વસ્તુ હોય અગર જીવ હોય, તે બધું તપાસીને યથાસ્થાને પાઠવે. કચરાને બહાર યોગ્ય જગ્યાએ અણુજાહ જસુગ” કહી જયણાથી મૂકે અને પછી “વોસિરે સિરે સિરે” કહે. આ ક્રિયાને પરઠવવું ” કહેવાય છે.
૬૧. હરતાં-ફરતાં થયેલ વિરાધનાને અંગે મિચ્છામિ દુક્કડં દેવ, તે “ગમનાગમન ”ની આલોચના કહેવાય છે.
૬૨. શ્રાવકોના મંડલમાં એટલે સર્વની સાથે સ્વાધ્યાય કરે, અથપત્તિએ “મનંદ નિવ” વગેરે પાંચ ગાથાની સજઝાય કહે, વર્તમાનમાં ત્રિકાળ દેવવન્દન કરાય છે. તે પૈકી પ્રાતઃકાળનું આઠ થેયનું દેવવન્દન કરીને સઝાય કરવાને વ્યવહાર ચાલુ છે.
૬૩. દિનમાનને ચોથો ભાગ તે પ્રહર કહેવાય, તેમાંથી “પાદન” એટલે “ પાદ ઓછું” અર્થાત્ સૂર્યોદયથી પિણે પ્રહર પૂર્ણ થયે “પાદેન પરિસિ' થાય છે. કોઈ હંમેશને માટે સૂર્યોદય પછી છ ઘડી વ્યતીત થાય ત્યારે “પાદન પરિસિ” માને છે.
૬૪. વર્તમાનમાં મધ્યાહ્નનું દેવવંદન પણ અવશ્ય કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org