SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨–પૌષધપવાસ વ્રત ] ૨૫૧ આહારને આખા દિવસ–રાત્રિ માટે સંપૂર્ણ ત્યાગ કર, તેને સર્વથી આહારત્યાગ-પૌષધ કહ્યો છે; ૨-શરીરસત્કારમાં, અમૂક છૂટ રાખી બાકીને ત્યાગ કરે, તેને દેશથી શરીરસત્કારત્યાગ-પૌષધ કહ્યો છે અને સર્વ રીતિએ સર્વ પ્રકારને શરીરસત્કાર તજ, તેને સર્વથી શરીરસત્કારત્યાગ–પૌષધ કહ્યો છે, ૩-મૈથુનને દિવસે જ ત્યાગ કર કે રાત્રિમાં એક યા બેથી વધારે વાર સ્ત્રીસેવનને ત્યાગ કરે, તેને દેશથી બ્રહ્મચર્ય-પૌષધ કહ્યો છે અને પૂર્ણ એક રાત્રિ-દિવસ સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું તેને સર્વથી બ્રહ્મચર્ય—પૌષધ કહ્યો છે તથા ૪-અવ્યાપારત્યાગપૌષધમાં અમુક એક અથવા વધારે કુવ્યાપારને તજવા, તેને દેશથી કુવ્યાપારવર્જન, તથા ખેતી, વ્યાપાર, નેકરી, પશુપાલન, ઘરનું સર્વ કામકાજ વગેરે દરેક સાવદ્ય વ્યાપારને ત્યાગ કર, તેને સર્વથી કુવ્યાપારવજન-પૌષધ કહ્યો છે. અહીં એટલે વિશેષ છે કે–દેશથી કુવ્યાપારત્યાગ–પૌષધમાં તે સામાયિક ઉચ્ચરે અથવા ન ઉચ્ચરે, પણ સર્વથી પા૫વ્યાપારત્યાગ–પષધમાં તે નિશ્ચયથી સામાયિક ઉચ્ચરવું જ જોઈએ; જે ન ઉચ્ચરે તે તેના ફળથી વંચિત રહે. સર્વથી પૌષધવત (સામાયિકની જેમ) ૧-જિનમંદિરે (સભામંડપમાં), ૨-સાધુ-મુનિરાજની પાસે, ૩–પિતાના સ્થાનમાં અથવા ક–સઘળા શ્રાવકેને ધર્મકાર્યો કરવાના સ્થાનરૂપ પૌષધશાળામાં (પોશાળમાં)-એ ચારમાંથી કઈ પણ સ્થળે કરી શકાય છે. પૌષધવ્રત કરનાર શ્રાવક મણિ, સોના, ચાંદી વગેરેના પહેરેલા અલંકારે ઉતારીને, કુલમાળા તથા શરીરે વિલેપન કે (મેંદી વગેરે) રંગે વગેરે કર્યા હોય તેને કાઢી નાખીને અને શસ્ત્રોને પણ ત્યાગ કરીને પૌષધ અંગીકાર કરે. પૌષધ સ્વીકાર્યા પછી ભણે, વાંચે અથવા ધર્મધ્યાન કરે કે-હું મંદભાગી સાધુના ગુણેને ( સાધુપણાને) માટે અસમર્થ છું, (યારે એ સામર્થ્ય આવે ? સાધુપણાને પામેલા તે પુણ્યપુરુષે જ જગમાં ધન્ય છે-કૃતકૃત્ય છે–પૂજ્ય છે) વગેરે ચારિત્રનું ધ્યાન કરે, એ પ્રમાણે આવશ્યકચૂર્ણિ તથા શ્રાવકપ્રજ્ઞપ્તિની ટીકા વગેરેમાં પૌષધને વિધિ બતાવેલ છે. ગશાસ્ત્રની ટીકામાં એટલું વિશેષ છે કે-જે આહારત્યાગ, શરીરસત્કારત્યાગ અને બ્રહ્મચર્ય— પૌષધની જેમ કુવ્યાપારવર્જનપૌષધ પણ “અન્નત્થણાભોગેણું” વગેરે આગા સહિત અંગીકાર કરેલ હોય, એટલે કે આગા રાખેલા હોય તે તેને સામાયિક કરવું સાર્થક છે, અન્યથા નહિ; કારણ કે-પૌષધનું પચ્ચકખાણ (આગાર સહિત) સ્થૂલરૂપે છે અને સામાયિક-ત્રત (નિરાકાર હોવાથી) સૂફમરૂપે છે. તે પણ પૌષધમાં સાવદ્ય વ્યાપારને સર્વથા (આગારે રહિત) ત્યાગ કર્યો હોય તે સામાયિક નહિ કરવાથી તેના લાભથી વંચિત રહે (માટે પૌષધ સાથે સામાયિક પણ કરવું ઠીક) છે. હા, જેણે સામાચારીની ભિન્નતાથી પૌષધ પણ સામાયિકની જેમ “વિહં સિવિલં” વગેરે ભાંગે મન, વચન અને કાયાથી પાપ કરવા અને કરાવવાના ત્યાગરૂપે અંગીકાર કર્યો હોય, તેને સામાયિકનું કામ પૌષધથી જ સરે છે, તેથી સામાયિક ખાસ વિશેષ ફળરૂપ થતું નથી, છતાં “મેં પૌષધ અને સામાયિક-એમ બે વ્રત અંગીકાર કર્યો ૪૭. જે પૌષધ આગાર વિના ઉચ્ચર્યો હોય, તે સામાયિક અને પૌષધમાં કાંઈ ફરક રહેતો નથી. જે પૌષધ આગાર રાખીને સ્થૂલરૂપે ઉચ્ચર્યો હોય, તે જ સામાયિક સૂક્ષ્મરૂપે લેવાથી વિશેષ ફલસાધક બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy