SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ vo ૨-સામાયિક વ્રત 1 ૨૮૩ કરવા છતાં પણ ગૃહસ્થને પુત્ર, નકર વગેરે જે પાપકર્મો કરે તેની (સહવાસ વગેરે) અનુમદનાને ત્યાગ કર અશક્ય છે. અહીં એ પ્રશ્ન થાય કે સૂત્રમાં તે પહેલાં “વિદ્' શબ્દથી પાપના બે પ્રકારે કહીને પછી “તિવિ” શબ્દથી ત્રણ સાધનો કહ્યાં છે. એ અનુક્રમથી તે “ન મ ર ીમિ મને વાયા Tui' એ પાઠ રાખવું જોઈએ, કારણ કે-વ્યાખ્યા “ચાં નિઃ ” અર્થાપ્રતિજ્ઞાત ક્રમથી કરવી જોઈએ, તેને છોડીને અહીં ઊલટે કમ કેમ રાખ્યો? તેનું સમાધાન કહે છે કે–પાપમાં સાધનની પ્રાધાન્યતા જણાવવા તે પહેલાં કહ્યાં અને વ્યાપારની ગૌણતા જણાવવા તે પછી કહ્યાં છે; વસ્તુતઃ વ્યાપાર સાધનને આધીન છે, કારણ કે-સાધન હોય તે વ્યાપાર થાય અને સાધન ન હોય તે વ્યાપાર થઈ શકે નહિ. અહીં “મને વાયા વાવ” એમ કહી મન, વચન અને કાયાદ્વારા–“ર શનિ રામ=નહિ કરું–નહિ કરાવું” એમ કહ્યું, તેમાં મન, વચન અને કાયાની પા૫વ્યાપારમાં મુખ્યતા છે, તેથી પાપવ્યાપાર તે તે યોગને આધીન છે–એમ જણાવવા આ ઉત્ક્રમ રાખેલે છે. હવે એ પાપ વ્યાપારના ત્રણ કાળની અપેક્ષાએ ત્રણ વિભાગ (અવય) થાય છે. તે પૈકી ભૂતકાલીનને અંગે કહે છે કે-રર મંરે ! ઘડિમામિ નિવામિ વિદ્યામિ' અર્થા-મણે !” એટલે હે ભગવંત!, “તદ્ઘ' એટલે તે (પાપ વ્યાપારના ત્રણ કાળને આશ્રીને ત્રણ અવયવ – વિભાગે પિકી) ભૂતકાળમાં કરેલા પાપ વ્યાપારનું “ઇતિમાજિ” એટલે પ્રતિક્રમણ કરું છું– તેનાથી પાછો ફરું છું. (દૂર થાઉં છું, તે પાપને દૂર કરું છું.) “નિંવામ” એટલે મારા આત્માની સાક્ષીએ જુગુપ્સા–નિંદા કરું છું અને “કામ” એટલે તેને આ૫–ગુરુની સાક્ષીએ પ્રગટ કરું છું. અહીં પ્રશ્ન થશે કે–સૂત્રની શરૂઆતમાં જ એક વાર “મને ” શબ્દથી ગુરુને આમંત્રણ કરવા છતાં ફરી અરે શબ્દ શા માટે કહ્યો? તેનું સમાધાન એ છે કે-ગુરુ પ્રત્યે પિતાની ભક્તિને અતિશય બતાવવા, અથવા તો પ્રત્યર્પણ એટલે “સામાયિક કાર્ય મેં આપની કૃપાથી કર્યું' તેનો યશ આપને ઘટે છે, વગેરે કૃતજ્ઞપાણું જણાવવા માટે પુનઃ આમંત્રણ કર્યું છે. ભાગ્યકાર શ્રીજિનભદ્રગણક્ષમાશ્રમણે કહ્યું છે કે " सामाइअपच्चप्पण-वयणो वाऽयं भयंतसद्दोऽवि । સંપિરિવાવા, વામપાળ ?”(વિરપાવ ભo ૩૭૨) ભાવાર્થ—અથવા આ “ભદંત (તે)!” શબ્દ સામાયિકના પ્રત્યર્પણને પણ વાચક છે, એમ સમજવું. આથી એમ કહેવામાં આવ્યું કે-સર્વ ક્રિયાને અંતે પ્રત્યર્પણ કરવું જોઈએ.” તથા “અgi વોસિરામિ'(આત્માને શુરૂઝામિ) એટલે ભૂતકાળમાં પા૫વ્યાપાર કરનારા તે મારા આત્માને સર્વથા (વિશેષ પ્રકારે–વિવિધ પ્રકારે) તજું છું. ૪૦. અહી પ્રત્યર્પણ એક વિનયરૂપ સમજવું. કેઈ અમુક કામ કરવાને વડિલની સમક્ષ સ્વીકાર કર્યા પછી, તેને પૂર્ણ કરીને એમ કહેવું કે-“આપની આજ્ઞા પ્રમાણે મેં એ (અમુક) કામ કર્યું ” એ ઉત્તમ વિનય રૂપ છે. તેને જ અહીં પ્રત્યર્પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં ઠામઠામ આવું પ્રત્યર્પણ જણાવેલું જોવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy