________________
પ્ર. ૨-સામાયિક વ્રત ].
૨૩૯ પવાસ અને શું અતિથિસંવિભાગ. આ ચારેય તે અમુક કાળ સુધીનાં જ હોય છે, અને ગુણવ્રતે તે પ્રાયઃ ચાવજ જીવ સુધીનાં હોય છે, માટે ગુણવતથી જુદાં કહ્યાં છે. તેમાં પણ સામાયિક અને દેશાવળાશિક તે પ્રતિદિવસે પણ એક કે વધુ વાર પણ કરી શકાય છે અને પૌષધપવાસ તથા અતિથિસંવિભાગ દરરોજ નહિ પણ (પ્રાય) અમુક દિવસે (દિવસમાં એક જ વાર) કરી શકાય છે. એ પ્રમાણે આવશ્યકસૂત્રમાં છઠ અધ્યયનની ટીકામાં વિવેક–વિભાગ કરે છે. તેમાંના પહેલા શિક્ષાપદ-વ્રતનું સ્વરૂપ કહે છે- મૂ-“પાવાપુરા, સુનાહિત શા
એકમાવો દૂર્વ ત, વ્રત સામાયિlહુ | રૂ૭ ” મલાથ“પાપવ્યાપારથી મુક્ત અને સુર્યાનથી રહિત આત્માને જે મુહૂર્ત(બે ઘડી)પ્રમાણ સમતાભાવ, તે સામાયિક નામનું વ્રત છે.”
ટીકાનો ભાવાર્થ “સાવદ્ય એટલે વચનથી અસત્યાદિ ભાષણ અને કાયાથી અશુભ હિંસાદિ પ્રવૃત્તિ, એ બંનેથી જે આત્મા રહિત હોય, ઉપરાન્ત આધ્યાન તથા રૌદ્રધ્યાનરૂપ મનની દુષ્ટ પ્રવૃત્તિથી પણ રહિત હોય, તેવા આત્માને એક મુહૂર્ત (બે ઘડી) સુધી “સમતાભાવ અર્થાતુ રાગ-દ્વેષનાં નિમિત્તો ઉપસ્થિત થવા છતાં પણ રાગ-દ્વેષ ન કરવા” એ રાગષિને જે અભાવ તે સામાયિક-ત્રત સમજવું. આથી નકકી થયું કે-મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિઓના ત્યાગ વિના જીવમાં સામાયિક પ્રગટ થતું નથી. શાસ્ત્રકારોએ “સામાયિક
૩૭. સામાયિકમાં પણ છવને રાગ-દ્વેષ થઈ જાય તે અનાદિ સ્વભાવનું પરિણામ છે. વારંવાર સામાયિક કરવાથી તે ટળે છે અને પરિણામે ઉપર જણાવેલું શુદ્ધ સામાયિક જીવને પ્રાપ્ત થાય છે. આથી સામાયિક વારંવાર કરવું જરૂરી છે અને રાગ-દ્વેષને ટાળવાને-સ્વભાવને કેળવવાને પૂર્ણ ઉપયોગ રાખવો પણ જરૂરી છે. તેને
છે કે રાગ-દેષ થઈ જાય તે સામાયિક ન મનાય માટે તે કરવું જ નહિ. વસ્તુતઃ કોઈ પણ આત્મગુણ પ્રગટ કરવા માટે પહેલાં તેને સતત અભ્યાસ કરવો પડે છે. અભ્યાસથી જ ગુણ પ્રગટ થાય છે, માટે જ્ઞાનીઓએ નીચેના ગુણસ્થાનકે પણ ઉપર ઉપરના ગુણસ્થાનકની કરણ કરવાનું વિધાન કર્યું છે. પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સ્વકૃત પચ્ચક્ખાણ-અષ્ટકમાં જણાવે છે કે“ जिनोक्तमिति सद्भक्त्या, ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद् भाव-प्रत्याख्यानस्य कारणम् ॥"
ભાવાર્થ-“શ્રીજિનેશ્વરદેએ કરવાનું કહ્યું છે, એટલી શ્રદ્ધા-ભક્તિથી કરાતું પણ દ્રવ્ય-પચ્ચક્ખાણ (અનુષ્ઠાન ) ભાવ-પચ્ચખાણનું ( અનુષ્ઠાનનું) કારણ બને છે.”
અહીં ભક્તિઅંશ દ્રવ્યત્વને બાધક છે. જે એમ ન માનીએ તે કઈ વિષયમાં પૂર્વ પુરુષાર્થ કરવાનું રહે જ નહિ. શ્રીમદુપાધ્યાયજી મહારાજા પણ સ્વકૃત ૧૨૫ ગાથાના સ્તવનની સાતમી ઢાળમાં જણાવે છે કે
જે પણ પ્રક્રિયા પ્રતિપાળે, તે પણ સન્મુખ ભાવેજી” તથા–“ તે કારણ લજmદિથી પણ, શીલ ધરે જે પ્રાણીજી !
ધન્ય તેહ કૃપુષ્ય કૃતારથ, મહા નિશીથ વાણીજી છે” વગેરે. આથી જેઓ દુષિત સામાયિક વગેરે અનુષ્કાને અગ્ય જણાવી જીવોને અરુચિ ઉત્પન્ન કરે છે, તેઓ ખરેખર શાસ્ત્રરહસ્યથી પર છે, તેમ જ દ્રવ્ય અને ભાવના સંબંધમાં તદ્દન અજ્ઞાત છે. વસ્તુતઃ જગતમાં કોઈ પણ ગુણ કે સિદ્ધિ હજારે દેશે પછી જ પ્રગટ થાય છે. શ્રી જૈનશાસનને વ્યવહારનય આ માન્યતા ઉપર જ ઉમે (સિદ્ધ) છે, માટે રાગ-દ્વેષાદિ થઈ જાય તે પણ ધર્મ-અનુષ્ઠાન છોડવાં જોઈએ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org