SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ [ ધ સંભા. ૧-વિ૦ ૨-ગા૩૬ ભાવાર્થ-“પંડિત પુરુષએ અગ્નિ, ઝેર, શસ્ત્ર, દારૂ (સુરા) અને માંસ,-એ પાંચ વસ્તુ એ કેઈની પાસેથી લેવી નહિ અને કેઈને આપવી પણ નહિ.” પ્રમાદાચરણમાં પણ અજયણાદિથી નિરર્થક હિંસા વગેરે પાપ થાય છે. કહ્યું છે કે તુ વિ ૩રમ, મૂઢ-અમૂળ અંતઃ પિઝા एगाण नरयदुक्खं, अन्नेसिं सासयं सुक्खं ॥१॥" ભાવાર્થ-મૂઢ અને વિવેકી પુરુષમાં અંતર તે જૂઓ? બંનેની ઉદરભરણાર્થે પ્રવૃત્તિ તુલ્ય-સમાન હોવા છતાં એક(મૂઢ)ને તેથી નરકનાં દુઃખો ભોગવવાં પડે છે અને બીજા વિવે. કીઓને (તે પ્રવૃત્તિ કરવા છતાં) મોક્ષનું સુખ મળે છે.” જયણા વિનાની દરેક પ્રવૃત્તિ અનર્થદંડ જ છે, માટે શ્રાવકે સંપૂર્ણ શક્તિ કેળવીને સર્વ વ્યવહારોમાં દયાપૂર્વક જયણું સાચવવા પ્રયત્ન કરે જઈ એ. કહ્યું છે કે___" जयणा य धम्मजणणी, जयणा धम्मस पालणी चेत्र । તવુદ્ધિજી વાળા, તિમુદ્દાવા કર્યા છે ? . ” ભાવાર્થ—“જયણા એ (માતાની જેમ) ધર્મને જન્મ આપનારી છે, (કારણ કે-જયણવંત જીવને દયાની રક્ષાથી આત્મામાં ધર્મ પ્રગટ થાય છે.) ધર્મને ( પુત્રની જેમ) પાલન કરનારી પણ જયણા છે, (કારણ કે –જયણ વિના દયાની અને દયા વિના ધર્મની રક્ષા થતી નથી.) વળી માતા જેમ પુત્રને મેટે કરે, તેમ જયણા જ ધર્મરૂપ પુત્રની વૃદ્ધિ કરનારી છે. (જયણું વંત મનુષ્ય જ ઉત્તરોત્તર દઢામી બને છે.) એમ ધર્મની માતારૂપ જયણા જ એકાન્ત સુખને આપનારી છે.” તેથી ઊલટું નિરર્થક પાપ કરવામાં કર્મોને બંધ અધિક થાય છે. કારણ કહ્યું છે કે " अद्वेण तं न बंधइ, जमणटुणं तु थेव-बहुभावा।। ઘટ્ટ વાદ્યા, નિયામાં ન ૩ ચડ્યા છે ? ” ભાવાર્થ-“પ્રયોજનથી કરાતા પાપથી તે પ્રજનનું પ્રમાણ (ડું) હોવાથી તેટલું કમ નથી બંધાતું, કે જેટલું નિપ્રયજન કરાતા પાપથી બંધાય છે, કારણ કે-નિપ્રજનતાનું પ્રમાણ જ હેતું નથી-છેડે જ હોતું નથી. સપ્રયાજન કાર્યમાં તો અમુક જ કાળે, અમુક જ સ્થલે, અમક જ પ્રમાણમાં, વગેરે મર્યાદાઓ હોય છે, જ્યારે નિરર્થક કાર્યમાં તેને અટકાવનારી કાળ, ક્ષેત્ર વગેરે કેઈની મર્યાદા હતી જ નથી, એટલે તે પાપને છેડે જ હોતું નથી; નિરર્થક પાપ કરનારે જ્યાં-ત્યાં, જ્યારે-ત્યારે, જે-તે પાપ કર્યા જ કરે છે.” માટે આત્માથીએ આ ચારેય પ્રકારને અનર્થદંડ તજ જોઈએ. એ પ્રમાણે અહીં સુધી પાંચ અણુવતે અને ત્રણ ગુણવતેનું વર્ણન કર્યું. હવે ચાર શિક્ષાવ્રતનું સ્વરૂપ કહેવાય છે, તેમાં શિક્ષણ-શિક્ષા એટલે અભ્યાસ (વારવાર પરિશીલન કરવું તે) અને તે શિક્ષાને માટેનાં સ્થાને અથવા સાધ-ઉપાયે તે શિક્ષાપદ કહેવાય છે. આ શિક્ષાપદોને જ શિક્ષાત્રતે સમજવાં. તેવાં તે ચાર છે, પહેલું સામાયિક, બીજું દેશાવગાશિક, ત્રીજું પૌષધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy