SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૩૬ કુટેવથી ઝાડ વગેરેનાં પાંદડાં, ફળ-ફૂલ વગેરેને તેડવાં; કારણ વિના માટી-ખડી-રમચી વગેરે ચૂરવું; નિષ્પ્રયેાજન અગ્નિ સળગાવવા; પશુઓને પ્રહાર દેવા; જ્યાં-ત્યાં શસ્ત્રોથી કાપવું-છેદવું; નિષ્ઠુરપણે સમવેધી ( કેાઈના પ્રાણ જાય તેવું ) વચન ખેલવુ` કે હાંસી–નિદા વગેરે કરવી; રાત્રે સ્નાન કરવુ, માથું ગૂંથવુ', રાંધવુ, ખાંડવું, દળવું, જમીન ખેાદવી, માટી વગેરે મસળવી, લી’પવું, વસ્ત્રો ધાવાં, કે પાણી ગાળવુ. તથા દિવસે પણ એ બધું જયા વિના કરવું, તે સર્વ પ્રમાદાચરણુ છે વળી શ્લેષ્મ કે ખળખા વગેરેની ઉપર રાખ, રેતી વગેરે ઢાંકવામાં ન આવે તે ૪૮ મીનીટ પછી તેમાં સ’મૂર્ચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ અને નાશ થતા હાઈ, મહા દોષાનુ કારણ હાવા છતાં તે શ્ર્લેષ્માદિ ઉપર રાખ, રેતી વગેરે ન નાખવું; તથા નિરૂપયેગી શસ્રાદિ કે શ્લેષ્મ-ખળખા-મળ-મૂત્રાદિ પણ વિના કારણે રાખી મૂકવાં, તે પ્રમાદાચરણ છે : કારણ કે–નિષ્કારણ તેના સંબંધ રાખવાથી-ત્યાગ નહિ કરવાથી જીવ તજજન્ય પાપના અધિકારી બને છે. ધનુષ આદિ શસ્ત્રાનાં લાકડાં કે લેખડ વગેરેમાંથી ચ્યવી ગયેલા ( મરી ગયેલા ) જીવાને અંગે પણ શાસ્ત્રમાં કહ્યું છે કે તેણે તે પેાતાનાં શરીરરૂપ લાકડાં કે લેઢાં વગેરેના ત્યાગ નહિ કરવાથીતેમાં મમતા રહેવાથી તેનાં શરીરરૂપ તે તે લાકડાં-લેાઢાંથી કે તેનાથી અનેલાં શસ્ત્રાદિથી પણ જે જે હિંસાદિ થાય, તે તે પાપના અધિકારી તે તે જીવે પણ થાય છે : ૩૪ તથા રસેઈ વગેરે કાર્ય સમાપ્ત થયા પછી પણ સળગતાં ઈંધણાં કે દીવા વગેરે મુઝાવે નહિ, તે પણ પ્રમાદાચરણ છે. અહી. જો કે અગ્નિ બુઝાવતાં અગ્નિકાય જીવના નાશ (હિંસા ) થાય છે, તે પણ તેને સળગતો રાખવામાં હિંસા સતત ચાલુ રહેવાથી પરિણામે શાસ્ત્રમાં તેને મેટું પાપ જણાવ્યુ છે. ૩૫ શ્રીભગવતીસૂત્રમાં કહ્યું છે કે-તે ન પુણે નિજાયં નિવ્યાવે, તે નં પુણે અવમતાપ એવ ત્ત” અર્થાત્− જે પુરુષ અગ્નિકાય મુઝાવે છે તે પુરુષ અલ્પતર ક બંધક છે. ' વગેરે. દીવાએ કે સળગતા ચુલા, સગડી, ભટ્ટી વગેરે ઢાંકચા વિના રાખવાં તેમ જ ચુલા વગેરે સ્થાનક ઉપર ચંદ્રવા નહિ બાંધવા, એ પણ પ્રમાદાચરણ છે. નહિ શેાધેલાં જોયા વિનાનાં ઈંધણાં, છાણાં, કાલસા વગેરે કે ઝાટકથા જોયા વિનાના અનાજ કે કપડાથી ગાળ્યા વિનાનું પાણી વગેરે વાપરવાં, તે પણ પ્રમાદાચરણ છે. તે તે વિષયમાં કેવી રીતિએ જયણા સાચવવી, તે પહેલા વ્રતના વર્ણનમાં કહી ગયા છીએ. ધર્માથી --પાપભીરુ જીવે એ સઘળાં પ્રમાદાચરણાને શકય ત્યાગ અવશ્ય કરવા. ૩૪. જગતના વ્યવહારામાં પણ તેવા પ્રમાદને ગુન્હા મનાય છે. જેમ ખાલી પડેલા ઘરમાં પણ જો ખૂન થાય તો તે ધરને માલિક ગુન્હેગાર ગણાય છે, ખાવાયેલી કે ચારાયેલી બંદૂક વગેરેની જો જાહેરાત ન કરી હોય અને તેનાથી હિંસા · ખૂન થાય તેા અદૂકને માલિક ગુન્હેગાર ગણાય છે, ભાગીદારીમાંથી છૂટા થવા છતાં જે જાહેરાત ન કરી હાય તો દેણાની જવાબદારી છૂટા યનારને માથે આવે છે, નાકરને રજા દેવા છતાં જો જાહેરાત ન છપાવી હોય તો નોકરે કરેલા વેપાર શેઠને ભરપાઈ કરવા પડે છે; તેમ મરનાર પણ જો પોતાની પાછળનાં પાપસાધનરૂપ શરીર આદિને વાસિરાવે (ત્યાગ કરે) નહિ તે તેનાથી થતી પાપક્રિયાનો તે અધિકારી બને છે. ૩૫. અગ્નિ સળગતા રહેવામાં અંતમુત્તુ અંત તે વારવાર અસ ંખ્યાત અગ્નિકાય છવાના નાશ થવા ઉપરાન્ત તેમાં પડતા ત્રસ જીવાની પણ હિંસા થાય છે અને એડલવવામાં એક વખત જ તે વેાના નાશ થાય છે, તેમાં પણ તે એલવનારની બુદ્ધિ હિંસા નહિ પણ યા કરવાની હોય છે અને સળગતાં રાખનારની બુદ્ધિમાં જીવહિંસા તરફ્ બેદરકારી હ્રાય છે, તેથી તેને મોટું પાપ લાગે છે. આ વિવેક ગૃહસ્થને માટે સમજવા, સાધુને તે પોતાને માટે અગ્નિના ઉપયોગ નહિ હાવાથી તેને સળગતા અગ્નિના પણુ કાઁબંધ નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy