SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રહ ૨-અનથદંડવિરમણ વ્રત ] ૨૩૫ હિંચવું કે બગીચામાં પુપો વિણવા, વગેરે વિનોદ કર, કુકડા વગેરેને પરસ્પર યુદ્ધ કરાવવા કે યુદ્ધ જેવા, શત્રુના પુત્રપરિવાર સાથે વેર રાખવું (વસ્તુતઃ વૈર કેઈની સાથે સારૂં નથી, છતાં તથાવિધ કર્મના ક્ષપશમના અભાવે શત્રુ સાથે વૈર ન તજી શકે અને તેના પુત્રપૌત્રાદિ પરિવાર સાથે પણ વૈર રાખે છે તે નિષ્કારણ અને નિર્દોષ ઉપર વૈર લેવાથી પ્રમાદાચરણ જાણવું. ); વળી ચાર પ્રકારની વિકથા કરવી; તેમાં માંસયુક્ત રસોઈ તથા અડદના લાડુ વગેરે અમુક ભેજન ઉત્તમ છે, અમુક સારી રીતિએ જમે છે, હું પણ અમુક અમુક ભેજન કરીશ, વગેરે ભજન સંબંધી વાત કરવી, તે “ભક્તકથા” કહેવાય છે. સ્ત્રીઓના પહેરવેષ, અંગોપાંગની સુંદરતા કે હાવભાવ વગેરેનું વર્ણન કરવું તથા કર્ણાટક દેશની સ્ત્રીઓ કામકળામાં કુશળ હોય છે, લાટ દેશની સ્ત્રીઓ ચતુર અને પ્રેમાળ હોય છે, વગેરે સ્ત્રી સંબંધી કે સ્ત્રીએ પુરુષ સંબંધી) વર્ણન કરવું, તે “સ્ત્રીકથા” કહેવાય છે. દક્ષિણ દેશમાં અનાજ-પાણું ઘણું હોય છે, તે દેશના લેકે અતિ વિષયી (કામી) હોય છે, પૂર્વ દેશમાં વિવિધ વર્ગોળ-ખાંડ-ચેખાસુરા (દારૂ) વગેરે વધુ પ્રમાણમાં (કે સારાં) હોય છે, ઉત્તર દેશમાં પુરુષે શૂરવીર હોય છે, ત્યાંના ઘડાએ ઘણું વેગવાળા હોય છે, દરેક અનાજ કરતાં ઘઉં ત્યાં ઘણું પાકે છે, કેસર વગેરે સુલભ છે, દ્રાક્ષ-દાડિમ-કઠાં વગેરે ફળે ત્યાં ઉત્તમ થાય છે, અને પશ્ચિમ દેશમાં વસ્ત્ર કેમળ થાય છે, શેરડી ઘણી પાકે છે, પાણી ઠંડુ હોય છે, વગેરે પ્રશંસા કરવી, તે “દેશકથા” કહેવાય છે. અમારા રાજા શૂરવીર છે, ચેડ દેશને રાજા બહુ ધનવાન છે, ગૌડ દેશના રાજાને ઘણું હાથીઓ છે અને તુર્કસ્તાનના રાજાને ઘણું ઘેડાઓ છે, વગેરે રાજાઓનું સારું-ખોટું વર્ણન કરવું, તે “રાજકથા” કહેવાય છે. એ પ્રમાણે પ્રશંસાને બદલે ખરાબ ખોરાક વગેરેની નિદા કરવી, તે પણ તે તે વિકથાઓમાં ગણાય છે. (૨) ઉપરાન્ત રોગાદિ કે મુસાફરીના થાક વગેરે કારણ વિના આખી રાત્રિ ઊંઘવું, ઈત્યાદિ પ્રમાદાચરણને બુદ્ધિમાને ત્યાગ કરે જોઈએ. (૩) એ પ્રમાણે પાંચ પ્રકારના પ્રમાદનું સ્વરૂપ કહ્યું. ” વળી પણ યેગશાસ્ત્રમાં કહ્યું છે કે “ विलासहासनिष्ठयुत-निद्राकलहदुष्कथाः । ન્નેિન્દ્રમાનાન્નાહાર વ ચતુર્વિધ II ? ” (૪૦ ૩-૦ ૮૨) ભાવાર્થ–“વિલાસ એટલે વિષય(કામ)ની ચેષ્ટાઓ કરવી, કીલકીલાટ–મેટા અવાજે હસવું, થુંકવું, ઊંઘવું, કલહ કરે, ચેરીની કે પરસ્ત્રીસેવનની આદિ ખરાબ વાતે કરવી તથા અશન–પાન-ખાદિમ-સ્વાદિમ પિકી કઈ પ્રકારનો આહાર કરવા; એ બધાં કાર્યો શ્રીજિનમંદિરમાં તજવાં જોઈએ. ઉપર કહેલું પ્રમાદાચરણનું સ્વરૂપ સમજીને તે સઘળું આ વ્રતમાં ત્યાગ કરવું.” એ સિવાય પણ આળસ બેદરકારીથી ઘી–તેલ-દહી-દૂધ-છાશ–પાછું વગેરેનાં વાસણે ઊઘાડાં (અણુઢાંકયાં) રાખવાં, સારો માર્ગ હોવા છતાં લીલું ઘાસ ઊગ્યું હોય, કીડીઓનાં નગરે વગેરેથી છવાકુળ ભૂમિ હોય ત્યાં ચાલવું કે નિર્જીવ ભૂમિ ઉપર પણ નીચે જોયા વિના ચાલવું; જગ્યાને જોયા વિના જ્યાં-ત્યાં હાથ નાખવો (વસ્તુ લેવી-મૂકવી), બીજી જગ્યા હવા છતાં (અનાજ વગેરેના ઢગલા કે થેલાદિ) સચિત્ત પદાર્થો ઉપર બેસવું, ઉભા રહેવું કે વસ્ત્રાદિ વસ્તુઓ મૂકવી, લીલફૂગ, કુન્યુઆ વગેરે હોય તેવી જગ્યામાં ચેખા વગેરેનું ઓસામણ (ગરમ પાણ) વગેરે ફેંકવું, જયણુ વિના જેમ-તેમ કમાડ વગેરે બંધ કરવાં કે સાંકળ દેવી, નિષ્કારણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy