SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ r પ્રo ૨-અથર્નાદંડવિરમણ વ્રત ] ૨૩૩ - ૧. અપધ્યાન-અપ એટલે દુષ્ટ–ખરાબ અધ્યવસાયથી સ્થિરતા પૂર્વક ચિંતન કરવું, તેને અપધ્યાન કહ્યું છે, તેના આ ધ્યાન અને રૌદ્રધ્યાન એમ બે પ્રકારે છે. તેમાં “સત્તા એટલે દુખ અથવા આતિ (પીડા), તેનાથી જે ધ્યાન થાય તે ૧. આર્તધ્યાન અને બીજાઓને રેવરાવે તે “રુદ્ર” (દુઃખનું કારણ), તેનાથી થતું દુષ્ટ ધ્યાન, અથવા તેનું કાર્ય તે ૨. રૌદ્રધ્યાન જાણવું. સામાન્યતયા સતત ધ્યાન એક જ વિષયમાં અંતમુહૂર્ત સુધી થાય છે માટે તેથી વધુ સમય આ દુર્થોને ન કરવાં, એ આ વ્રતમાં નિયમ હોય છે. ૩ પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી પજ્ઞ યેગશાસ્ત્રમાં કહે છે કે “ વાતો નરેન્દ્રર્વ, પુરાતાજીનવીને વરસ્વાદ્યપધ્યાન, મુદત પૂરતા ” (vo ૩-૩૦ ૭૧) ભાવાથ–“શત્રુને સંહાર, નગરને નાશ, અગ્નિ સળગાળ (દાવાનળ સળગાવી વગેરેનું ચિંતન કરવું તે રૌદ્રધ્યાન અને રાજાપણું–વિદ્યાધરપણું કે દેવાંગનાદિના ભેગે મેળવવા વગેરેનું ચિંતન કરવું તે આર્તધ્યાન. આ બને દુષ્ટ ધ્યાને “એક મહૂર્તથી વધુ કાળ ન કરવાં, એમ ત્યાગ કરે.” (કારણ કે-મુહૂર્તા સુધી થતા આવા દુર્ગાનમાંથી બચવાને અભ્યાસ થાય, પણ રોકવું દુઃશક્ય હેવાથી તેને ન કરવાની પ્રતિજ્ઞા ન કરાય.) ૨. પાપકર્મોપદેશ-જેનાથી જીવ નરકાદિ “દુર્ગતિમાં પડે તે પાપ' કહેવાય અને તેનાં કારણરૂપ જે ખેતી આદિ કાર્યો તે પાપકા કહેવાય. એ પાપકાર્યોમાં બીજાઓને પ્રેરણા કરવી, જેમ કે–ખેતરે ખેડે !, સાંઢાનું દમન કરે !, ઘોડાઓને ખસી કરે!, શત્રુઓને જાહેર કરે , મશીન-યંત્રે ચાલુ કરે!, શસ્ત્રો સજજ કરો !, વગેરે બધાય પાપોપદેશ” કહેવાય. એવાં બીજાં પણ “વર્ષાકાળ નજીક આવ્યો છે માટે ખેતરોમાંથી વેલા વગેરેને બાળી નાખો !, હળો વગેરે ખેતીનાં સાધને તૈયાર કરો , વાવણી વખત ચાલ્યા જાય છે માટે વાવેતર કરે!, ક્યારાઓ પાણીથી ભરાઈ ગયા છે માટે પાણીમાં પિસીને સાડા ત્રણ દિવસમાં ડાંગરની વાવણું કરો !, અરે ! કન્યા ઉમ્મર લાયક થઈ છે માટે જલદી વિવાહ કરો-લગ્ન કરે છે, વહાણ હંકારવાના દિવસો નજીક આવે છે માટે વહાણ વગેરે સજજ કરે !, ઈત્યાદિ પાપકાની પ્રેરણા શ્રાવકે ઉત્સગ માગે ન કરવી જોઈએ, અપવાદ માર્ગથી ખાસ દાક્ષિણ્યાદિ કારણે યતના (જયણાપૂર્વક) કરવી. યેગશાસ્ત્રમાં કહ્યું છે કે કૃપમાન સમય ક્ષે, gષ્ઠા વારના વાણિsવિષે શ ન ? (v૦ - ૦ ૭૬). ભાવાર્થ-“વાછરડાઓને દમન કરે, ખેતરને ખેડે, ઘડાને ખસી કરે; વગેરે પાપપદેશ દાક્ષિણ્યતા વિના કરે એગ્ય નથી.” ૩૩. અહીં કષાય-નેકષાયાદિના ઉદયને વશવતિ છવને સર્વથા દુર્થીનને ત્યાગ કરવો દુશષ છે, એટલે અનાદિ અભ્યાસને યોગે તેવું ન થઈ જાય તે પણ એક મુહૂર્તથી વધારે તેવું ધ્યાન નહિ કરવું– એ આ વ્રતથી નિયમ કરવાને હેય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy