SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨-ભેગપગમાં ૧૪ નિયમે ]. વળી કાંગડું (કેયડું) મગ, હરડે, કુલિકા (વનસ્પતિવિશેષ) વગેરે અચિત્ત છતાં પણ તેની ચેનિ અખંડ હોય તે પાણુ વગેરેને વેગ મળતાં તે સચિત્ત થઈ શકે છે, માટે તેની એનિની રક્ષા થાય અને પરિણામ નિશિક (નિર્દય) ન બને તે માટે દાંતથી ચાવવા (ભાંગવા નહિ. ઘનિર્યુક્તિની પંચોતેરમી (?) ગાથાની ટીકામાં કહ્યું છે કે-અચિત્ત પણ ગળે ના વેલા), કાંગડું મગ વગેરે કઈ કઈ વનસ્પતિની નિ અખંડ હોય છે. જેમ કે સુકાઈ ગયેલી ગળો પાણીના સિંચનથી પુનઃ કુણી બનતી જણાય છે, એ રીતિએ કાંગડું (કેરડુ) મગ વગેરેમાં પણ સમજવું. એવી વસ્તુઓ અચિત્ત છતાં પણ જીવદયાના પરિણામની રક્ષા માટે તેને વાપરવામાં યતના (જયણા) રાખવી હિતકારી છે. એ પ્રમાણે સચિત્ત-અચિત્ત-મિશ્રને વિભાગ સમજીને ઉપયોગી–જરૂરી પદાર્થોનાં નામાદિને નિર્ણય કરી આ સાતમું વ્રત ગ્રહણ કરવું, કે જેવી રીતિએ પૂર્વકાળે મહાશ્રાવક શ્રીઆણંદ, શ્રીકામદેવ વગેરેએ ગ્રહણ કર્યું હતું. વર્તમાનકાળે જે તેવી રીતિએ આ વ્રત ન લઈ શકાય તે પણ સામાન્યથી “સચિત્તને ત્યાગ વગેરે નિયમે તે કરવા. તે આ પ્રમાણે “ સચિત્ત-વ્ય-વિવાહ-વાહ-તંવ-વસ્થ– મુકુ TET-1થળ-વિવા-મ-રિરિ-જાન- ” (સંવતon૦, મત્રતા ૨) ભાવાર્થ-“આ ગાથામાં બતાવેલા ચૌદ નિયમ ધારવાની સમજ નીચે પ્રમાણે છે સચિત્તને ત્યાગ-ઉત્સર્ગ માગે શ્રાવકે સર્વ સચિત્તને ત્યાગ કરવો જોઈએ, જો તેવી શક્યતા ન હોય તે નામ-નિર્ણયપૂર્વક અમુક અમુક સચિત્ત વસ્તુઓ સિવાયની બીજી સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, નામને નિર્ણય પણ કરી ન શકાય, તો એક, બે કે અમુક સંખ્યાથી વધુ સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે-આ વ્રતના વર્ણનના પ્રારંભમાં નિર્વાહા” ઈત્યાદિ ગાથામાં (પૃ. ૧૯૭ માં) જણાવ્યા પ્રમાણે શક્ય હોય તેટલે નિરવદ્ય આહારથી જ નિભાવ કરે તે ઉત્તમ શ્રાવકનું કર્તવ્ય છે, દરરોજ એકેક ભિન્ન ભિન્ન સચિત્ત વસ્તુ વાપરનારને પણ દરરોજ જુદી જુદી વસ્તુઓ વાપરવાથી પરિણામે-લાંબે કાળે સર્વ સચિત્તને ભંગ થઈ શકે છે, તેથી નામ–નિર્ણય વિનાના સચિત્તના ત્યાગમાં વિશિષ્ટતા ઘટતી નથી, (વસ્તુતઃ તેને દરેક સચિત્ત વાપરવાની છૂટ રહે છે, માટે જ નામ નક્કી કરવાથી અમુક સિવાયના બીજા દરેક સચિત્ત પદાર્થોને જાવજીવ સુધી ત્યાગ થતાં સ્પષ્ટ રીતિએ વિશેષ ફળ મળે છે. કહ્યું છે કે “ g ઢા ૨ વર્ષ, સુપર ન મણિસિગાં વા કાતા ને વિરયા, તે દુર વે ? ” ભાવાર્થ–“જેઓએ પુષ્પ-ફળો-મદિરા-(મધ-માખણ) માંસ વગેરેના રવાદને તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy