________________
૨૨૪
[ ધ સં૦ ભા૧-વિ૦ ૨-ગા૦ ૩૨ થી ૩૪ ભાવાર્થ –“હે ભગવંત ! જે શાલી (કોલમ જાતિની ડાંગર), વ્રીહીર (સામાન્ય દરેક જાતિની ડાંગર), ઘઉં, જવ, અને જવજવV (એક જાતિના જવ)-એ ધાને કેઠારમાં, વાંસ વગેરેના પાલામાં, (ઊંચે ટાંગેલા-મૂલતા) મંચમાં, અથવા મેડી વગેરે માળીયામાં ભરીને ઉપર ઢાંકેલાં હોય, તેને કાઢવાનાં દ્વાર (કે ઠાર વગેરેનાં મોઢાં) છાણ-માટી વગેરેથી બંધ કર્યા હોય અને તે કેકાર વગેરેને ચારેય બાજુથી લીપી દીધા હોય તથા તેના ઉપર સીલનિશાન કર્યું હોય (અર્થાત્ હવા વગેરે ન લાગે તેમ સીલ કરીને રાખ્યાં હોય), તે તે(ધાન્ય)ની ચનિ (જ્યાંથી ને અંકુ પ્રગટે તે) કેટલો સમય (સચિત્ત રહે?–એમ શ્રીગૌતમસ્વામિજીએ પૂછ્યું, ત્યારે ભગવાને કહ્યું કે-હે ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ તે નિ સચિત્ત રહે, તે પછી નિ સુકાઈ જાય–નાશ થઈ જાય, તેથી તે બીજે (સચિત્ત) મટીને અબીજે ( અચિત્ત ) થઈ જાય. પુન: શ્રીગૌતમસ્વામિજીએ પૂછયું કે હે ભગવંત! વટાણા, મસુર, તિલ્લ, મગ, અડદ, વાલ, કલથી ચળા, તુવરી, અને ચણા–એ દરેક ધાન્ય પહેલાં જણાવ્યું તેમ જે સંગ્રહ કરી રાખ્યાં હોય, તે કેટલે કાળ તેની નિ (સચિત્ત) રહે? ભગવાને જણાવ્યું કે–હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી સચિત્ત રહી શકે છે, તે પછી તે સુકાય છે-નાશ પામે છે, તેથી તે સચિત્ત મટી અચિત્ત બને છે. પુનઃ શ્રીગૌતમસ્વામિજીએ પ્રશ્ન કર્યો કે-હે ભગવંત! અળસી, કસુબેર કેદ્રવા, કાંગ, બરંટી, રાલગ, (વઘારમાં વપરાતી રાઈ), કેસગ (એક કોદ્રવાની જાતિ–પી ઝીણે ચણે સંભવે છે), શણનાં બીજ, સર્ષવ (સરસીયું તેલ નીકળે છે તે) તથા મૂળાનાં બીજ૧૦–એ ધાન્ય પહેલાં કહ્યું તેમ સંગ્રહ કરી રાખ્યાં હોય, તે કેટલે કાળ સુધી તેની નિ (સચિત્ત) રહે? ભગવાને જવાબ આપે કે–હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સાત વર્ષ સુધી તે નિયુક્ત (સચિત્ત) રહે છે અને પછી નિ નાશ પામવાથી અચિત થાય, વગેરે. (આ વિષયની ઉપર જણાવેલી) પૂર્વાચાર્ય કૃત ગાથાઓને ભાવાર્થ-જવ, (અન્ય જાતિના) જવજવ, ઘઉં, શાલીડાંગર અને ત્રીહીડાંગર. એ કઠારાદિમાં ભરી રાખેલાં ધાન્યનું સજીવપણું ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી સંભવે છે. ૧. તિલ, મગ, મસુર, વટાણા, અડદ, ચેળા, કલથી, તુવરી, ચણા અને વાલ–એ દશ ધાન્યનું સજીવપણું ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી સંભવે છે. ૨. તથા અળસી, કસુંબ, કાંગ, કડુસગ, શણ, બરંટી, સરસવ, કેવા, રાઈ તથા મૂલાનાં બીજ-એ દરેકનું સજીવપણું ઉત્કૃષ્ટથી સાત વર્ષ સુધી સંભવે છે. ૩. (ઉપરને ભગવતીસૂત્રને પાઠ અને ગાથાઓ-એ બન્નેને અર્થ સમાન છે.)
કપાસ (કપાસીયા) ત્રણ વર્ષ પછી અચિત્ત થાય છે. બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કેરાજ તિવલિ, નિવ્રુતિ અર્થા-સેડૂક એટલે કપાસીયા” એ અર્થ ત્યાં ટીકામાં કરે છે, તે ત્રણ વર્ષ ઉપરાન્તના હોય તે અચિત્ત થવાથી (સાધુને) તેનું ગ્રહણ થઈ શકે છે.” લોટને અંગે શાસ્ત્રમાં પૂર્વાચાર્યોએ મિશ્રપણું, અચિત્તપણું વગેરે આ પ્રમાણે બતાવેલું છે. " पणदिण मीसो लुट्टो, अचालिओ सावणे अ भद्दवए।
चउ आसाए कत्तिअ, मिगसिर-पोसेसु तिन्नि दिणा ॥१॥" पण पहर माह-फग्गुणि, पहरा चत्तारि चित्त-बइसाहे । जिट्ठासाढे ति पहरा, तेण परं होइ अच्चित्तो ॥२॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org