SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ [ પ સં ભા૧-વિ૦ ૨-ગo ૩ર થી ૩૪ ૨૦. ચલિત રસ-જેને રસ એટલે સ્વાદ ફરી ગયો હોય અને ઉપલક્ષણથી જેના વર્ણ–ગંધસ્પર્શ વગેરે બદલાઈ ગયા હોય, તે વસ્તુઓ ચલિત રસ કહેવાય છે. કથિત–કહેલું અન્ન-રઈ, વાસી (આગળના દિવસે પાણી સહિત રાંધેલું) અન્ન, ગેરસ સાથેનું કઠેળ-દ્વિદલ, વાસી નરમ (લાચા) પુરી, પાણીમાં રાંધેલ વાસી ભાતતાંદળા, કદરા વગેરેમાં અનેક જીવે ઉત્પન્ન થઈ જાય છે. ૨૪ વાસી ભાત (વગેરે રસેઈ), કાલાતીત પફવાન, બે દિવસ (રાત્રિ) વ્યતીત થઈ ગયા પછીનું દહીં તથા છાશ, વગેરે બધું ચલિત રસ ગણાય છે તેમાં પકવાન વગેરેને અંગે શાસ્ત્રમાં જણાવ્યું છે કે ૨૪. ચલિત રસ સંબંધી બહુ કાળજી રાખવા જેવી છે. મીઠાઈ, ખાખરા, લોટ વગેરેને માસામાં ૧૫ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ અને શિયાળામાં ૩૦ દિવસ મહિના)ને કાળ કહ્યો છે. તેમાં નવી-જૂતી વસ્તુ ભેગી થયા કરે અને વાસણ સાફ કર્યા વિના નવી વસ્તુ તેમાં ભરે તે નવી પણ અભય થઈ જાય. તેમાંય લોટ માટે તે ખેરે થાય કે ધનેરાં, ઈયેળ વગેરે જીવની ઉત્પત્તિ થાય, તે ચાળીને પણ વાપરી ઉચિત નથી, છવોત્પત્તિ ન થઈ હોય ત્યારે પણ વારંવાર ચાળીને તેને ઉપયોગ કરવો જોઈએ. ઘઉં, ચણું વગેરે કરતાં બાજરીને લેટ જલ્દી ખેરે થઈ જવાથી વહેલે અભય બને છે. બજારો લોટ તે અભય જ છે. જલેબીને આથે રાત્રે કહેવડાવવાથી તેમાં ત્રસ જીર ઉપજે છે અને તેથી તે અનાચરણીય (વર્ષ) છે. લીલ-સૂકો હલ, બદામનો હલ, વગેરે પદાર્થો લેટને બે-ત્રણ દિવસ સડાવીને બનાવાય છે માટે અભક્ષ્ય છે. દૂધને હલવો તે જ દિવસે ભક્ષ્ય છે, પછી વાસી થાય છે. કલકત્તા તરફ અમ્રતી બનાવે છે, જે ગુજરાતની જલેબી જેવી હોય છે તે પણ તેવી જ છે. મા-બને તે જ દિવસે ભય છે. માવાની બનેલી ચીજો પંડા, બરફી, ઘારી, જાંબૂ વગેરેમાં ચાસણું કાચી રહે તે અભક્ષ્ય છે, કારણ કે-જેમાં મા કાચે રહે છે કે મા જેમાં કાચે જ વપરાય છે તે અભક્ષ્ય છે. પરદેશી મા કે તેની બનેલી વસ્તુઓ અભક્ષ્ય થવા સંભવ છે. નજરે બનાવેલી પાકા માવાની વસ્તુ પાકી ચાસણીયુક્ત હોય તો તે ભલા બને છે. કેટલાક અન્યાયી વેપારીઓ રતાળુ, બટેટાં વગેરેને બાફીને માવામાં ભેળવે છે, કે જે ખાવાથી અનંતકાયના ભક્ષણને દોષ લાગે છે. કેરી, આમળાં વગેરેના મુરબ્બા પણ ચાસણું બરાબર ન હોય તે અભક્ષ્ય થવા સંભવ છે. વર્ણ–ગંધ-રસ-સ્પર્શ બલાતાં જ તે અભણ્ય થાય છે-એમ એનપ્રશ્નમાં કહ્યું છે. સેવ, વડી, પાપડ, ખેર, સાળવડા, ખીચીયાં વગેરે ખાસ ઉનાળામાં, જલ્દી સુકાઈ જાય તેવા દિવસોમાં સૂર્યોદય પછી જ લેટ બાંધીને બતાવવાં વ્યાજબી છે, કે જે સૂર્યાસ્ત પહેલાં સંપૂર્ણ સુકાઈ જવાથી વાસીભક્ષણને દોષ લાગે નહિ. આ બધી ચીજોમાં ચેમાસામાં લીલગ થઈ જવા સંભવ છે, માટે તે ચોમાસા પહેલાં સમાપ્ત થાય તેટલા પ્રમાણાં જ બનાવવી વ્યાજબી છે. સેકેલે પાપડ બીજે દિવસે વાસી ગણાય છે. તળેલે પાપડ બીજે દિવસે વપરાય છે. દુધપાક-આસુદીશ્રીખંડ-મલાઈ વગેરે બધી વસ્તુઓ બને તે દિવસે જ ભય છે. રાત્રિ જતાં તે વાસી થાય છે. કેરી-આદ્ર નક્ષત્રમાં સૂર્ય સંક્રમ થાય ત્યારથી અભય કહી છે, તે પણ જે કેરીને સ્વાદ ઊતરી ગયે હેય, જે ગંધાઈ ગઈ હોય, જે ભડદાં બની ગયાં હોય, તે તે આદ્ર પહેલાં પણ અભક્ષ્ય છે. કેરીમાં ઘણી વખત ઈયળો નીકળે છે. ચસીને ખાવાથી તેની જયણા થઈ શકતી નથી, હિંસા થાય છે અને ગોપત્તિ થાય છે. વસ્તુતઃ જૈન આચાર સ્વરુપે જ આરોગ્યનું-શરીરપુષ્ટિનું સાધન છે. તેને છેડીને આરોગ્ય કે પુષ્ટિના પ્રયત્નો કરવા તે પાવલી કમાવા જતાં પંદરને ગુમાવવા જેવું છે અને અધર્મ-કર્મ બંધ વગેરે થાય તે વધારામાં : માટે સુખના અથએ જૈન આચારેને સાચવવા માટે પ્રયત્ન કરી જોઈએ. ચટણી બનાવતાં પાણી કે દાળીયા વગેરે કાંઈ ન નાખ્યું હોય તે જ વધારેમાં વધારે ત્રણ દિવસ ખપે છે, પાણું કે દાળીયા જેવું કાંઈ પણ નાખ્યું હોય તે તે જ દિવસે ભક્ષ્ય છે. ચવાણું-સેવ, ગાંઠીયા, ચણાની દાળ વગેરે બધું બજારનું અભક્ષ્ય થવાનો સંભવ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy