SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ ૨-ભોગપભેગમાં બાવીસ અભક્ષ્ય 1 ૨૦૫ પ્રશ્ન-જો (બરફ, કરા વગેરે) અસંખ્યાત અપૂકાય રૂપ હોવાથી અભક્ષ્ય છે, તે પાણી પણ અસંખ્ય અપૂકાયમય છે જ, તે અભક્ષ્ય કેમ નહિ? ઉત્તર-પાણી અસંખ્ય અપૂકાયમય હોવા છતાં તેના સિવાય જીવનનિર્વાહ થઈ શકે તેમ નથી, માટે તેને અભય કહ્યું નથી. (છતાં હિંસાથી બચવા માટે તેમાં પણ શક્ય વિવેક રાખવાની જરૂર તે છે જ, વિવેકી શ્રાવકોએ ઘી કરતાં પણ પાણીને વાપરતાં બહુ વિવેક રાખવું જોઈએ. કારણ વિના અને જેમ-તેમ ગમે તેટલું પાણું ઢળવું–વાપરવું, એથી શ્રાવકધર્મનું રક્ષણ થતું નથી, જેટલાં શરીરસુખનાં સાધને તેટલાં આત્માને મહાદુઃખનાં સાધન છે, શારીરિક સુખ ભેગવવા માટે કરાતાં પાપનું પરિણામ અન્ય ભવમાં કેવું વિષમ ભેગવવું પડે છે, તે શ્રીવીતરાગદેવના વચનથી સમજી મનુષ્ય પાપીભીરૂ બનવું એ જ સુખને માર્ગ છે.) ૧૩. સર્વ પ્રકારની માટી-માટી દેડકાં વગેરે ની નિરૂપ છે, એટલે તે પેટમાં ગયા પછી દેડકાં વગેરે જીવની ઉત્પત્તિનું કારણ બને તે મરણ વગેરે મહા અનર્થો પણ થાય છે. અહીં માટીની દરેક જાતિ વજ્ય કહી છે તેથી ખડી વગેરે પણ તજવાં, કારણ કે તેના ભક્ષણથી પણ આમ, વાત, વગેરે રોગો થાય છે. ઉપલક્ષણથી ચુને વગેરે પણ વનીય છે, તેને ભક્ષણથી પણ આંતરડાંનું સડવું વગેરે રોગ પેદા થાય છે. કેઈ પણ જાતિની માટીના ભક્ષણથી અસંખ્યાત પૃથ્વીકાય જીવોની હિંસા થાય છે. નીમ(મીઠા)માં પણ અસંખ્યાત પૃથ્વીકાય જી હવાથી સચિત્ત (કાચું) નમક વર્જવું અને અચિત્ત કરેલું (બલમન) મીઠું વાપરવું. મીઠાને અચિત્ત (બલમન) બનાવવા માટે અગ્નિ વગેરે બલિષ્ઠ શસ્ત્રોને ઉપયોગ કરવા પડે છે, તે સિવાય તે અચિત્ત થતું નથી, કારણ કે તેમાં અસંખ્યાતા પૃથ્વીકાય છે એવા સૂક્ષમ હોય છે, કે તેને ગમે તેટલું ખાંડવાથી, દળવાથી કે વાટવાથી પણ તે અચિત્ત થતું નથી. ભગવતીસૂત્રના ઓગણીસમા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે वज्रमय्यां शिलायां स्वल्पपृथ्वीकायस्य वज्रलोष्टकेनैकविंशतिवारान् पेषणेऽपि सन्त्येके केचन जीवा ૨ પૃષ્ટા કપિ ના રૂતિ છે ” ભાવાર્થ“વાની શીલા (નીશા) ઉપર અલ્પ માત્ર પૃથ્વીકાય(નમક)ને મૂકીને તેને વાલેષ્ટ(વાના વાટા)થી એકવીસ વખત ચૂરવામાં (વાટવામાં) આવે, તે પણ તેમાં વચ્ચે કેટલાક એવા જ રહી જાય છે, કે જેને એ નીશાને કે વાટીને સ્પર્શ પણ ન થાય.૧૭ ? ૧૭. નીમકના છ બહુ બારીક હેવાથી વાટવા, દળવા અને ઘુંટવા છતાં તે અચિત્ત થતું નથી, માટે કંકારના નિભાડામાં કે સુખડીયાની ભદીમાં નીચે માટીના વાસણમાં મીઠાને સીલ કરીને રાખવાથી અગ્નિના તાપથી તે અચિત્ત થાય છે. આ મીઠું બે-ચાર વર્ષ સુધી તો અચિત્ત રહે જ છે. તે પછી તે સચિત્ત થઈ જાય તેવું સાંભળ્યું નથી, છતાં ઘણું વર્ષોનું બલમન વાપરવું ઠીક નથી. શ્રાવકે પિતાના ઘરમાં દળેલા મીઠામાં મીઠા કરતાં ડબલ પાણું નાખી, તેને ઉકાળીને, “જેમ સાકર કે મેરસની ચાસણું કરી બુર બનાવે છે તેમ, એક રસ બનાવી, હારીને અચિત્ત (બલમન) બનાવે છે. આ મીઠું તત્કાલ તે અચિત થાય છે, પણ તે પાણીના સંગે ઉકાળેલું હોવાથી બેચાર મહિના પછી સચિત્ત થવાનો સંભવ છે. વિના પાણીએ સ્વયમેવ મીઠાને જ રસ બની ભીથી જે મીઠું પાડ્યું હોય, તેના જેટલે તેને કાળ ગણુય નહિ. તે સિવાય તાવડી વગેરેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy