SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨-પગમાં બાવીસ અભક્ષ્ય ] ૨૦૩ માંસાહારી જ બધાને તે તે પ્રવૃત્તિ કરાવનારો છે, માટે સાચે ઘાતક તે જ છે, એમ માંસાહાર ઘણાઓને મોટા અનર્થોનું મૂળ છે–એમ સમજી તજવો જોઈએ. ૩. મધ-મધના પણ ત્રણ પ્રકારો કહ્યા છે. ૧–માખીયું, ૨-કુંતીચું અને ૩- ભમરીયું. અર્થા–માખીઓએ, કુંતા(નામના છીએ અને ભમરા-ભમરીઓએ બનાવેલું; એમ મધ ત્રણ પ્રકારે છે. આ મધ પણ ઘણું જેના નાશથી ઉત્પન્ન થાય છે, માટે તેને તજવું જોઈએ. કહ્યું છે કે " अनेकजन्तुसङ्घात-निघातनसमुद्भवम् । ગુગુણનયં જાણાવ, વ ાતિ માણવાન્ ? ! ”(વોરારિ, ૪૦ રૂ-૨૬) ભાવાર્થ-“મધ; અનેક જાતિના સમૂહબદ્ધ જીવોના નાશથી નિપજેલું, દુર્ગછનીય (જોવું પણ ન ગમે તેવું) અને તે તે જીવેના મુખની લાળા(થુંક)થી બને છે, તેને કેણુ સુજ્ઞ પુરુષ સ્વાદ કરે ? અર્થાત્ કેઈ ન કરે. કે ” ૪. માખણુ-માખણના ચાર પ્રકારે છે. ૧-ગાયનું, ૨-ભેંસનું, ૩–બકરીનું અને ૪-ઘેટીનું આ ચારેય જાતિનું માખણ પણ અતિ સૂક્રમ–ત્રસ જીવેના સમૂહની ખાણરૂપ છે, માટે તેને તજવું જોઈએ. કહ્યું છે કે ગન્નદારતા, સુક્ષ્મ વસ્તુશઃ. પત્ર મૂછત્તિ તન્નાદ્ય, નવનીત વિવિfમા છે ? | ” (યોગરાન્ન, ઘ૦ રૂ-૪) - ભાવાર્થ-“જે માખણમાં (લઘુ) અંતમુહૂર્ત પછી તુર્તજ અત્યંત બારીક જીના સમૂહ ઉત્પન્ન થાય છે, તેનું ભક્ષણ વિવેકી પુરૂએ તજવું જોઈએ. ૫ થી ૯ દુબર પંચક–અહીં ઉદુંબર શબ્દથી-૧. વડ, ૨. પીપળે તથા પારસ પીપળો, ૩. ઉદુંબરનું (ગુલરનું) વૃક્ષ, ૪. પ્લેક્ષ (પીપળાની જાતિનું વૃક્ષ) અને ૫. કાકોદુમ્બરી ૧૧. જેમાં અનેક જંતુઓનો નાશ થાય છે, તે મધનું ભક્ષણ કરનારા કસાઈ કરતાં પણ ક્રૂર છે, કારણ કે–કસાઈ પણ પ્રતિદિન તેટલી સંખ્યામાં જીવોને હણત નથી. વસ્તુતઃ ધાર્મિક પુરુષે બીજાનું ઉચ્છિષ્ટ (એવું) ભોજન પણ જમતા નથી, તો માખીઓના મુખની લાળરૂપ મધને તે ખાય જ કેમ ? છતાં ખાય તે ધર્મ કેમ રહી શકે? કેટલાકે ઔષધને માટે તે ખાવામાં વાંધો નહિ–એમ બચાવ કરે છે તે પણ અયોગ્ય છે. જેમ ઝેર વધારે ખાઓ કે એક કણ માત્ર ખાઓ, પરંતુ તે પ્રાણને નાશ કરે છે, તેમ મધ એક બિંદુ માત્ર ખાવામાંય મહાપાપ છે જ. મધને સ્વાદિષ્ટ માનનારાઓએ વિચારવા જેવું છે કે જેના સ્વાદરૂપે પરિણામે નરકનાં દુઃખો ભેગવવાં પડે તે સ્વાદિષ્ટ ગણાય ? અર્થાત્ મધને સ્વાદ નરકનાં દુઃખરૂપ છે. માખીઓના ઘૂંકરૂપ અપવિત્ર મધને પણ કેટલાક શંકર વગેરેના ભક્તો પોતાના દેવને સ્નાન કરવામાં વાપરે છે, એ ખરેખર હાસ્યજનક છે. જે માખીઓ આહાર ઉપર બેસી આહારને પણ અશુચિરૂપ બનાવી દે છે, તે માખીઓની લાળને પવિત્ર માનવી, તેમાં બુદ્ધિમત્તા પણ કયાં છે? ઈત્યાદિ મધનાં અનેક દૂષણને વિચારી આત્માથીંએ મધભક્ષણને અવશ્ય તજવું જોઈએ. - ધર્મરત્ન પ્રકરણની શ્રીદેવેન્દ્રસુરિજીત ટીકામાં (પૃ. ૧૩૬–૦ ૧૬ માં) કહ્યું છે કે-“મધ, માંસ, મધ અને છાશમાંથી જુદા કરેલા માખણમાં તુર્તજ તે તે વર્ણના અતિ સૂક્ષ્મ જીવે ઉપજે છે અને મરે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy