SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ સંભા. ૧-વિ. ૨-ગા. ૩૧ - “ગદરોસો કરતોલો, ચાલો હુન્નrfË સંવાલા अइउन्भडो अ वेसो, पञ्च वि गरूअं पि लहुअंति ॥१॥" ભાવાર્થ–“અતિ રેષ કર, અતિ ખુશ થવું, અતિ હસવું (હાંસી કરવી), દુર્જનની સાથે વસવું અને અતિ ઉભટ વેશ પહેરવે,-એ પાંચેય કાર્યો મહાપુરુષને પણ હલકે બનાવી દે છે. ” એ જ પ્રમાણે અતિ મેલાં, બહુ જાડાં, બહુ ટૂંકાં કે બહુ કાણું (ફાટેલાં) વસ્ત્રો વગેરે વાપરવારૂપ તદ્દન સામાન્ય વેષ પણ “ખરાબ વસ્ત્રધારીપણું, કૃપણુતા વગેરે કાપવાદ (નિંદા) તથા હાંસી” વગેરેનું કારણ બને છે, માટે પોતાની સમ્પત્તિ, ઉમ્મર, અવસ્થા, રહેઠાણ (દેશ), કુળ વગેરેને અનુરૂપ વેષ રાખ; આવા ઉચિત વેષ વગેરેનું પણ પ્રમાણ નક્કી કરવું એ મુજબ બીજા પણ દંતકાષ્ટ (દાતણુ), અભંગન (શરીરે તેલ વગેરે રોળાવવાની ક્રિયા), ઉદ્વર્તન (ાળેલા પદાર્થો મેલ સાથે ઉતરાવવાની ક્રિયા), સ્નાન, વસ્ત્રો, વિલેપન માટેનાં ચંદનાદિક આભરણે પુષ્પ, પુષ્પમાળાદિ, ફળ, ધૂપ, આસને (પાટ, પાટલા, ખુરસી, ટેબલ, ગાદી, તકીયા વગેરે), શયને (પલંગ, પથારી, બેડીંગ વગેરે); મકાને (ઘર, હાટ, બંગલા) વગેરેનું પ્રમાણ નકકી કરવું? વળી રાંધેલે ભાત, દાળ, ચોપડ (ઘી વગેરે), શાક, દૂધ, રાબડી, ખાંડ વગેરે (અશન) ખાદ્યો; પાણી વગેરે (પાન) પીણાંભુજેલાં–સેકેલાં અનાજ, મે, ફળફૂટ વગેરે (ખાદિમ) પદાર્થો તથા તબેલાદિ મુખવાસે, એ બધામાં જેને સંપૂર્ણ ત્યાગ અશક્ય હોય તે તે ચીજનું “અમુક સંખ્યામાં–અમુક નામવાળી–અમુક પ્રમાણમાં જ વાપરવી” એ રીતિએ સ્પષ્ટ પ્રમાણ નકકી કરવું અને શ્રીઆણંદજી, કામદેવજી વગેરે મહાશાવકેની જેમ તે સિવાયની વસ્તુઓને (ભોજનમાં) ત્યાગ કરવો. કમથી આ વ્રતની વિરતિમાં મુખ્યતયા ગૃહસ્થ પિતાના કુલને ઉચિત નિરવદ્ય (નિષ્પા૫) વ્યાપારથી આજીવિકા મેળવવી જોઈએ. તેમ કરતાં જીવનનિર્વાહ મુશ્કેલ થાય, તે પણ જેથી અતિ તીવ્ર કમબંધ થાય તથા વ્યવહારમાં વિવેકી મનુષ્યને નિંદાનું કારણ બને, તેવા અગ્ય લેવડ–દેવડ આદિ વ્યવસાયે તે અવશ્ય તજવા જોઈએ અને અલ્પારંભવાળા આજીવિકાના ઉપાય (ક)નું પણ પ્રમાણ નક્કી કરવું જોઈએ. કહ્યું કહે છે કે " रंधणखंडणपीसण, दलणं पयणं च एवमाईणं । निच्चपरिमाणकरणं, अविरइबंधो जओ गरुओ॥१॥" (લોકલ૦, શonતપિ૦, ૦ ૭૨) ભાવાર્થ-રાંધવું, ખાંડવું, વાટવું, દળવું અને પકાવવું (રાંધવું); વગેરે(આરો )નું નિત્ય પ્રમાણુ કરવું જોઈએ, કારણ કે-પ્રમાણ નહિ કરવારૂપ અવિરતિને (આત્માને) મહાન કર્મબોધ (વિના કારણે પણ) થયા કરે છે.” આવશ્યશૂર્ણિમાં પચ્ચખાણ આવશ્યકમાં પણ સાતમા વ્રતના અધિકારમાં જણાવ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy