SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ = ' ' - = ' -- *** * * * * = * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *, * * * * , - * પ્ર. ૨-સ્થલ ગપગપરિમાણ વ્રત ] શબ્દાર્થને વાચક છે અને “ભોગ” શબ્દ તે(ઉપભોગ શબ્દ)ની સાથે કહેજે-તેના સંબંધવાળો હોવાથી નિરૂઢલક્ષણા(રૂઢિ)થી આવશ્યકસૂત્રમાં કહેલા “ઉપભોગ” શબ્દાર્થને વાચક છે. આ વ્રત બે પ્રકારે છે, એક ભોજનથી અને બીજું કમથી. તેમાં ઉપભોગ-પરિભેગરૂપ તે તે પદાર્થોને ભેગવવાનું નિયમન (પરિમાણ) કરવું તેને ભોજનથી અને તે પદાર્થોને મેળવવાના ઉપાયરૂપ ક્રિયા( વ્યાપારાદિ ઉદ્યોગ)ને પણ (તેના સાધનરૂપ હોવાથી સાધનમાં સાધ્યના) ઉપચાર દ્વારા કમથી ઉપભેગ-પરિભોગ વ્રત કહેલું છે. અર્થાત્ ભોગેપભોગને ભેગવવાનું પરિમાણુ તે ભનથી અને મેળવવાના ઉપાયરૂપ પ્રવૃત્તિ-કાર્યોનું પરિમાણ કરવું તે કર્મથી ઉપભેગપરિભોગ વ્રત જાણવું. તેમાં ભેજનથી આ વ્રતવાળાએ (ખાન-પાન આદિ પાંચેય ઈન્દ્રિયોના ભોગાદિમાં) આહારપાણું આદિ પદાર્થો નિષ્પાપ વાપરવા જોઈએ અને કર્મથી પ્રાયઃ નિષ્પાપ વ્યાપારાદિથી આજીવિકા મેળવવી જોઈએ. તાત્પર્ય એ છે કે-શ્રાવકે ઉત્સર્ગ માગે તે (શક્ય હોય ત્યાં સુધી) નિજીવ (અચિત્ત) અને નિરવઘ (આરંભરહિત) આહારાદિ મેળવવાં–વાપરવાં જોઈએ, તેમના બને તે વાપરવામાં સચિત્ત(સજીવ)ને ત્યાગ કરવો જોઈએ અને સચિત્તને પણ ત્યાગ ન થઈ શકે, તે જેથી મહા હિંસા થાય તેવા માંસ, મદિરા, અનંતકાય (કંદમૂળ), અભક્ષ્ય આદિને ત્યાગ કરી, બાકીના પ્રત્યેક (એક શરીરમાં એક જ જીવ હોય તેવા) પદાર્થો પૈકી પણ મિશ્ર પદાર્થો(કાંઈક ભાગ નિવ-કાંઈક ભાગ સજીવ)નું કે સચિત્ત (સજીવ) પદાર્થોનું પણ વાપરવાને અને નિયમન (સંખ્યા-વજન વગેરેથી નક્કી) કરવું જોઈએ. કહ્યું છે કે "निरवज्जाहारेणं, निज्जीवेणं परित्तमीसेणं । રાજુસંધાનપરા, મુસાવ રિક્ષા ડુંતિ ?” (સંવષ૦, આઝાતાય, જા. ૭૦) ભાવાર્થ_“આત્મચિંતનમાં તત્પર શ્રાવકે એવા હોય છે, કે જેઓ નિરવલ, નિજીવથી અને તેમ ન બને તે અનંતકાયને ત્યાગ કરી માત્ર પ્રત્યેક (સજીવ)કે મિશ્ર પદાથેથી આજીવિ. કાને નિર્વાહ કરે.” વળી પર્વે કે મોટા મહેત્સાદિ પ્રસંગે વિના આભૂષણાદિ જેને જેને ઉપયોગ કરવાથી ચિત્તમાં અત્યંત આસક્તિ, ઉન્માદ થાય કે મનુષ્યમાં અપવાદ થાય, તે ઉદુભટ વેષ, તેવાં વાહને કે અલંકાર (ઘરેણ) વગેરેને ઉપગ પણ ન કરે. કહ્યું છે કે૧૩. “કુથાર્થ તળુ, ચાર્જ કરીયા યોગનાd, ઢાળ પરિપિતા છે .” (હિત્યન, જિ. :-) ભાવાર્થબયારે શબ્દના મુખ્ય અર્થથી વ્યાખ્યામાં બાધ આવે, ત્યારે રૂઢિથી કે પ્રજનથી તે શબ્દને ત્યાં ઘટતે (ગ્ય) બીજો અર્થ તે રાદમાં રહેલી જે શક્તિથી પ્રતીત થાય, તે શક્તિને લક્ષણું કહેવાય છે.” અહી “ગ” શબ્દને મુખ્ય અર્થ “એક વખત ભોગવવું” એમ છે, છતાં આવશ્યકમાં “ઉપભોગ” શબ્દનો અર્થ ‘એક વખત ભેગ’ એમ કર્યો છે, જેથી તેને અનુસરી અહીં રૂઢિથી ધટતે “ભગ' પદને અર્થ ત્યાં કહેલા “ઉપભેગ” પદ જે કરે, તે “નિરૂતલક્ષણ” (રૂઢિ) જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy