SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ સં. ભા. ૧-વિ૦ ૨–ગા. ૩૦ આથી મૂચ્છનું નિયમન કરવા માટે (મૂચ્છના અંકુશ માટે) સર્વથા મૂચ્છને ત્યાગ કરવામાં અશક્ત શ્રાવકને અમુક પ્રમાણમાં પણ મૂચ્છને ત્યાગ કરવારૂપ આ પંચમ અણુવ્રત એ પ્રમાણે પાંચ અણુવ્રતો કહ્યાં. હવે તેને શુદ્ધ પાલન માટે ભાવનારૂપ (પ્રાણુરૂપ) ગુણવતે કહે છે. તે ગુણવતે ત્રણ છે. ૧-દિગવિરમણ વ્રત, ૨-ઉપભેગ–પરિભેગપરિમાણ વ્રત અને ૩-અનર્થદંડવિરમણ વ્રત. તેમાં દિગવિરમણ નામનું પહેલું ગુણવ્રત આ પ્રમાણે છે. मूळ-" उद्धर्वाऽधस्तियंगाशासु, नियमो गमनस्य यः। વાદ્ય ગુણવ્રત શાદુલ્તદ્ધિવિરામમિધ | ૨૦ | ” મૂલાર્થ–“ ઉપર-નીચે અને તિથ્વી દિશાઓમાં જવા સંબંધી જે અમુક હદને નિયમ કર, તેને દિગવિરમણ નામનું પહેલું ગુણવ્રત કહ્યું છે.” ટીકાને ભાવાથ–“ઊર્ધ્વદિશાનું નામ “બ્રાહ્મી છે અને અદિશાનું નામ “નાગી” છે. એ બે તથા તિછી આઠ૧-પૂર્વી, ૨-આગ્નેચી, ૩-દક્ષિણ, ૪-નૈતી, ૫-પશ્ચિમ, ૬-વાયવ્યા, ૭–ઉત્તરા અને ૮-ઈશાની; એમ કુલ દશ દિશાઓ છે. તેમાં જે દિશામાં સૂર્ય ઊગે તે પૂર્વે અને પૂર્વ સમ્મુખ ઊભા રહેતાં જમણુ ( સૃષ્ટિ) કમથી અનુક્રમે આગ્નેયી વગેરે સાત, એમ ૧ ઊર્ધ્વ, ૧ અધે તથા ૮ તિથ્વી મળીને દશેય દિશામાં જવા વિષે નિયમ કરે, એટલે કેતે દિશાઓ પૈકી તિથ્વી અમુક અમુક દિશામાં આટલી–અમુક હદ સુધી મારે ગમન-આગમનાદિ કાર્યો કરવાં પણ તેથી આગળ (તે ઉપરાન્ત) જવું કે કઈ કાર્ય કરવું નહિ, ઊર્ધ્વદિશામાં પણુ પર્વત ઉપર ચઢવું વગેરે પ્રસંગોમાં અમુક પ્રમાણથી વધારે ઊંચે ન જવું અને અદિશામાં પણ કુવા, ટાંકાં, ભેંયરાં, ખાણ વગેરે નીચા પ્રદેશમાં અમુક હદથી વધુ નીચે ન જવું; એ પ્રમાણે પૂર્વાદિ આઠ તથા ઊર્ધ્વદિશામાં અને અદિશામાં જવા વગેરેને નિયમ કરો, તેને શ્રીજિનેશ્વરદેએ અહિંસાદિ ધર્મની રક્ષા, વૃદ્ધિ વગેરે ગુણને કરનારું ( આણુવ્રતને ગુણકારક) હવાથી પ્રથમ “ગુણુવ્રત” કહ્યું છે. ગુણવ્રતની સહાય વિના એકલાં અણુવ્રતનું વિશુદ્ધ પાલન થવું શકય નથી. આ પ્રથમ ગુણવ્રતનું નામ “દિગ્ગવિરમણ વ્રત છે, તેને અંગીકાર કરવાથી મર્યાદિત કરેલી ભૂમિથી બહાર રહેલા ત્રસ કે સ્થાવર જીવોને અભયદાન દેવાય છે અને લેભરૂપી સમુદ્ર મર્યાદિત થાય છે, કારણ કે-મર્યાદિત ક્ષેત્રની બહાર નહિ જવાથી ત્યાંના જીવોની હિંસા કે ત્યાંથી ધન વગેરે કમાવાને લેભ વગેરે અટકે છે, સંતેષ વધે છે, વગેરે અનેક મોટા લાભ થાય છે.” કહ્યું છે કે " फारप्फुलिंगभासुर-अयगोलकसन्निहो इमो निच्च । વિજાપાવો વીવો, હર સતા સમનિg I ?” ૧૨. આમાં મુખ્યતયા અહિંસારૂપ પહેલું વ્રત મૂળધર્મરૂપ છે, જ્યારે બાકીના ચાર અણુવ્રતે અહિંસાની વાડરૂપે રક્ષા કરનારાં છે. જેમ વારહિત ખેતરનું અનાજ સુરક્ષિત રહે નહિ, તેમ જૂઠ-ચોરી–મૈથુન અને મૂચ્છ, એ ચારેયના ત્યાગરૂપ વાડ વિના અહિંસાધર્મની રક્ષા થાય નહિ. એમ બાકીનાં ચારેય વ્રતે પહેલાને ઉપકાર કરનારાં છે. હવે જે ગુણવ્રત કહેવાશે, તે નિયમિત કરેલી અહિંસામાં પણ વૃદ્ધિરૂપે ગુણ કરનારા હોવાથી ગુણવતે કહેવાય છે અને તે પછી ચાર શિક્ષાત્રત કહેવાશે તે આત્માને પિતાનું સ્વરૂપ (અહિંસક ભાવ) પ્રગટાવવામાં અભ્યાસ-શિક્ષણરૂપ હેવાથી શિક્ષાવતે કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy