________________
પ્ર૦ ૨-સ્થૂલ પરિગ્રહવિરમણ વ્રત ]
૧૯૧
અગુરુ, ૧૬-ચંદન, ૧૭–સુતરનાં વસ્ત્રો, ૧૮–ઊનનાં વઓ, ૧૯-કાષ્ટ (અગ્નિમથ વૃક્ષ વગેરેનાં પાટીયાં), ૨૦-ચામડું (મૃગચર્મ, સિ ુચ, વ્યાઘ્રચર્મ વગેરે), ૨૧-ક્રાંત (હાથીઢાંત વગેરે), ૨૨–વાળ (ચમરી ગાયના ચામર વગેરે), ૨૩-ગધ (સુગંધી ચૂર્ણો વગેરે ), ૨૪–દ્રૌષધિ ( સૂત્ર્ય, મરી, પીપર વગેરે ઔષધિઓ), એમ ચાવીશ પ્રકારે રત્ના કહ્યાં છે.
(૩) સ્થાવર–૧–ક્ષેત્ર, ખળાં વગેરે ભૂમિ, ૨-ઘર, હાટ વગેરે મકાના ૩-વૃક્ષસમૂહ એટલે નાળીયેરી, ખજૂરી વગેરેનાં વન-જગલા,–એમ ત્રણ પ્રકારનાં સ્થાવરા જણાવ્યાં છે.
(૪) દ્વિપદ—–૧–ગાડાં—ગાડી તથા ૨–દાસ-દાસી વગેરે, એમ એ પ્રકારે દ્વિપદો કહ્યાં છે.
(૫) ચતુપદ-૧-ગાય, ર–ભેંસ, ૩-ઊંટડી, ૪-બકરી, ૫-ઘેટી, દ–વાલ્હીક વગેરે દેશના જાતિવ ́ત અશ્વો, ૭-ખચ્ચર, ૮-કુજાત ઘેાડા, ૯-ગધેડાં અને ૧૦-હાથી. (અહી ગાય શબ્દથી વૃષભ, ભેંસથી મહિષ, ઊંટડીથી ઊટ વગેરે સજાતિય એકમાં ગણવા. ) એમ ( ચતુષ્પદ્ય ) દશ પ્રકારનાં કહ્યાં છે.
(૬) મુખ્ય-ભિન્ન ભિન્ન પ્રકારના ઘરવખરા. ( સેાના—રૂપા સિવાયની દરેક ધાતુઓનાં વાસણા, વજ્ર, પાત્ર અને ઉપકરણાદ્ધિ સઘળી ઘરસામગ્રી એક જ પ્રકારમાં ગણી છે. )
(રત્નાના પ્રકારમાં વસ્ત્રાદિને સંપત્તિ તરીકે ગણાવ્યાં છે અને અહી` ઘરવખરા તરીકે ગણાવ્યાં છે એમ ભેદ સમજવેા.) કહ્યું છે કે
“ નાળાવિદ્દોવાળ, પ્લેવિનું વ્રુવળ હોર્ ।
તો ગત્યો મળિયો, છબિટ્ટુ સક્રિમેયો ૩ શ્ ॥” (વૈનિનું ૧૮ ) ભાવાર્થ- જુદી જુદી જાતિનાં અનેક પ્રકારનાં ઘરનાં ઉપકરણાને એક જ કુષ્ય તરીકે ગણ્યાં છે. એમ અ ( પરિગ્રહ) મૂળ છ પ્રકારે અને ઉત્તર ચેાસઠ પ્રકારે કહ્યો. ”
એ પ્રમાણે ૨૪ ધાન્યા, ૨૪ રત્ના, ૩ સ્થાવરા, ૨ દ્વિપદો, ૧૦ ચતુષ્પદો અને ૧ કુષ્ય મળી ૬૪ પ્રકારના પરિગ્રહ કહ્યો છે. આ ચાસઠ પ્રકારા પશુ ઉપર કહેલા ધન-ધાન્યાદિ નવ પ્રકારામાં જ અંતર્ગત થતા હાવાથી, એ નવના પણ આ ચાસઠ પ્રકારો થઈ શકે છે, એમ અન્ને વ્યાખ્યા એમાં સમાનતા સમજવી.
ઉપર જણાવ્યો તે નવ પ્રકારના અમિત પરિગ્રહ, કે જેનું કાઈ પ્રમાણ જ નથી તેને પ્રમાણુયુક્ત કરે, અર્થાત્ અમુક વસ્તુ અમુક પ્રમાણથી વધુ ન રાખવી, એમ ઈચ્છાને ( મૂર્છાને) મર્યાદિત કરે, તેને સર્વજ્ઞાએ સ્થૂલ પરિગ્રહવિરમણ નામનુ પાંચમું અણુવ્રત કહ્યુ` છે.
અહી' તાત્પય એ છે કે-પરિગ્રહના ત્યાગ એ પ્રકારે થાય છે, એક સર્વથા—સમ્પૂર્ણ અને આજે (દેશથી) અમુક પ્રમાણમાં. સર્વ વસ્તુઓની સર્વ પ્રકારે મૂર્છા તજવી તે ૮ સત્યાગ ’ અને અમુક વસ્તુઓની અમુક પ્રમાણમાં મૂર્છા છેાડવી તે દેશત્યાગ' કહેવાય છે. આ એમાં શ્રાવકોને સર્વથા ત્યાગ કરવા અશકય હાવાથી દેશત્યાગ કરી તેઓ ઈચ્છાનું પરિમાણુ કરી શકે છે. પચ્ચ૰આવ॰સૂત્રમાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org