________________
પ્ર. ૨-સ્થૂલ મૈથુનવિરમણ વ્રત ].
૧૮૭ આ વ્રત પાળવાથી ઘણું ઉત્તમ ફળ મળે છે. કહ્યું છે કે
" जो देइ कणयकोडिं, अवा कारेइ कणयजिणभवणं । તરત ન તરિક પુળ, ધણિ છે ? ”
(વિધવા, ગુરુપયo દ8) પ્રશ્ન-બલાત્કારે વૈધવ્ય પાળવાથી ગુપ્ત વ્યભિચાર સેવાય અને ગર્ભપાત કે બાળહત્યા થાય, તે કરતાં પુનર્લગ્ન કરવું શું ખોટું ?
ઉત્તર-કુલાચારથી પણ પુનર્લગ્ન ન કરનારને ઘણે ભાગ બ્રહ્મચર્ય પાળવાનું સામર્થ્ય કેળવી જીવનને નિર્મળ બ્રહ્મચર્યથી પવિત્ર કરે છે. અલ્પ માત્ર વ્યક્તિઓ જ ઉન્માર્ગે જાય છે, જે પ્રગટ છે. જે થેડાના ભોગે ઘણાનું રક્ષણ થતું હોય તે તે વ્યવહાર ખોટ નથી. જગતનો કેઈ પણ ઉત્તમ વ્યવહાર એ નહિ હેય, કે જેનાથી છેડાને (કલ્પિત) નુકશાન ન હોય. વસ્તુતઃ તે વ્યભિચાર પતિના અભાવથી નહિ પણ વિષયના વિકારને રોકવાની નિર્બળતાથી થાય છે. કેઈ સધવા સ્ત્રી પણ ઉન્માર્ગનું સેવન કરે, ત્યાં કોને દેષ ગણવો ? વિધવાઓ કરતાં સધવાઓની સંખ્યા વ્યભિચારમાં વધારે હોય છે, તે નિર્ભયપણે વ્યભિચાર કરે છે. વસ્તુતઃ અનાદિકાળની વિષયવાસનાને ટાળવા માટે ઈચ્છાથી કે અનિચ્છાથી પણ ઉત્તમ આચારેનું પાલન કરવું જરૂરી છે, વગેરે મધ્યસ્થ બુદ્ધિએ વિચારતાં સ્પષ્ટ સમજાય તેમ છે.
પ્રશ્ન-ઈચ્છા વિના આચારને પાળવા તે આચાર નહિ પણ બંધન જ કહેવાય ! તેવા બંધનથી આત્મા કાંઈ સુધરી જ નથી.
ઉત્તર–શહેરને કિલ્લે હેય છે અને જેલ પણ હોય છે. કિલ્લે પ્રજાને બંધનરૂપ છે છતાં પ્રજાને બહારના ઉપદ્રવોથી બચાવવા માટે તે જરૂરી છે, જ્યારે જેલ દુર્જનોને બંધનરૂ૫ છતાં પ્રજાના રક્ષણ માટે જરૂરી છે. માટેલ તથા જેલ બને એ પહેરેગીરે હોય છે, પણ મહેલને પહેરેગીર રાજના રક્ષણ માટે છે અને જેલને પહેરેગીર કેદીને કબજે રાખવા માટે છે. એ પ્રમાણે જગતના ઉત્તમ વ્યવહાર બંધનરૂપ હોવા છતાં તે કામ-ક્રોધાદિ શત્રઓથી આત્માનું રક્ષણ કરનારા હોવાથી તેને બંધન મનાવી સત્યને લે૫ કરે તે કઈ રીતિએ ઉચિત નથી.
(૪) ધાર્મિક દષ્ટિએ–શાસ્ત્રકારે જણાવે છે તેમ પૂર્વભવમાં શીલનું પાલન નહિ કરવાથી કે અસદાચારી જીવન જીવવાથી પ્રયઃ વધશ્ય પ્રાપ્ત થાય છે, તેને બ્રહ્મચર્યથી પવિત્ર રાખીને જ ઉત્તમ જીવન પ્રાપ્ત કરી શકાય છે, સદાચારેનો લેપ કરી કદી સુખી થઈ શકાતું નથી, માટે જ સ્ત્રીજીવનને અંગે ઉત્તમ કુલના જે આચારે છે તેનું સહર્ષ પાલન કરવાથી જ સ્ત્રીધર્મ સચવાય છે. વૈધવ્ય વગેરે પૂર્વભોમાં કરેલા શીલભંગ આદિ દુરાચારનાં જ ફળે છે. તેને સમતાપૂર્વક ભોગવી બ્રહ્મચર્ય પાળવાથી જ તે કર્મોથી છૂટી શકાય છે.
એમ અનેક પ્રકારે પુરુષ કરતાં સ્ત્રીજીવનને માર્ગ ભિન્ન છે. પુરુષપણું પૂર્વે કરેલા ઉત્તમ કર્મોનું ફળ છે, જેથી તેની સ્ત્રી કરતાં ભેગ ભેગવવાની વિશાળતા સ્વતંત્ર છે, પરંતુ એને અર્થ એ નથી કે નિરંકુશ બનવું. પુરુષે પણ બ્રહ્મચર્ય કે એકપત્ની પ્રત પાળવું એ હિતકર છે. ઉત્તમ પુરુષે કદી ભેગને પરાધીન હોતા નથી. સ્ત્રી અબળા છતાં જો સ્વપતિમાં સંતોષ રાખી શકે તે પુરુષ કેમ ન રાખી શકે? વસ્તુતઃ વિષય વિષતુલ હોવાથી છે જે વ્યવહારથી વિષયમુક્ત બને, તે દરેક વ્યવહારે અજ્ઞાન–મેહથી દુઃખરૂપ દેખાવા છતાં સુખનાં કારણભૂત છે.
માનવજાતિની લગ્નવ્યવસ્થા વસ્તુતઃ વ્યભિચારથી દર હઠી આત્માનું રક્ષણ કરવા માટે છે, નહિ કે વિષયના પિષણ માટે! પુરુષને વ્યભિચારથી બચવા માટે સ્ત્રીની અને સ્ત્રીને વ્યભિચારથી બચવા માટે પુરુષની સહાય છે. વેદવિકારને ન રોકી શકાય તે જ સ્ત્રીને માત્ર પિતાના પરણેત પતિ સાથે કે પતિને પિતાની પરણેત સ્ત્રી સાથે તે વિકારને શાન્ત કરવાને હેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org