________________
૧૮૪
[ ધo સં૦ ભા. ૧-વિ૦ ગા. ૨૭ “थूलगादत्तादाणं समणोवासओ पच्चक्खाइ, से य अदत्तादाणे दुविहे पन्नत्ते तंजहा; सचित्तादत्ताટાળે નિત્તાત્તાવાળે આ રિ !” (શ્રી માવ સૂત્ર) ' અર્થાત-“શ્રાવક સ્થૂલ અદત્તાદાનનું પચ્ચખાણ કરે છે, તે અદત્તાદાન બે પ્રકારે છે, ૧-સચિત્તનું અદત્તાદાન અને ૨-અચિત્ત વસ્તુનું અદત્તાદાન” વગેરે.
આ ત્રીજા વ્રતના પાલનથી સર્વને વિશ્વાસ, પ્રશંસા, ધન-ધાન્યાદિ સમૃદ્ધિની વૃદ્ધિ, મનની સ્થિરતા (નિર્ભયપણું), ઠકુરાઈ અને પરલેકમાં સ્વર્ગ વગેરે ઘણાં ઉત્તમ ફળ મળે છે. કહ્યું છે કે
છે, આ જ ર વ સથવા વા. अत्थो से न विणस्सइ, अचोरिआए फलं एअं ॥ १॥" “ જમાના, સોળમુમકંવપટ્ટા રા सुइरं हवंति सामी अचोरिआए फलं एअं ॥ २ ॥"
(Rોધક, કાગ્રતા, ૨૨-૩૪) ભાવાર્થ—“ ક્ષેત્રમાં, ખળામાં કે જંગલમાં, દિવસે કે રાત્રે શસ્ત્રઘાતાદિ (પ્રાણુન્ત) આપત્તિમાં પણ તેનું (એરી વિના ન્યાયથી મેળવેલું) ધન નાશ પામે નહિ ( અર્થાત ચેરી નહિ કરનારનું ધન કેઈ લે, કઈ કાળે કે કઈ પણ સાગમાં વિના રક્ષકે પણ સુરક્ષિત રહે છે.) એ અચૌર્ય વ્રતનું ફળ છે. વળી ચોરી નહિ કરનાર ઘણા કાળ સુધી “ગામે, નગરે, ખાણે, દ્રોણમુખ, મર્ડ કે પત્ત(શહેર)ને સ્વામી-વિશાળ રાજ્યને ભેગવનાર “રાજા” બને છે. એ બધાં અદત્તાદાન વિરમણ વ્રતનાં ઉત્તમ ફળે છે.”
આ વ્રતને નહિ પાળનારા, ચેરી કરનારા કે વ્રત લેવા છતાં અતિચાર સેવનારાઓ દર્ભાગ્ય, દાસપણું, અંગોપાંગને છેદ (કપાવાં), દરિદ્રતા વગેરે ઘણાં માઠાં ફળ ભોગવે છે. કહ્યું છે કે
“ દ વ વવાદ્ધિ-ધિરમપુષid
दुक्खं तकरपुरिसा, लहंति नरयं परभवंमि ॥१॥" “ નવા ડબૅ, વૈવાદમુદિધા. ચોવિસનિહ, હૂંતિ ન મરણ ૨”
(વધવ, શoad, ૩-૬) ભાવાથ–“ચેરી કરનારા મનુષ્ય, આ જન્મમાં રાજાદિ તરફથી થતાં “ગધેડા ઉપર બેસાડી શહેરમાં સર્વત્ર ફેરવવા, અનેક મનુષ્ય દ્વારા નિંદા–ધિક્કાર-તિરસ્કાર વગેરે પરાભવ કરાવવા, દેશનિકાલ કે મરણ પર્યંતની (શૂળી વગેરેની) પણ સજા ભેગવવી, વગેરે મહા કષ્ટ ભેગવે ( ૮. જ્યાં કર ભર પડે તે ગામ, જ્યાં કર ન ભરવો પડે તે (નકર) નગર, જ્યાંથી લેખંડ વગેરે નીકળે તે ખાણ, જ્યાં જળ-સ્થળ બને ભાગે વ્યાપાર ચાલતું હોય તે દ્રોણમુખ, જેની આજુબાજુ અડધા યોજનમાં ગામ વસેલાં હોય તે મોંબ અને જ્યાં જળ કે સ્થળ બેમાંથી એક જ માર્ગે વ્યવહાર થતું હોય તે પતન કહેવાય છે. એ પ્રમાણે પ્રાચીન સંજ્ઞાઓ આગમોમાં જણાવેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org